ભૂસ્તરશાસ્ત્રીના મતે જોશીમઠની સ્થિતિ અતિ ગંભીર, 600થી વધુ મકાન-જમીનમા દોઢ-બે ફુટની તિરાડ

ક્લાઈમેટ ચેન્જ પર ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલના તાજેતરના પ્રકાશીત થયેલા અહેવાલમાં જેમણે લેખ લખ્યો છે તે અંજલ પ્રકાશે જણાવ્યું હતું કે, "જોશીમઠની પરિસ્થિતિ એ ખૂબ જ ગંભીર રીમાઇન્ડર છે. લોકો પર્યાવરણ સાથે એટલી હદે રમી રહ્યા છે કે, જૂની પરિસ્થિતિને પુનઃસ્થાપિત કરવી ખુબ જ મુશ્કેલ હશે.

ભૂસ્તરશાસ્ત્રીના મતે જોશીમઠની સ્થિતિ અતિ ગંભીર, 600થી વધુ મકાન-જમીનમા દોઢ-બે ફુટની તિરાડ
According to the geologist the condition of Joshimath is very seriousImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 6:44 AM

ઉત્તરાખંડમાં જોશીમઠ કટોકટી પર, નિષ્ણાતોએ રવિવારે જણાવ્યું હતું કે આ ઘટાડો મુખ્યત્વે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) ના તપોવન વિષ્ણુગઢ હાઇડ્રોપાવર પ્રોજેક્ટને કારણે છે. આ એક ખૂબ જ ગંભીર ચેતવણી છે કે લોકો પર્યાવરણ સાથે એટલી હદે રમી રહ્યા છે કે જૂની સ્થિતિને ફરીથી સ્થાપિત કરવી મુશ્કેલ બનશે. તેમણે કહ્યું કે કોઈપણ આયોજન વિના મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ હિમાલયન ઈકોસિસ્ટમને આબોહવા પરિવર્તનની અસરો માટે વધુ સંવેદનશીલ બનાવી રહ્યું છે. બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ જેવા પ્રખ્યાત તીર્થસ્થળોના પ્રવેશદ્વાર સમા જોશીમઠમાં સેંકડો ઘરોમાં તિરાડો પડી ગઈ છે.

ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) હિમાંશુ ખુરાનાએ રવિવારે જણાવ્યું હતું કે, જોશીમઠને વ્યાપક ભૂસ્ખલન સંભવ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અને 60 થી વધુ અસરગ્રસ્ત પરિવારોને અસ્થાયી રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. જમીન પર પરિસ્થિતિનું નિરીક્ષણ કરતી સમિતિના વડા કુમારે જણાવ્યું હતું કે નુકસાનની સ્થિતિને ધ્યાનમાં લેતા, ઓછામાં ઓછા 90 વધુ પરિવારોને વહેલી તકે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે.

4500માંથી 610 મકાનોમાં તિરાડો પડી છે

તેમણે કહ્યું કે જોશીમઠમાં કુલ 4,500 મકાનો છે, અને તેમાંથી 610 મકાનોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે તે રહેવાલાયક નથી. વર્ષ 1970માં પણ જોશીમઠમાં જમીન ધસી જવાની ઘટનાઓ નોંધાઈ હતી. ગઢવાલના કમિશનર મહેશ ચંદ્ર મિશ્રાની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ 1978માં એક અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે શહેરમાં અને નીતિ અને માના ખીણોમાં મોટા બાંધકામ કાર્ય હાથ ધરવામાં ન આવે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

ક્લાઈમેટ ચેન્જ પર ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલના તાજેતરના પ્રકાશીત થયેલા અહેવાલમાં જેમણે લેખ લખ્યો છે તે અંજલ પ્રકાશે જણાવ્યું હતું કે, “જોશીમઠની પરિસ્થિતિ એ ખૂબ જ ગંભીર રીમાઇન્ડર છે. લોકો પર્યાવરણ સાથે એટલી હદે રમી રહ્યા છે કે, જૂની પરિસ્થિતિને પુનઃસ્થાપિત કરવી ખુબ જ મુશ્કેલ હશે.

તેમણે કહ્યું કે, જોશીમઠ સમસ્યાની બે બાજુઓ છે. પહેલું છે મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, જે હિમાલય જેવા અત્યંત નાજુક ઈકોસિસ્ટમમાં થઈ રહ્યું છે. તે પણ કોઈપણ આયોજન પ્રક્રિયા વિના જ હાથ ધરાયું છે. જ્યાં આપણે પર્યાવરણનું રક્ષણ કરવામાં સક્ષમ છીએ. આમ છતા ઈકોસિસ્ટમને નુકસાન થઈ રહ્યું છે.

અન્ય પરિબળ તરીકે, તેમણે ક્લાઈમેન્ટ ચેન્જને ગણાવ્યુ છે. આબોહવામાં થઈ રહેલા ફેરફારની અસરો ભારતના કેટલાક પર્વતીય રાજ્યોમાં દેખાઈ રહી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, 2013 અને 2021 ઉત્તરાખંડ માટે આપત્તિના વર્ષો રહ્યા છે.

અંજલ પ્રકાશે જણાવ્યું હતું કે, આપણે સૌપ્રથમ સમજવું પડશે કે આ વિસ્તારો ખૂબ જ નાજુક છે અને ઇકોસિસ્ટમમાં નાના ફેરફારો અથવા જરા સરખો વિક્ષેપ પણ ગંભીર આફતો તરફ દોરી જશે, જે આપણે હાલ જોશીમઠમાં જોઈ રહ્યા છીએ.

આપત્તિમાંથી કંઈ શીખ્યા નથી

એચએનબી ગઢવાલ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસર વાયપી સુન્દ્રિયાલે જણાવ્યું હતું કે, સરકારે 2013ની કેદારનાથ દુર્ઘટના અને 2021ના ઋષિ ગંગા પૂરમાંથી કંઈ શીખ્યા નથી. હિમાલય ખૂબ જ નાજુક ઇકોસિસ્ટમ છે. ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારો કાં તો સિસ્મિક ઝોન પાંચ અથવા ચારમાં આવેલા છે, જ્યાં ધરતીકંપનું જોખમ વધારે છે.

તેમણે કહ્યું કે, આપણે કેટલાક મજબૂત નિયમો બનાવવાની અને તેનો સમયસર અમલ કરવાની જરૂર છે. આપણે વિકાસના વિરોધી નથી, પરંતુ આફતોના ભોગે આવું કરવું યોગ્ય નથી. જોશીમઠમાં હાલની કટોકટી મુખ્યત્વે માનવીય પ્રવૃત્તિઓને કારણે છે, એમ તેમણે જણાવ્યું હતું. વસ્તી અનેક ગણી વધી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અનિયંત્રિત રીતે થઈ રહ્યો છે. બ્લાસ્ટિંગ દ્વારા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ માટે ટનલ બનાવવામાં આવી રહી છે, જે ધરતીકંપ, જમીન નીચે ઘસવા અને તિરાડોનું કારણ બને છે.

Latest News Updates

સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">