પ્રથમ લોકસભાના સ્પીકર હતા ગુજરાતી, અમદાવાદની ગુજરાત કોલેજથી થયા હતા સ્નાતક, જાણો તેમની વકીલથી સ્પીકર સુધીની સફર

ભાજપના સાંસદ ઓમ બિરલાને ધ્વનિમત દ્વારા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા. ઓમ બિરલા બીજી વખત આ જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે પ્રથમ લોકસભાના સ્પીકર કોણ હતા અને કેવી રીતે તેમની પસંદગી થઈ હતી તેમજ તેમની રાજકીય સફર વિશે આ લેખમાં જાણીશું.

પ્રથમ લોકસભાના સ્પીકર હતા ગુજરાતી, અમદાવાદની ગુજરાત કોલેજથી થયા હતા સ્નાતક, જાણો તેમની વકીલથી સ્પીકર સુધીની સફર
Ganesh Vasudev Mavlankar
| Updated on: Jun 26, 2024 | 5:06 PM

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ઓમ બિરલાને બુધવારે ધ્વનિમત દ્વારા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા. ઓમ બિરલા બીજી વખત આ જવાબદારી સંભાળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધ્યક્ષ પદ માટે બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવને પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ દ્વારા ગૃહમાં મતદાન માટે મૂકવામાં આવ્યો હતો અને તેને ગૃહ દ્વારા ધ્વનિમત દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. આ પછી પ્રોટેમ સ્પીકર મહતાબે ઓમ બિરલાને લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત કરી હતી. ત્યારે પ્રથમ લોકસભાના સ્પીકર કોણ હતા અને કેવી રીતે તેમની પસંદગી થઈ હતી તેમજ તેમની રાજકીય સફર વિશે આ લેખમાં જાણીશું. ગણેશ વાસુદેવ માવળંકરનો વડોદરામાં જન્મ ગણેશ વાસુદેવ માવળંકરનો જન્મ 27 નવેમ્બર, 1888ના રોજ ગુજરાતના વડોદરા શહેરમાં થયો હતો. તેમનો પરિવાર તત્કાલીન બોમ્બે સ્ટેટના રત્નાગીરી જિલ્લાના માવલંગ નામના સ્થળનો વતની હતો. માવળંકર તત્કાલિન બોમ્બે રાજ્યમાં વિવિધ સ્થળોએ પ્રારંભિક શિક્ષણ મેળવ્યા પછી, ઉચ્ચ શિક્ષણ માટે 1902માં અમદાવાદ આવ્યા હતા. તેઓ 1908માં અમદાવાદની...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો