મારા કપડા અને પોશાકની પણ મજાક ઉડાવવામાં આવે છે, લોકશાહીમાં આટલી નફરત યોગ્ય નથીઃ પીએમ મોદી

સમાચાર એજન્સી ANIને આપેલા આ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈલેક્ટોરલ બોન્ડ, એલોન મસ્ક, સનાતન વિરુદ્ધ વિપક્ષનું ઝેર, રામ મંદિરને રાજકીય હથિયાર બનાવવાના વિરોધ સહીતના મુદ્દાઓ ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2024 | 6:38 PM

પીએમ નરેન્દ્ર મોદીએ, સમાચાર સંસ્થા એએનઆઈને આપેલા એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં 2047ની ભારતની રૂપરેખા આપી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારો લક્ષ્યાંક 2024 નહીં પરંતુ 2047 નો છે. ઝડપ વધારવાની સાથેસાથે સ્કેલ પણ વધારવો પડશે. દેશની સામે એક તક છે. કોંગ્રેસ સરકારનું મોડલ જુઓ અને ભાજપ સરકારનું મોડલ જુઓ, તેમનું 5 થી 6 દાયકાનું કામ અને અમારુ માત્ર 10 વર્ષનું કામ જુઓ. કોઈપણ ક્ષેત્રમાં સરખામણી કરો, જો કોઈ ક્ષેત્રે ઉણપ રહી હશે પરંતુ અમારા પ્રયત્નોમાં કોઈ કમી ન હોત. અમે બે વર્ષ સુધી કોવિડ સામે લડ્યા, છતાં ભલે તેને સ્પીડ કહીએ, સ્કેલ કહીએ, સર્વાંગી વિકાસ કહીએ, અમે દરેક પરિમાણમાં નિષ્ફળ ગયા.

કેન્દ્ર-રાજ્યો વચ્ચે અવરોધ ના હોવો જોઈએ

બિન-ભાજપ સરકારોના મુખ્યમંત્રીઓને કેન્દ્રમાંથી સમર્થન ન મળવાના આરોપ પર પીએમ મોદીએ કહ્યું કે હું દેશનો પહેલો પીએમ છું જે લાંબા સમયથી ગુજરાત રાજ્યનો સીએમ રહ્યો છું. સીએમ તરીકે મેં કેન્દ્રની તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે, તેથી જ હું ક્યારેય ઈચ્છતો નથી કે કોઈપણ રાજ્યના સીએમને કોઈ અવરોધોનો સામનો કરવો પડે. હું સમગ્ર દેશનો વિકાસ કરવા માંગુ છું.

મેં હંમેશા કહ્યું છે કે જો દેશને આગળ લઈ જવો હોય તો રાજ્યો વચ્ચે સ્પર્ધા હોવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે હું જી-20નું આયોજન દિલ્હીમાં કરી શક્યો હોત, પરંતુ મેં ભારતના તમામ રાજ્યોમાં તેનું આયોજન કર્યું, કારણ કે હું ઈચ્છતો હતો કે આ ઈવેન્ટ દેશના ખૂણે-ખૂણે યોજાય.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

મારા પોશાક-કપડાની મજાક ઉડાવાય છે

ઉત્તર અને દક્ષિણ ભારતના પ્રશ્ન પર પીએમ મોદીએ કહ્યું કે ભારતની તાકાત વિવિધતામાં છે, આપણે તેની ઉજવણી કરવી જોઈએ. ભારતનો ગુલદસ્તો એવો છે કે દરેક ફૂલ દેખાય. બંધારણ બદલવાના વિપક્ષના આરોપ પર પીએમ મોદીએ કહ્યું કે તેઓ એવા વ્યક્તિ પર સવાલ ઉઠાવી રહ્યા છે જે પહેલીવાર યુએનમાં જાય છે અને તમિલ ભાષાને સલામ કરે છે. તેઓ જુદા જુદા રાજ્યોના પ્રવાસ દરમિયાન તે પ્રદેશની ઓળખ સમાન જે વસ્ત્રો હોય તે મને લોકો પ્રેમથી પહેરાવે છે ત્યારે મારા કપડાની મજાક ઉડાવે છે. હું કહું છું કે તમે તમારી માતૃભાષા બોલો. મેં ગેમિંગ બાળકો સાથે પણ વાત કરી અને તેમને સંદેશ આપ્યો કે આજથી તમે જ્યારે પણ સહી કરો ત્યારે તમારી માતૃભાષામાં કરો.

કોંગ્રેસમાં સનાતન વિરુદ્ધ ઝેર ઓકનારા

કોંગ્રેસ જેની સાથે ગાંધીજીનું નામ જોડાયેલું હતું. ઈન્દિરાજી રુદ્રાક્ષની માળા પહેરીને ફરતા હતા, કોંગ્રેસને પૂછવું જોઈએ કે તમે સનાતન વિરુદ્ધ ઝેર ઓકનારાની સાથે કેમ બેઠા છો, આ નફરતમાંથી જ ડીએમકેનો જન્મ થયો હશે. હવે લોકો આ નફરતનો સ્વીકાર પણ નથી કરી રહ્યા, એટલા માટે તેઓ પોતાની રીત બદલી રહ્યા છે. સવાલ તેમને નહીં પણ કોંગ્રેસને છે કે તેમણે કયું મૂળભૂત પાત્ર ગુમાવ્યું છે. બંધારણમાં દરેક જગ્યાએ સનાતનના પ્રતીકો છે. હવે કોંગ્રેસનું શું થયું?

દક્ષિણ અંગે પીએમ મોદીએ કહ્યું કે તમિલનાડુમાં ભાજપની 5 પેઢીઓ વીતી ગઈ છે. કોંગ્રેસે ત્યાં કશું કર્યું નથી. હવે તમિલ લોકો જોઈ રહ્યા છે કે અન્ય રાજ્યોમાં સારું કામ થઈ રહ્યું છે. જ્યારે તમિલ લોકો કાશી સંગમ કાર્યક્રમમાં આવ્યા ત્યારે તેમની વિચારવાની રીત બદલાઈ ગઈ. આથી લોકોમાં ડીએમકે પ્રત્યે ગુસ્સો ઉભો થયો છે. તે ગુસ્સો ભાજપ તરફ સકારાત્મક રીતે વાળવામાં આવી રહ્યો છે.

અન્નામલાઈ યુવાન અને મહેનતુ છે. IPS કારકિર્દી છોડી દીધી છે. લોકો પોતે જ વિચારે છે કે કોઈ આટલી મોટી કારકિર્દી છોડીને ભાજપમાં આવીને જોડાય એનો મતલબ ભાજપમાં કંઈક છે. અમારી પાર્ટી વંશવાદી નથી, એટલા માટે અમે દરેક કાર્યકર્તાને તક આપીએ છીએ.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">