ભારતની મુલાકાતે આવતા વૈશ્વિક નેતાઓ પાસે પીએમ મોદી કેમ કરાવે છે ગંગા આરતી- વાંચો

|

May 14, 2024 | 12:39 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે મે G20 માં એક પ્રયોગ કર્યો હતો. મે નક્કી કર્યુ હતુ કે હું G20 ને માત્ર મોદી સુધી સિમિત નહીં રાખુ. હું G20 ને દિલ્હી સુધી સિમિત નહીં રાખુ. અમે G20 માટે દેશના અલગ અલગ સ્થાનો પર 200 મિટીંગો કરી. તેનુ પરિણામ એ આવ્યુ કે G20 નું કામ તો થયુ પરંતુ વૈશ્વિક નેતાઓને દેશની વિવિધતા વિશે જાણવા મળ્યુ.

ભારતની મુલાકાતે આવતા વૈશ્વિક નેતાઓ પાસે પીએમ મોદી કેમ કરાવે છે ગંગા આરતી- વાંચો

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (14 May 2024) મંગળવારે સતત ત્રીજીવાર વારાણસીથી નામાંકન દાખલ કર્યુ છે. નામાંકન પહેલા પીએમ મોદીએ વારાણસી, લોકસભા ચૂંટણી અને મા ગંગાનું મહત્વ સહિતના મુદ્દાઓ પર વાત કરી. પીએમ મોદીએ જણાવ્યુ “હું કોમર્શિયલ અને ફાયનાન્શિયલ માઈન્ડથી વિચારુ તો આ દેશ 140 કરોડનું માર્કેટ છે. જે ગંગાસ્નાન માટે જવા માગે છે. ચારધામ જવા ઈચ્છે છે. દ્વાદશ જ્યોતિર્લિંગ જવા ઈચ્છે છે અને જે અષ્ટગણેશની પૂજા કરવા માગે છે. આ બધામાં મેં ઈકોમોની પણ જોઈ છે અને ભવિષ્ય પણ જોયુ છે. જ્યારે આપ પોતાની ચીજોનું સન્માન કરો છો તો સમગ્ર વિશ્વ આપનું સન્માન કરે છે.”

PM મોદી વૈશ્વિક નેતાઓને ગંગા આરતી શા માટે કરાવે છે?

વડાપ્રધાન મોદીએ કહ્યું “મેં જી-20માં એક પ્રયોગ કર્યો હતો. મેં નક્કી કર્યું હતું કે હું G20ને મોદી સુધી સીમિત નહીં રાખુ. હું જી-20ને દિલ્હી સુધી સીમિત નહીં રાખુ. અમે દેશમાં અલગ-અલગ સ્થળોએ G20ની 200 બેઠકો યોજી. પરિણામ એ આવ્યું કે G20નું કામ તો થયું પરંતુ વૈશ્વિક નેતાઓને પણ દેશની વિવિધતા વિશે જાણકારી મળી.”

પીએમ મોદીએ કહ્યું “G20 દરમિયાન વિશ્વભરમાંથી અંદાજે એક લાખ લોકો ભારત આવ્યા હતા. આ લોકો વિશ્વના મહત્વના દેશોની નિર્ણય પ્રક્રિયામાં મહત્વ ધરાવતા હતા. આ લોકોએ આખા દેશને જોયો. તેમને ખબર પડી કે આ દેશ ઘણો મોટો અને વિવિધતાથી ભરેલો છે. તો આ રીતે મેં મારા દેશની બ્રાન્ડિંગ માટે G20 નો ઉપયોગ કર્યો.”

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

પીએમએ કહ્યું “દુનિયાનો કોઈ પણ નેતા આવે, હું તેને ગંગા આરતી કરાવું છું. આમ કરીને હું તેમનું હિંદુકરણ નથી કરી રહ્યો. હું તેમને પ્રકૃતિ પ્રત્યેનો આપણો પ્રેમ બતાવું છું, આપણે પ્રકૃતિ પ્રત્યે કેટલા સમર્પિત છીએ એ સમજાવુ છુ.. આપણે પ્રકૃતિનો વિનાશ કરનારા લોકો નથી. આપણે પ્રકૃતિનું જતન કરનારા લોકો છીએ. વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરે છે પરંતુ હું ગંગા આરતી કરીને બતાવું છું કે ગ્લોબલ વોર્મિંગનું સમાધાન પ્રકૃતિ પ્રત્યેની ભક્તિમાં રહેલુ છે.”

400 પાર એ નારો નથી, જનતાનો સંકલ્પ છે.

લોકસભા ચૂંટણીમાં જીતના આશાવાદ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું “અમે 400 પાર કરવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આ 400 પાર દેશની ભાવના છે. ભગવાને મને મોકલ્યો છે. પરમાત્માએ મારી પાસેથી કામ લેવાનું નક્કી કર્યું છે. પુરુષાર્થ કરવાની દિશા પણ પરમાત્મા આપે છે. આ બધી ઈશ્વરની કૃપા છે. 400 પાર એ કોઈ સ્લોગન નથી. આ દેશના 140 કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે.”

“દેશવાસીઓને ઈશ્વર માનુ છુ”

પીએમએ કહ્યું “કદાચ ભગવાને જ મને કોઈ કામ માટે મોકલ્યો છે. પરમાત્માએ મને ભારત ભૂમિ માટે પસંદ કર્યો છે અને એક રીતે હું તમામ સંબંધોથી વિરક્ત રહી દરેક કામને પરમાત્માની પૂજા સમજી કરુ છુ. હું 140 કરોડ દેશવાસીઓને ભગવાનનું સ્વરૂપ માનું છું. ઈશ્વરે મને જે પણ જીવન આપ્યું છે, તેની દરેક ક્ષણ અને મારા શરીરનો એકેએક કણ માત્ર મા ભારતી માટે છે.”

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ભરશે ઉમેદવારી પત્ર, ફોર્મ ભરતા પહેલા કહ્યુ “કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો”

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:33 pm, Tue, 14 May 24

Next Article