લો બોલો, રાજ્યસભામાં કોંગ્રેસની જીત બાદ, કર્ણાટકમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના લાગ્યા નારા, ભાજપે શેર કર્યો વીડિયો
ભારતીય જનતા પાર્ટી (BJP) એ આરોપ લગાવ્યો છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નેતા નાસિર હુસૈનની જીતની ઉજવણી કરતી વખતે કોંગ્રેસના કાર્યકરોએ વિધાનસભાની અંદર "પાકિસ્તાન ઝિંદાબાદ" ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસે આ દાવાઓને ફગાવી દીધા અને કહ્યું કે તેના કાર્યકરો માત્ર નસીર હુસૈન માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. મંગળવારે કોંગ્રેસે કર્ણાટકમાં રાજ્યસભાની ચારમાંથી ત્રણ બેઠકો જીતી હતી.
રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી તરત જ, બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ, કોંગ્રેસ પાર્ટીના નેતા નાસિર હુસૈનની જીતની ઉજવણી કરતા કોંગ્રેસના કાર્યકરોનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો છે કે તેમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવામાં આવી રહ્યા છે.
માલવિયાએ કહ્યું, “કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રાજકીય સચિવ નસીર હુસૈન કર્ણાટકમાંથી રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસનો પાકિસ્તાન પ્રત્યેનું જુસ્સો ખતરનાક છે. તે ભારતને ભાગલા તરફ લઈ જઈ રહ્યું છે. અમે તેને સહન કરી શકતા નથી. તેમ તેમણે જણાવ્યું છે.”
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર અને કર્ણાટકના નેતા સીટી રવિ સહિત ભાજપના અન્ય ઘણા નેતાઓએ પણ આ જ દાવા સાથે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે.
Pakistan Zindabad slogans raised after Congress’s Naseer Hussein, political secretary of Congress President Mallikarjun Kharge, won Rajya Sabha election from Karnataka.
Congress’s obsession with Pakistan is dangerous. It is taking India towards balkanisation. We can’t afford it. pic.twitter.com/uh49RignSf
— Amit Malviya (@amitmalviya) February 27, 2024
ભાજપના દાવાને નકારી કાઢતા કોંગ્રેસના નેતા નસીર હુસૈને કહ્યું કે તેમણે માત્ર ‘નસીર હુસૈન ઝિંદાબાદ’, ‘કોંગ્રેસ પાર્ટી ઝિંદાબાદ’, ‘નસીર ખાન ઝિંદાબાદ’ અને ‘નસીર સાબ ઝિંદાબાદ’ જેવા નારા સાંભળ્યા છે. “મીડિયામાં જે પણ બતાવવામાં આવ્યું હતું તે મેં સાંભળ્યું નથી. જો મેં સાંભળ્યું હોત, તો મેં વાંધો ઉઠાવ્યો હોત, નિવેદનની નિંદા કરી હોત અને તેની સામે જરૂરી કાર્યવાહીની માંગ કરી હોત,” તેમ નાસીર હુસૈને કહ્યું.
કર્ણાટક ભાજપ દ્વારા સૈયદ નસીર હુસૈન અને તેમના સમર્થકો વિરુદ્ધ વિધાનસભામાં પાકિસ્તાન તરફી નારા લગાવવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી નસીર હુસૈનની જીત બાદ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા પાકિસ્તાની નારા લગાવવામાં આવ્યા હતા. તેની નિંદા કરવાને બદલે, નસીર હુસૈન ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કહે છે કે કોઈ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યું છે, જે વધુ ખતરનાક છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે તે પાકિસ્તાન સાથે મિત્રતા કરતી હતી. હવે તેઓ પાકિસ્તાનને સીધુ સમર્થન આપી રહ્યા છે. તેથી હું આની સખત નિંદા કરું છું અને હું રાહુલ ગાંધીને પૂછું છું કે આ અંગે તેમનો શું અભિપ્રાય છે.