AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amritpal Singh Audio: ભાગેડું અમૃતપાલ સિંહે વીડિયો કલીપ બાદ આ ઓડિયો જાહેર કરીને કર્યો આવો દાવો

Amritpal Singh Audio: વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહને પકડવા માટે પંજાબ પોલીસનું સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. આ પહેલા બુધવારે અમૃતપાલ સિંહે એક વીડિયો જાહેર કર્યો હતો. ઓડિયોમાં અમૃતપાલે કહ્યું, મારો વીડિયો પોલીસે નથી બનાવ્યો, મારા પર વિશ્વાસ કરો.

Amritpal Singh Audio: ભાગેડું અમૃતપાલ સિંહે વીડિયો કલીપ બાદ આ ઓડિયો જાહેર કરીને કર્યો આવો દાવો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 6:59 PM
Share

Amritpal Singh Audio: ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે. પોલીસ તેને સતત શોધી રહી છે. દરમિયાન, અમૃતપાલ સિંહે ગુરુવારે (30 માર્ચ) પોતાનો એક ઓડિયો રિલીઝ કર્યો છે. આ પહેલા બુધવારે અમૃતપાલ સિંહે પણ એક વીડિયો જાહેર કર્યો હતો. ઓડિયોમાં અમૃતપાલે કહ્યું, “મારો વીડિયો પોલીસે નથી બનાવ્યો, મારા પર વિશ્વાસ કરો. ઘણા લોકો આવી વાત કરી રહ્યા છે. ફોન સારો ન હોવાને કારણે અને ઓડિયોની ગુણવત્તા યોગ્ય ન હોવાને કારણે મૂંઝવણ ઊભી થઈ છે.” રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ખાલિસ્તાની સમર્થકે વધુમાં કહ્યું, “કેટલાક લોકો મારા વિડિયો નિવેદન અંગે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેં ધરપકડ માટે શરતો મૂકી છે. આ બધું જુઠ્ઠું છે. આવી કોઈ શરત મૂકવામાં આવી નથી. મારી તબિયત થોડી નાદુરસ્ત છે. એક સમયે ખાવાના કારણે થોડી નબળાઈ ચોક્કસ આવે છે, પરંતુ આ વીડિયો કોઈ મજબૂરી કે પોલીસના દબાણમાં નથી બનાવાયો.”

અમૃતપાલનો વીડિયો એક દિવસ પહેલા સામે આવ્યો હતો

અમૃતપાલ ઓડિયો મેસેજમાં વારંવાર સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને સંગતને પોતાનો સંદેશ મોકલવાની વાત કરી રહ્યો છે. આ પહેલા બુધવારે અમૃતપાલ સિંહનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેમને શીખ સમુદાય સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બૈસાખી પર ‘સરબત ખાલસા’નું આયોજન કરવાની હાકલ કરતા સાંભળવામાં આવ્યા હતા.

આ દાવો વીડિયોમાં કરવામાં આવ્યો છે

ભાગેડુ અમૃતપાલ વીડિયોમાં કહેતો સંભળાયો છે કે જો પંજાબ સરકાર તેની ધરપકડ કરવા માંગતી હોત તો તેઓ તેના ઘરે આવ્યા હોત અને તેણે આત્મસમર્પણ કર્યું હોત. તેણે દાવો કર્યો કે તેની સામે પોલીસની કાર્યવાહી શીખ સમુદાય પર હુમલો છે.

આ પણ વાચો: Karnataka Election Breaking News: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરતુ ચૂંટણી પંચ, 10 મે ના રોજ ચૂંટણી ,પરિણામ 13 મે ના રોજ

અમૃતપાલ સિંહ 18 માર્ચથી ફરાર છે

તમને જણાવી દઈએ કે 18 માર્ચે પંજાબ પોલીસે અમૃતપાલ અને તેના સંગઠન વારિસ પંજાબ દેના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસે અમૃતપાલના ઘણા સહયોગીઓની ધરપકડ કરી હતી, જોકે તે ફરાર હતો. ત્યારથી, તેના ઘણા વીડિયો અને ચિત્રો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં તેને એકલા અને તેના સહયોગીઓ સાથે જુદા જુદા વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યા છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">