Amritpal Singh: 19 વર્ષની ઉંમરે ગામ છોડ્યું, ભિંડરાવાલેની વાત સાંભળીને બન્યો ખાલિસ્તાની સમર્થક, અમૃતપાલ સાથે જોડાયેલી 10 મોટી વાતો

|

Apr 23, 2023 | 9:42 AM

અમૃતપાલ સિંહ પંજાબની શાંતિ માટે પડકાર બની ગયો છે. ખાલિસ્તાનની નવી લહેર ઉભી કરનાર અમૃતપાલે પહેલા સોશિયલ મીડિયા પર પોતાની જાતને કટ્ટરપંથી તરીકે સ્થાપિત કરી, પછી ધીમે ધીમે હજારો લોકોને પોતાના સમર્થક બનાવ્યા.

Amritpal Singh: 19 વર્ષની ઉંમરે ગામ છોડ્યું, ભિંડરાવાલેની વાત સાંભળીને બન્યો ખાલિસ્તાની સમર્થક, અમૃતપાલ સાથે જોડાયેલી 10 મોટી વાતો
Amritpal Singh

Follow us on

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે ભલે કહ્યું હોય કે તેનો ડ્રેસ જરનૈલ સિંહ ભિંડરાવાલે જેવો નથી, તે સામાન્ય કપડાં પહેરે છે પરંતુ અમૃતપાલ સિંહ પોતાની જાતને જરનૈલ સિંહ ભિંડરાવાલે 2.0 તરીકે ઓળખાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમૃતપાલ સિંહે પુનરોચ્ચાર કર્યો છે કે ખાલિસ્તાનની ભાવના તેમની અંદર રહેશે, તેને કોઈ દબાવી શકશે નહીં. તેઓ પંજાબની ઓળખ માટે લડતા રહેશે.

ખાલિસ્તાનના સમર્થનમાં, અમૃતપાલ સિંહે એકવાર પંજાબના મોગાના રોડે ગામમાં મંચ પરથી કહ્યું હતું – આપણે બધા (પંજાબીઓ) હજુ પણ ગુલામ છીએ. જેમને લાગે છે કે આપણે ‘ફ્રી’ છીએ તેમણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આપણે આઝાદી માટે લડવું પડશે. અમારા ગુરૂનું અપમાન થઈ રહ્યું છે. અમે તેમને સજા કરીશું.

આ પણ વાંચો :Amritpal Singh : પોલીસ કસ્ટડીમાં અમૃતપાલ સિંહની પહેલી તસવીર સામે આવી, 36 દિવસ પછી ધરપકડ, જુઓ Video

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

પંજાબના વિભાજન અને દેશની સુરક્ષા માટે અમૃતપાલ સિંહના વિચારો કેટલા જોખમી છે તે નીચેના મુદ્દાઓમાં વિગતવાર સમજો

  1. અમૃતપાલ સિંહ ભારતના બંધારણને સ્વીકારતો નથી. તે શીખો માટે અલગ બંધારણ બનાવવાની વાત કરતો રહ્યો છે.તેનું કહેવું છે કે તેને દેશના કાયદા પર વિશ્વાસ નથી.તે માત્ર ગુરુ પાસેથી સૂચન લેવાની વાત કરે છે.
  2. અમૃતપાલ સિંહનું કહેવું છે કે ખાલિસ્તાનનો વિચાર વર્જિત નથી. અમે જુલમ અને દુઃખનો અંત લાવવાની માગ કરી રહ્યા છીએ. મારા પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. અંજલામાં હિંસા એટલા માટે થઈ કારણ કે મારી સામે નકલી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
  3. મળતી માહિતી મુજબ અમૃતપાલ સિંહની પાછળ યુકે સ્થિત અવતાર સિંહનો હાથ છે. તે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના જગજીત સિંહ, પરમજીત સિંહ પમ્માનો નજીકનો હોવાનું કહેવાય છે.સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબના યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે અમૃતપાલ સિંહનો ત્યાંથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
  4. અમૃતપાલ સિંહ સંધુનું આખું બાળપણ અમૃતસર પાસેના જલ્લુપુર ખેડા ગામમાં વીત્યું હતું.પોલિટેકનિક કોલેજમાંથી ડિપ્લોમા લીધા પછી, તેણે 2012 માં 19 વર્ષની ઉંમરે પોતાનું ગામ છોડી દીધું. ત્યારબાદ દુબઈમાં પિતાના ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં જોડાયા.
  5. એક યુવાન તરીકે, અમૃતપાલ સિંહના વિચારો બદલાઈ ગયા જ્યારે તેણે 1984માં સુવર્ણ મંદિરમાં માર્યા ગયેલા શીખ નેતા જરનૈલ સિંહ ભિંડરાનવાલેની ઓડિયો કેસેટ સાંભળી. તે કલાકો સુધી ભિંડરાવાલેની કેસેટ સાંભળતો હતો. જે પછી તેણે સોશિયલ મીડિયા પર તેની પ્રોફાઇલ બદલવાનું શરૂ કર્યું અને તેના કટ્ટરપંથી વિચારો શેર કરવાનું શરૂ કર્યું. આનાથી તેના સોશિયલ મીડિયા ફોલોઈંગમાં વધારો થયો.
  6. સોશિયલ મીડિયા પર પોતાને પ્રમોટ કર્યા પછી, અમૃતપાલ સિંહે રાજ્યના પ્રભાવશાળી લોકોને મળવાની રણનીતિ બનાવી. આ દ્વારા તેણે પંજાબના રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો.
  7. અમૃતપાલે ધીમે ધીમે રાજ્યભરમાં મોટા વિરોધ પ્રદર્શનો અને કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ગુપ્તચર અહેવાલો અનુસાર, અમૃતપાલ સિંહે ઓક્ટોબર 2015માં ફરીદકોટમાં બેહબલ ઈન્સાફ મોરચા દ્વારા પોતાનું આંદોલન શરૂ કર્યું હતું.
  8. મળતી માહિતી મુજબ, ત્યારથી તેણે પોતાને કટ્ટરપંથી તરીકે પ્રમોટ કરવાનું શરૂ કરી દીધું હતું અને આનંદપુર સાહિબ ખાતે ઔપચારિક શીખ બાપ્તિસ્મા સમારોહનું આયોજન કર્યું. જેમાં સેંકડો શીખોએ ભાગ લીધો હતો. આ સંખ્યા જોઈને ગુપ્તચર એજન્સીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
  9. આ પછી, જ્યારે તેઓ પાઘડી બાંધવાના સમારોહ માટે ભિંડરાવાલેના જન્મસ્થળ રોડે ગામમાં ગયા, ત્યારે લગભગ 7,000 સમર્થકોની ભીડ હતી. અમૃતપાલ સિંહના મોટાભાગના અનુયાયીઓ 25 થી 30 વર્ષની વય જૂથના છે. અમૃતપાલના એક કોલ પર હજારો સમર્થકો એકઠા થઈ રહ્યા છે.
  10. અમૃતપાલના શબ્દો છે – ભિંડરાનવાલેના પરંપરાગત શીખ ડ્રેસ અને અન્ય શીખ પ્રતીકોને જોતા કોઈ સરખામણી કરી શકે છે પરંતુ તે ખોટું છે. હું સામાન્ય કપડાં પહેરું છું. તે ભિંડરાવાલે જેવો નથી.

દેશ- દૂનિયાના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…..

Next Article