વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ભરશે ઉમેદવારી પત્ર, ફોર્મ ભરતા પહેલા કહ્યુ “કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો”

પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. છેલ્લા 10 વર્ષથી કાશીવાસીઓ મને જે પ્રેમ આપી રહ્યા છે તે અતુલનીય છે. મા ગંગાએ જાણે મને દત્તક લીધો છે. આટલુ બોલી પોતાની માતાને યાદ કરી પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યુ માતાના નિધન બાદ મા ગંગા જ મારી માતા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ભરશે ઉમેદવારી પત્ર, ફોર્મ ભરતા પહેલા કહ્યુ કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો
Follow Us:
| Updated on: May 14, 2024 | 11:43 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવાના છે. પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. મા ગંગાએ મને દત્તક લીધો છે. આટલુ કહી પીએમ મોદી તેમના માતાને યાદ કરી ભાવુક પણ થયા હતા. પીએમ મોદીએ કહ્યુ કે માતાના નિધન બાદ ગંગા જ મારી માતા છે. તેમણે કહ્યુ 10 વર્ષ પહેલા અહીં પ્રતિનિધિ બનવા માટે આવ્યો હતો. 10 વર્ષથી કાશીવાસીઓએ મને તેમનો પ્રતિનિધિ બનાવ્યો અને હવે તો મને પુરો બનારસી બનાવી દીધો છે.

પીએમે કહ્યું કે લોકોનો પ્રેમ જોઈને મને લાગે છે કે મારી જવાબદારીઓ દરરોજ વધી રહી છે. હું દરેક કામને પરમાત્માની પૂજા સમજી કરુ છુ. દરેક કામને ઈશ્વરની આરાધના સમજીને કરુ છુ. પીએમ મોદીએ કહ્યું કે જનતા જનાર્દનને હું પરમાત્માનું જ સ્વરૂપ માનુ છુ. પીએમ મોદીએ કહ્યુ કે જનતા મારા માટે ઈશ્વરનું જ રૂપ છે.

‘હું મારા દેશવાસીઓને ભગવાન માનું છું’

પીએમએ કહ્યું કે કદાચ ભગવાને જ મને કોઈ કામ માટે મોકલ્યો છે. ભગવાને મને ભારતની ભૂમિ માટે પસંદ કર્યો છે અને એક રીતે હું તમામ સંબંધોથી વિરક્ત રહી દરેક કાર્યને પરમાત્માની પૂજા સમજીને કરું છું. હું 140 કરોડ દેશવાસીઓને ભગવાનનું સ્વરૂપ માનું છું. ભગવાને મને જે પણ જીવન આપ્યું છે, તેની દરેકે દરેક ક્ષણ અને મારા શરીરનો એકે-એક કણ માત્ર મા ભારતી માટે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

માતાએ મને કહ્યુ હતુ કે આ બે વાત હંમેશા યાદ રાખજો

પીએમ મોદીએ કહ્યું કે માતા હંમેશા મને પૂછતા હતા કે હું કાશી વિશ્વનાથ જાઉં છુ કે નહીં? જ્યારે માતા 100 વર્ષના થયા અને હું તેમના જન્મદિવસ પર તેમને મળવા ગયો ત્યારે માતાએ મને કહ્યું કે જીવનમાં બે બાબતો હંમેશા યાદ રાખજે. ક્યારેય લાંચ ન લેવી અને ગરીબોને ક્યારેય ભૂલવા નહીં. કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. PM મોદીએ એ પણ સ્પષ્ટપણે કહ્યું કે ચૂંટણીમાં રામ મંદિર પહેલા પણ મુદ્દો ન હતો અને ભવિષ્યમાં પણ નહીં હોય. રામ મંદિર શ્રદ્ધાનો મુદ્દો છે, ચૂંટણીનો નહીં.

“રાહુલ ગાંધી વાયનાડથી પણ ભાગ્યા”

PM મોદીએ જણાવ્યુ કે દેશે 400 પાર કરવાનું કહ્યું છે. અમે 400 પાર કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. તેમણે કહ્યું કે, યુપીમાં કોંગ્રેસનું ખાતું પણ નહીં ખુલે. ગાંધી પરિવાર માત્ર મીડિયા માટે એક મહત્વપૂર્ણ પરિવાર છે. રાહુલ ગાંધી વાયનાડ છોડીને પણ ભાગી ગયા છે. કેરળ પણ હવે રાહુલ ગાંધીને ઓળખી ગયુ છે. અમેઠી હાર્યા એ બાદ તેઓ ક્યારેય અમેઠી નથી ગયા. યુપીની જનતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને ઓળખી ગઈ છે.

આ પણ વાંચો: મુંબઈમાં મોસમનો બદલાયો મિજાજ, આંધી સાથે એકાએક વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ -જુઓ Video

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">