Mumbai Rain : ભારે વરસાદથી પાણી-પાણી થયું મુંબઈ, 36 ફ્લાઈટ્સ કેન્સલ, જીંદગી થંભી ગઈ

Mumbai Rain Update : આ દિવસોમાં મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. મુંબઈમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત પડી રહેલા વરસાદને કારણે રવિવારે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને ઘણી ફ્લાઈટ્સ પણ રદ કરવી પડી હતી.

Mumbai Rain : ભારે વરસાદથી પાણી-પાણી થયું મુંબઈ, 36 ફ્લાઈટ્સ કેન્સલ, જીંદગી થંભી ગઈ
Mumbai Rain Update
Follow Us:
| Updated on: Jul 22, 2024 | 6:51 AM

Maharashtra Rain Update : મુંબઈમાં પણ છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં રવિવારે સતત ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે અને ઘણી જગ્યાએ લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે રવિવારે 36 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.

ફ્લાઈટોને અમદાવાદ તરફ કરી ડાયવર્ટ

મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું કે, રવિવારે સાંજે 4 વાગ્યા સુધી કુલ 82 મીમી વરસાદ પડ્યો હતો. પાણી ભરાઈ જવાને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ઘણી જગ્યાએ સ્થિતિ વણસી ગઈ હતી. રદ કરાયેલી 36 ફ્લાઈટ્સમાંથી 24 ઈન્ડિગોની, 8 એર ઈન્ડિયાની અને 4 વિસ્તારાની હતી.

અગાઉ 15 જેટલી ફ્લાઈટોને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન રાહતની વાત એ રહી કે લોકલ ટ્રેન ચાલુ રહી છે. જો કે હાર્બર લાઇન પર કેટલીક ટ્રેનો મોડી દોડતી રહી હતી. માનખુર્દ, પનવેલ અને કુર્લા સ્ટેશન પર ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સીએમએ અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી

ઘણા રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે રોડ ટ્રાન્સપોર્ટના રૂટ બદલવામાં આવ્યા હતા. અપ્રિય ઘટનાના ડરને કારણે ટ્રોમ્બેમાં અંધેરી નગર સબવે, ખાર સબવે, મહારાષ્ટ્ર નગર સબવે બંધ રાખવામાં આવ્યો હતો.

મુંબઈના વડાલા અને માટુંગામાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે કલાકો સુધી વાહનો અટવાયા હતા. ભારે વરસાદની સ્થિતિને જોતા સીએમ એકનાથ શિંદેએ તમામ વિભાગોના અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે.

નવી મુંબઈમાં 60 પ્રવાસીઓ ફસાયા છે

નવી મુંબઈના સીબીડી બેલાપુરના સેક્ટર 8માં જય દુર્ગા માતા નગર પાસે 60 પ્રવાસીઓ મજા માણવા ગયા હતા. ડેમની જળસપાટીમાં અચાનક વધારો થતાં તમામ પ્રવાસીઓ ફસાઇ ગયા હતા. જો કે બાદમાં ફાયર બ્રિગેડની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મુંબઈના સિન વિસ્તારમાં રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા. માટુંગા રોડ પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે, આખો બસ સ્ટોપ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">