AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Antilia Bomb Case: પૂર્વ પોલીસકર્મી શિંદેને જામીન આપવાનો કોર્ટે કર્યો ઈનકાર, કહ્યું- કાવતરામાં સામેલ હતા, પેરોલનો દુરુપયોગ કર્યો

કોર્ટના આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના નકલી એન્કાઉન્ટર કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા શિંદે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એન્ટીલિયા બોમ્બ ઘટના સમયે પેરોલ પર બહાર હતા.

Antilia Bomb Case: પૂર્વ પોલીસકર્મી શિંદેને જામીન આપવાનો કોર્ટે કર્યો ઈનકાર, કહ્યું- કાવતરામાં સામેલ હતા, પેરોલનો દુરુપયોગ કર્યો
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 10:32 AM
Share

મહારાષ્ટ્રની (Maharashtra) આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની વિશેષ અદાલતે શનિવારે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પોલીસકર્મી વિનાયક શિંદે (Ex Cop Vinayak Shinde) પ્રથમ નજરે તેમને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાન પાસે વિસ્ફોટક રાખવાના ષડયંત્રમાં ભાગ લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે પોલીસકર્મીએ જાણી જોઈને મંજૂર કરાયેલ પેરોલનો દુરુપયોગ કર્યો હતો. તેને બનાવટી એન્કાઉન્ટર કેસમાં તે જ સમયે વિશેષ ન્યાયાધીશ એટી વાનખેડેએ મંગળવારે શિંદેને જામીન આપવાનો ઈનકાર કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

શનિવારે આવેલા કોર્ટના આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના નકલી એન્કાઉન્ટર કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા શિંદે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એન્ટીલિયા બોમ્બ ઘટના સમયે પેરોલ પર બહાર હતા. ભૂતપૂર્વ પોલીસકર્મીએ આ આધાર પર જામીન માંગ્યા હતા કે તેને આ કેસમાં “ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો” અને માત્ર “અનુમાન અને ધારણા” ના આધારે આરોપી બનાવ્યો હતો. આ દરમિયાન શિંદેએ પોતાના વકીલ દ્વારા કહ્યું હતું કે શરૂઆતમાં તેમનું નામ નહોતું અને ન તો ચાર્જશીટમાં એવું કંઈ હતું જે આરોપીની ધરપકડને યોગ્ય ઠેરવી શકે.

આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે

તે જ સમયે, ફરિયાદ પક્ષે શિંદેની અરજીનો વિરોધ કરતા કહ્યું કે આરોપી સીધા જ ગુનામાં સામેલ છે. એમ પણ કહ્યું હતું કે શિંદે સામે એવા આરોપો છે કે તેઓ સ્વેચ્છાએ અન્ય આરોપી (સચિન વાજે) દ્વારા રચાયેલા સંગઠિત અપરાધના કથિત કાવતરામાં સામેલ થયા હતા. આવી સ્થિતિમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે કહ્યું કે તે સાચું છે કે આરોપી હત્યાના કેસમાં દોષી છે અને તે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

પેરોલ દરમિયાન શિંદેએ સચિન વાજેનો સંપર્ક કર્યો હતો

જણાવી દઈએ કે એનઆઈએની સ્પેશિયલ કોર્ટે કહ્યું કે પેરોલ દરમિયાન તેણે સચિન વાજેનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ કેસમાં સામેલ સાક્ષી અને બાર માલિકોનો પણ વાજે સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. તેણે તે સાક્ષી પાસેથી પૈસા પણ પડાવી લીધા. એટલું જ નહીં, શિંદેએ ‘પોલીસ કોન્સ્ટેબલ વિનય’ હોવાનું નાટક કર્યુ. કોર્ટે કહ્યું કે તે અરજદાર/આરોપીનું ગુનાહિત વર્તન દર્શાવે છે. વધુમાં ન્યાયાધીશે જણાવ્યું હતું કે કાર્માઈકલ રોડ (એન્ટિલિયા પાસે) પર જિલેટીન વાહન મૂકવાની અને મનસુખ હિરણની હત્યાનું કાવતરું ઘડવા માટે એકલા સચિન વાજેની દલીલ સ્વીકારી શકાય નહીં.

કોર્ટનો દાવો – શિંદેએ જાણી જોઈને આપેલી પેરોલનો દુરુપયોગ કર્યો

આ દરમિયાન કોર્ટે કહ્યું કે તે પુરાવા હોઈ શકે છે કે અરજદારને (શિંદે) ષડયંત્રના અંતિમ પરિણામવિશે જાણકારી ના હોય, પરંતુ, તે તેમાં જોડાયો છે અને મંજૂર કરાયેલ પેરોલનો જાણી જોઈને દુરુપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 25 ફેબ્રુઆરી, 2021ના રોજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે એક સ્કોર્પિયો વાહન ગાડી મળી આવી હતી, જેમાં વિસ્ફોટકો એટલે કે જિલેટીન સ્ટીક રાખવામાં આવી હતી. ત્યારપછી મનસુખ હિરેને દાવો કર્યો હતો કે આ વાહન ચોરાયુ તે પહેલા તેના કબજામાં હતું. જ્યાં થોડા દિવસો પછી 5 માર્ચ, 2021ના ​​રોજ હિરેનનો મૃતદેહ થાણે જિલ્લામાં એક નાળામાંથી મળી આવ્યો હતો. જોકે, હવે એટીએસ મહારાષ્ટ્ર આ કેસની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Surat: પોલીસની SHE ટીમના ‘ગુડ ટચ-બેડ ટચ’ની સમજના અભિયાન બાદ વિદ્યાર્થિનીએ કહી તેની સાથે બનેલા દુષ્કર્મની હકીકત, પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">