કાવડ યાત્રા: નેમ પ્લેટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટમાં UP સરકારનો જવાબ, આજે સુનાવણી

નેમ પ્લેટ વિવાદ પર સુપ્રીમ કોર્ટને જવાબ આપતાં યુપી સરકારે કહ્યું કે, આ આદેશનો અમલ એટલા માટે કરવામાં આવ્યો છે કે ભૂલથી પણ કાવડિયાઓ કોઈ પણ દુકાનમાંથી એવું કંઈ ન ખાઈ લે કે જેનાથી તેમની ધાર્મિક ભાવનાઓ આહત થાય, કાવડીઓનો પરોસવામાં આવતા ખાવા-પીવાની ચીજ વસ્તુઓમાં નાની-નાની ગેરસમજોથી પણ તેમની ધાર્મિક લાગણીઓ ભડકાવી શકે છે.

કાવડ યાત્રા: નેમ પ્લેટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટમાં UP સરકારનો જવાબ, આજે સુનાવણી
Image Credit source: Social Media
Follow Us:
| Updated on: Jul 26, 2024 | 11:29 AM

દેશમાં કાવડ યાત્રા શરૂ થઈ ગઈ છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગ પર આવેલી દુકાનોમાં માલિકના નામ સાથેની નેમ પ્લેટ લગાવવાને લઈને વિવાદ થયો છે. આ મામલો મુઝફ્ફરનગરથી શરૂ થયો હતો, ત્યારબાદ યોગી સરકારના આદેશ બાદ તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો હતો.

એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામની એનજીઓએ આ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી 22 જુલાઈએ સુપ્રીમ કોર્ટે રાજ્યો પાસેથી શુક્રવાર (26 જુલાઈ) સુધીમાં જવાબ માંગ્યો હતો અને જ્યાં સુધી રાજ્યો જવાબ ન આપે ત્યાં સુધી આ આદેશ હોલ્ડ પર મૂકવામાં આવ્યો હતો. જે બાદ આ મામલામાં આગામી સુનાવણી આજે 26મી જુલાઈએ થશે.

સુપ્રીમ કોર્ટે નેમ પ્લેટ વિવાદ પર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ પાઠવી હતી અને શુક્રવાર એટલે કે 26મી જુલાઈ સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. જેના જવાબમાં ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે, સૌહાર્દ અને શાંતિ જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

સરકારે કોર્ટને કહ્યું કે કાવડ માર્ગ પરની ખાણીપીણીની દુકાનો પર નેમ પ્લેટ લગાવવાની આ સૂચના ભૂલથી પણ કાવડિયાઓની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે જાહેર કરવામાં આવી હતી.

યુપી સરકારે SCને જવાબ આપ્યો

સરકારે કહ્યું કે આ આદેશનો અમલ એટલા માટે કરવામાં આવ્યો છે કે ભૂલથી પણ કાવડિયાઓ કોઈ પણ દુકાનમાંથી એવું કંઈ ન ખાતા કે જેનાથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે, કાવડિયાઓને પીરસવામાં આવતી ખાદ્યપદાર્થો અંગેની નાની-નાની ગેરસમજોથી પણ તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે.

મુઝફ્ફરનગરનો ઉલ્લેખ કરતા, સરકારે કોર્ટમાં તેના જવાબમાં જણાવ્યું હતું કે, મુઝફ્ફરનગર જેવા સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારમાં આવી ઘટનાઓ પ્રથમ વખત પ્રકાશમાં આવી છે, જ્યાં ખોરાકને લઈને મૂંઝવણ ઊભી થઈ, ગેરસમજને કારણે તણાવ અને અરાજકતા સર્જાઈ. આવી હાલત ફરી પેદા ન થાય તે માટે નેમપ્લેટનો આદેશ આપવામાં આવ્યો હતો.

અરજી ફગાવી દેવાની અપીલ કરી હતી

યુપી સરકારે નેમ પ્લેટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધ કર્યો હતો અને અરજીઓને ફગાવી દેવા માટે કોર્ટને અપીલ કરી હતી. સરકારે કહ્યું કે, અરજીમાં લગાવવામાં આવેલા આરોપો સાચા નથી અને તથ્યો પણ સ્વીકાર્ય નથી. આ અરજીઓને કોર્ટે ફગાવી દેવી જોઈએ, કારણ કે આ રાજ્યની જવાબદારીનો મામલો છે અને સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ જાહેર કર્યો હતો.

અધિકારીઓની બેઠક બાદ લેવાયો નિર્ણય

યુપી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે કાવડ યાત્રા દરમિયાન ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા કરીને અને દુકાનદારોના નામ દર્શાવવાથી બંધારણના સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થતું નથી. તેમજ યુપી સરકારે સુપ્રીમ કોર્ટને આ મામલે યોગ્ય આદેશ જાહેર કરવા વિનંતી કરી હતી. યુપી સરકારે કહ્યું કે કાવડ યાત્રા દરમિયાન યોગ્ય વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નેમ પ્લેટનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, આ આદેશ અચાનક લેવામાં આવ્યો ન હતો પરંતુ આ પહેલા ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી અને તેને નિર્ધારિત કાયદા મુજબ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આદેશ પર સ્ટે મુક્યો હતો

નેમ પ્લેટના આદેશ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પોતાના વચગાળાના આદેશમાં નેમ પ્લેટ પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે દુકાનદારોએ તેમની ઓળખ જાહેર કરવાની જરૂર રહેશે નહીં. તમારે ફક્ત ખોરાકના પ્રકારો જણાવવા પડશે. કાવડીઓને શાકાહારી ખોરાક મળવો જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. જો કે, એ જણાવવું જરૂરી છે કે ખોરાક શાકાહારી છે કે માંસાહારી. આ કેસની આગામી સુનાવણી આજે એટલે કે 26 જુલાઈએ થશે.

આ પણ વાંચો: રજાના દિવસોમાં પણ ખુલશે કોર્ટ કચેરીઓ, 10થી 5 વાગ્યા સુધી થશે કામ… સુપ્રીમ કોર્ટે કર્યો મોટો ફેરફાર

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">