Breaking News: “જહાજો પર હુમલા તાત્કાલિક બંધ કરો….” ઓમાનમાં ત્રણ ભારતીયોના મોત બાદ ભારત સરકારે આપ્યો સખ્ત સંદેશ
પશ્ચિમ એશિયામાં જહાજો પર સતત હુમલા થઈ રહ્યા છે અને ઓમાનના દરિયા પાસે ત્રણ ભારતીયોના મોત થયા છે. ત્યારે ભારતે તેના પર ચિંતા વ્યક્ત કરતા તુરંત હુમલા રોકવા સૂચના આપી છે. ભારતે શાંતિ બહાલ કરવાની અને સંવાદ દ્વારા તણાવ ઓછો કરવાની અપીલ કરી છે.

પશ્ચિમ એશિયામાં ભારતીય ખલાસીઓને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલા મામલે ભારતે હવે કડક વલણ બતાવ્યુ છે. ભારતે ભારતીય નાવિકોની સુરક્ષા ને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસોથી ક્ષેત્રમાં ભારતીય ખલાસીઓ સાથે કેટલીક ગંભીર ઘટનાઓ સામે આવી છે. ભારત તેમના ખલાસીઓની સુરક્ષાને પ્રાથમિક્તા આપે છે અને સતત તેના પર નજર રાખી રહ્યુ છે.
વિદેશ મંત્રાલયે ઓમાનના કિનારા પાસે એક જહાજ પર કરાયેલા હુમલાની સખ્ત ટીકા કરી છે. આ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા છે. રણધીર જયસ્વાલે જણાવ્યુ કે આ અત્યંત દુખદ ઘટના છે અને ભારત સરકાર પીડિત પરિવારોની સાથે છે. સરકાર આ મામલે તમામ આવશ્યક કૂટનીતિક પગલા લઈ રહી છે.
ભારતે નોંધાવ્યો વિરોધ
ભારતે આ ઘટનાને લઈને દિલ્હીમાં અમેરિકી દૂતાવાસ ના પ્રભારી (CDA) ને સમન્સ પાઠવીને કડક વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે આ ક્ષેત્રમાં ચાલી રહેલા હુમલાઓ માત્ર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા માટે ખતરો નથી પરંતુ વૈશ્વિક વેપાર અને નાવિકોની સલામતી પર પણ ગંભીર અસર પડી રહી છે.
#WATCH | MEA Spox Randhir Jaiswal says, “There have been several incidents involving Indian seafarers in West Asia in the last few days. We attach high importance to the welfare and well-being of our seafarers’ community. We need not re-emphasise this point. Yesterday, we… pic.twitter.com/pD7GJPBuSQ
— ANI (@ANI) June 11, 2026
શાંતિ અને કૂટનીતિ પર ફોક્સ
વિદેશ મંત્રાલયે તમામ પક્ષોને સંયમ રાખવા અને વાતચીતના માર્ગ પર પાછા ફરવાની અપીલ કરી છે. ભારતે જણાવ્યું હતું કે સંવાદ અને કૂટનીતિ એ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સૌથી અસરકારક માધ્યમ છે. વધુમાં, જહાજો પરના હુમલાઓને તાત્કાલિક રોકવાની માંગ કરતી વખતે, ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસોને વધુ તેજ કરવા વિનંતી કરી.
