દરેક અગ્નિવીરને 5 વર્ષ પછી પેન્શન સાથે નોકરી મળશે, રાહુલ તો જૂઠું બોલનાર મશીન છેઃ અમિત શાહ

અમિત શાહે કહ્યું કે કોઈ અગ્નિવીરે ચિંતા કરવાની જરૂર નથી. પાંચ વર્ષ પછી, કોઈપણ અગ્નિવીરને પેન્શનપાત્ર નોકરી વિનાના નહીં રહે. રાહુલ બાબા જૂઠું બોલવાનું મશીન છે. હરિયાણામાં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લાગી રહ્યા છે, રાહુલ આના ઉપર કેમ ચૂપ છે ? અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ તુષ્ટિકરણમાં આંધળી બની ગઈ છે.

દરેક અગ્નિવીરને 5 વર્ષ પછી પેન્શન સાથે નોકરી મળશે, રાહુલ તો જૂઠું બોલનાર મશીન છેઃ અમિત શાહ
Amit Shah, Union Home Minister
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2024 | 3:09 PM

હરિયાણાના બાદશાહપુરમાં ચૂંટણી જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, રાહુલ ગાંધી પર જોરદાર વાકપ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના રાહુલ બાબા જૂઠ બોલવાનું મશીન છે. રાહુલ ગાંધી એવા જૂઠ્ઠાણા ફેલાવી રહ્યાં છે કે, અગ્નિવીર યોજના એટલા માટે લાવવામાં આવી છે કારણ કે સરકાર તેમને પેન્શન સાથે નોકરી આપવા માંગતી નથી. પરંતુ હુ કહીશ કે આપણી સેનાને યુવાન રાખવા માટે જ અગ્નિવીર યોજના બનાવવામાં આવી છે.

શાહે કહ્યું કે, હું તમને કહેવા માંગુ છું કે તમારા પુત્રોને સેનામાં મોકલતા પહેલા સંકોચ ના કરો. 5 વર્ષ પછી, કોઈપણ અગ્નિવીરને પેન્શનપાત્ર નોકરી વિનાના નહીં રહે. આ અંગે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તેણે કહ્યું કે હું હરિયાણામાં નવો ટ્રેન્ડ જોઈ રહ્યો છું. હાથિનથી થાનેસર અને થાનેસરથી પલવલ સુધી કોંગ્રેસના મંચ પર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવામાં આવી રહ્યા છે.

‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા પર રાહુલ કેમ ચૂપ છે?

શાહે કહ્યું કે હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે, જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવી રહ્યા છે તો તમે ચૂપ કેમ બેઠા છો? કોંગ્રેસ તુષ્ટિકરણમાં આંધળી બની ગઈ છે. કાશ્મીર આપણું છે કે નહીં? કોંગ્રેસ અને રાહુલ બાબા કહે છે કે અમે કલમ 370 પાછી લાવીશું. રાહુલ ગાંધીની ત્રણ પેઢીઓ પણ કલમ 370 પાછી નહીં લાવી શકે. હરિયાણાના યુવાનોએ કાશ્મીરની રક્ષા માટે ઘણું બલિદાન આપ્યું છે અને અમે તેને વ્યર્થ નહીં જવા દઈએ.

જો 1 મહિનો ખાંડ ખાવાનું બંધ કરી દો તો જાણો શું થશે?
આ છે દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની, જાણો TATA Steel કયા નંબર પર
સૂતા પહેલા આ પાણી પીવો, મશીન કરતા પણ ફાસ્ટ કામ કરશે પાચનતંત્ર
ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા સુધીના આ બોલિવૂડ સ્ટાર્સે ટીવી એડથી શરૂઆત કરી હતી પોતાની કારકિર્દીની
આજનું રાશિફળ તારીખ 29-09-2024
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!

અમિત શાહે વધુમાં કહ્યું કે, વકફ બોર્ડના આ કાયદામાં ઘણી સમસ્યા છે અને અમે આ શિયાળુ સત્રમાં તેને સુધારવા માટે કામ કરીશું. તમને જણાવી દઈએ કે હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. હરિયાણાની 90 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં મતદાન થશે. 8મીએ પરિણામો જાહેર કરવામાં આવશે.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ 85 ટકા ભરાયો
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ 85 ટકા ભરાયો
બાળક રડ્યું તો સ્ટિયરિંગ પકડાવ્યું, જુઓ ટેમ્પો ટ્રાવેલરનો જોખમી વીડિયો
બાળક રડ્યું તો સ્ટિયરિંગ પકડાવ્યું, જુઓ ટેમ્પો ટ્રાવેલરનો જોખમી વીડિયો
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25 ટકા ભરાયો, 10 દરવાજા ખોલાયા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25 ટકા ભરાયો, 10 દરવાજા ખોલાયા
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
અંબાલાલ પટેલે કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભ થઈ શકે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભ થઈ શકે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર
અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
g clip-path="url(#clip0_868_265)">