AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવેન્દ્ર ફડણવીસનુ મોટું નિવેદન, અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યા

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.

દેવેન્દ્ર ફડણવીસનુ મોટું નિવેદન, અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યા
Devendra Fadnavis, Deputy Chief Minister, Maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2024 | 8:09 PM
Share

લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાગઠબંધનની કારમી હાર પર ભાજપે પહેલીવાર મોટી પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્ર બીજેપી વિધાયક દળના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે અજિત પવારના કારણે અમે ખરાબ રીતે હારી ગયા. મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ફડણવીસના આ નિવેદનથી રાજકીય ઉત્તેજના વધી ગઈ છે.

હાર અંગે ફડણવીસે શું કહ્યું?

એક ટીવી કોન્ક્લેવમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં એવી 12 બેઠકો હતી જે અમે માત્ર 3 થી 6 હજાર વચ્ચે મતોથી હારી ગયા. કુલ મતોના તફાવત પર નજર કરીએ તો, અમને મહાવિકાસ આઘાડી કરતાં માત્ર 2 લાખ ઓછા મત મળ્યા છે. કારણ કે અજિત પવાર તરફી મત અમારા મહાગઠબંધનને મળી શક્યા નથી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે, એકનાથ શિંદે જૂથની શિવસેનાએ તેમના તરફી મત સરળતાથી અમારી તરફેણમાં ટ્રાન્સફર કરી દીધા હતા, પરંતુ અમે અજીત પવાર તરફી મતો મેળવી શક્યા નથી. જો અમને અજીત પવારની NCPના મત પૂરતી સંખ્યામાં મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમા આટલી ખરાબ રીતે હાર્યા ના હોત. દેવેન્દ્ર ફડણવીસના કહેવા પ્રમાણે, અજિત પવાર સાથેના ગઠબંધનથી ભાજપના લોકો સહજ ના હતા, પરંતુ હવે પરિસ્થિતિ સુધરી છે. દરેક વ્યક્તિ જાણે છે કે, ગઠબંધન જરૂરી છે અને અમે ભવિષ્યમાં સાથે મળીને કામ કરીશું.

ભાજપે પહેલીવાર અજિત પવાર પર નિશાન સાધ્યું

લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એનડીએના નબળા દેખાવ બાદ આ પ્રથમ વખત બન્યું છે કે ભાજપના વરિષ્ઠ નેતાએ હાર માટે અજિત પવાર અને તેમની પાર્ટીને જવાબદાર ગણાવી છે. આ પહેલા પણ નાના કક્ષાના નેતાઓ અજિત પવારને નિશાન બનાવી રહ્યા છે.

જો કે, લોકસભાની ચૂંટણી પછી આરએસએસ સાથે જોડાયેલા મેગેઝિન ઓર્ગેનાઈઝરે અજિત પવાર પર ચોક્કસ નિશાન સાધ્યું હતું. ઓર્ગેનાઈઝરે લખ્યું હતું કે જો અજીતને લેવામાં મહાગઠબંધનમાં લેવામાં આવ્યા ના હોત તો નુકસાન ઓછું થાત. મેગેઝીને અજીત પવારને એનડીએમાં લાવનારા નેતાઓ ઉપર પણ નિશાન સાધ્યું હતું.

મહારાષ્ટ્રમાં મહાયુતિની 17 બેઠકો ઘટી

2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળનું મહાગઠબંધન મહારાષ્ટ્રમાં 17 બેઠકો સુધી મર્યાદિત હતું. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે. 17માંથી ભાજપ પાસે 9, શિવસેના પાસે 7 અને એનસીપી પાસે માત્ર 1 સીટ છે.

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની હારનો આ સૌથી ખરાબ સ્ટ્રાઈક રેટ છે. ભાજપ 28 સીટો પર લડ્યા બાદ માત્ર 9 બેઠકો જ જીતી શકી હતી. એ જ રીતે શિવસેના (શિંદે) 15 બેઠકો પર ચૂંટણી લડવામાં સફળ રહી હતી અને 7 બેઠકો જીતી હતી, જ્યારે NCP અજિત જૂથ પાસે 4 બેઠકો હતી અને તે માત્ર એક જ બેઠક જીતી શક્યું હતું.

મહારાષ્ટ્રમાં ઈન્ડિયા એલાયન્સે 30 સીટો જીતી હતી. કોંગ્રેસે સૌથી વધુ 13 સીટો, ઠાકરે જૂથના શિવસેનાએ 9 અને શરદ પવાર જૂથના એનસીપીએ 8 બેઠકો પર વિજય વાવટા ફરકાવ્યા હતા.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">