આ ચાર સાંસદો છે ઉંમરમાં સૌથી નાના, એમાથી ત્રણે તો ભાજપના દિગ્ગજોને કર્યા છે ઘરભેગા, જાણો

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ ઘણા ઉમેદવારો કોઈને કોઈ કારણોસર સમાચારમાં ચમક્યા છે. કેટલાક મતદાનની ટકાવારીને કારણે છે તો કેટલાક અન્ય કારણોસર હેડલાઇન્સમાં છે. ચાર ઉમેદવારો એવા છે જેઓ સૌથી નાની ઉંમરે જીત્યા છે.

આ ચાર સાંસદો છે ઉંમરમાં સૌથી નાના, એમાથી ત્રણે તો ભાજપના દિગ્ગજોને કર્યા છે ઘરભેગા, જાણો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2024 | 2:29 PM

તમામ એક્ઝિટ પોલ અને NDA ગઠબંધનમાં સામેલ પક્ષોના દાવાઓને ફગાવીને જનતાએ લોકસભા ચૂંટણી 2024માં સંપૂર્ણપણે અલગ પ્રકારનો જનાદેશ આપ્યો છે. ચૂંટણી પરિણામોમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ 300નો આંકડો પણ સ્પર્શી શક્યું નથી. જો કે, NDA ગઠબંધન બહુમતીના આંકડાથી ઘણું આગળ ગયું. આ લોકસભાની ચૂંટણીમાં 4 એવા ઉમેદવારો હતા, જેઓ સૌથી નાની ઉંમરે ચૂંટણી જીત્યા છે. આ ચાર યુવા ચહેરાઓ હવે લોકસભામાં બેઠેલા જોવા મળશે. આ તમામની ઉંમર માત્ર 25 વર્ષની આસપાસ છે.

પુષ્પેન્દ્ર સરોજ, પ્રિયા સરોજ, શાંભવી ચૌધરી અને સંજના જાટવ હવે 18મી લોકસભામાં સૌથી યુવા સાંસદ બનવા જઈ રહ્યા છે. પુષ્પેન્દ્ર સરોજ અને પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટી (SP)ની ટિકિટ પર ચૂંટણી લડીને જીત્યા છે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (LJP)ના શાંભવી ચૌધરી અને સંજના જાટવ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને જીત્યા છે

1. પુષ્પેન્દ્ર સરોજ

ઉત્તર પ્રદેશની કૌશામ્બી લોકસભા સીટ પરથી ચૂંટણી જીતનાર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પુષ્પેન્દ્ર સરોજ, ચૂંટણી જીતનાર સૌથી નાની વયના યુવા ઉમેદવાર બની ગયા છે. પુષ્પેન્દ્ર સરોજની ઉંમર 25 વર્ષ 3 મહિના છે. તેમનો જન્મ 1 માર્ચ 1999ના રોજ થયો હતો. પુષ્પેન્દ્ર સરોજ પૂર્વ મંત્રી ઈન્દ્રજીત સરોજના પુત્ર છે. લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર પુષ્પેન્દ્ર સરોજે આ વખતે 2019માં પિતાની હારનો બદલો લીધો છે. પુષ્પેન્દ્ર સરોજે યુપીની કૌશામ્બી લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ વિનોદ કુમાર સોનકરને 1.03 લાખ મતોની સરસાઈથી હરાવ્યા છે. ગત વખતે આ બેઠક ઈન્દ્રજીત સરોજનો પરાજય થયો હતો.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

2. પ્રિયા સરોજ

ઉત્તર પ્રદેશની મછલીશહર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતનાર પ્રિયા સરોજ એ ચાર ઉમેદવારોમાં સામેલ છે જેમણે સૌથી નાની ઉંમરે લોકસભા ચૂંટણી જીતી છે. પ્રિયા સરોજની ઉંમર માત્ર 25 વર્ષ 7 મહિના છે. તેમણે ભાજપના વર્તમાન સાંસદ ભોલાનાથને 35,850 મતોના અંતરથી હરાવ્યા છે. પ્રિયા સરોજના પિતા તુફાની સરોજ પણ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. વારાણસીના પિન્દ્રા તહસીલના કારખિયાંવ ગામની રહેવાસી પ્રિયા સરોજ છેલ્લા 7 વર્ષથી સમાજવાદી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે ભાગ લઈ રહી છે. એલએલબીની ડિગ્રી મેળવનાર પ્રિયા સરોજે દિલ્હીની એરફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્કૂલિંગ કર્યું છે. તે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ પણ કરી ચૂકી છે.

3. શાંભવી ચૌધરી

પૂર્વ આઈપીએસ અધિકારી આચાર્ય કિશોર કુણાલની ​​પુત્રવધૂ શાંભવી ચૌધરીએ આ વખતે ચિરાગ પાસવાનની એલજેપી ટિકિટ પર ચૂંટણી લડી હતી અને માત્ર 25 વર્ષની ઉંમરે જીતી હતી. બિહારની સમસ્તીપુર લોકસભા બેઠક પરથી જીતેલી શાંભવીએ કોંગ્રેસના સન્ની હજારીને 187251 મતોના માર્જિનથી હરાવ્યા હતા. શાંભવી ચૌધરી બિહારમાં નીતિશ કુમારના કેબિનેટ મંત્રી અશોક ચૌધરીની પુત્રી છે. અશોક ચૌધરી તાજેતરમાં જ કોંગ્રેસમાંથી જેડીયુમાં જોડાયા હતા. શાંભવીના દાદા પણ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે. એટલે કે તે તેના પરિવારની ત્રીજી પેઢીની નેતા છે. શાંભવી ચૌધરીએ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી આર્ટ્સમાં MA કર્યું છે.

4. સંજના જાટવ

રાજસ્થાનની ભરતપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર સંજના જાટવ 25 વર્ષની ઉંમરે જીતવામાં સફળ રહી છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના રામસ્વરૂપ કોલીને 51,983 મતોના માર્જિનથી હરાવ્યા. ગયા વર્ષે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પણ તેણે નસીબ અજમાવ્યું હતું. જો કે તે દરમિયાન તેમને માત્ર 409 વોટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">