AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે જાણો છો, વર્ષોથી તમે જે સંભાર આરોગો છો તે દક્ષિણ ભારતીય વાનગી નથી? મહારાષ્ટ્રના જાણીતા રાજા સાથે જોડાયેલો છે ઈતિહાસ

સંભાર ખાનારા મોટાભાગના લોકો માને છે કે તે દક્ષિણ ભારતીય વાનગી છે. પરંતુ આ બિલકુલ સત્ય નથી. વાસ્તવમાં આ એક મરાઠી વાનગી (Marathi dish) છે.

શું તમે જાણો છો, વર્ષોથી તમે જે સંભાર આરોગો છો તે દક્ષિણ ભારતીય વાનગી નથી? મહારાષ્ટ્રના જાણીતા રાજા સાથે જોડાયેલો છે ઈતિહાસ
history of Sambar (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 3:49 PM
Share

ઈડલી, વડા અને ઢોંસા બધા એક વસ્તુ વગર અધૂરા છે, તે છે સંભાર (Sambhar). સંભાર વિના તેમનો ટેસ્ટ અધૂરો લાગે છે. સંભાર લોકોની પસંદગીની વસ્તુ છે, પરંતુ તે ક્યારેય એકલા પીરસવામાં આવતું નથી. સંભાર ખાનારા મોટાભાગના લોકો માને છે કે તે દક્ષિણ ભારતીય વાનગી છે. પરંતુ આ બિલકુલ સત્ય નથી. વાસ્તવમાં આ એક મરાઠી વાનગી (Marathi dish) છે.

અશ્ચર્ય થયું ને? પરંતુ તેનો ઈતિહાસ જાણ્યા પછી તમે પણ આ જ વાત કહેશો

સંભારનો ઈતિહાસ જાણવા માટે તમારે મહારાષ્ટ્રના બહાદુર યોદ્ધા છત્રપતિ શિવાજીના સમયમાં જવું પડશે. તે દિવસોની વાત છે, જ્યારે તમિલનાડુના તંજાવુરમાં પણ મરાઠાઓનું શાસન હતું, ત્યારે શિવાજીના પુત્ર સંભાજી ત્યાં રહેતા શાહુજી મહારાજને મળવા ગયા હતા. સંભાજીને મરાઠી વાનગી આમટી ખૂબ જ પસંદ હતી. તેથી, તેમના સ્વાગતમાં શાહુજીએ તેમના શાહી રસોઈયાઓને આમટી તૈયાર કરવાનો આદેશ આપ્યો. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આમટી એક ખાટી વાનગી છે જેને મગની દાળ અને કોકમ ઉમેરીને બનાવવામાં આવે છે.

પરંતુ તે દિવસે શાહી રસોડામાં મગની દાળ ખાલી થઈ ગઈ અને ત્યાં કોઈ કોકમ (મહારાષ્ટ્રમાં મળતા ખાટા ફળ) નહોતા. તેથી જ રસોઈયાએ વટાણા અને તુવેર દાળની વાનગી આમલી નાખી તૈયાર કરી. જ્યારે તે સંભાજીને પીરસવામાં આવ્યું, ત્યારે તેને તેનો સ્વાદ ગમ્યો. જો કે, રસોઈયાએ તેમને કહ્યું કે તે કેવી રીતે તૈયાર કરવામાં આવી છે. હવે આ એક નવી વાનગી હતી. તેથી તે જ સમયે તેનું નામ પણ રાખવામાં આવ્યું હતું. તેનું નામ સાંભર હતું. કારણ કે તે સંભાજી મહારાજ માટે બનાવવામાં આવ્યું હતું.

ત્યારથી આ વાનગી લોકોને તેના દિવાના બનાવી રહી છે. જેઓ મહારાષ્ટ્રના છે તેઓ જાણતા હશે કે મરાઠી ખોરાક હજુ પણ તમિલનાડુ અથવા દક્ષિણના કેટલાક ભાગોના ભોજનમાં જોવા મળે છે. કારણ એ છે કે ત્યાં મરાઠાઓનું શાસન હતું. એટલું જ નહીં તેમની બોલીમાં જૂની મરાઠી ભાષાના શબ્દો પણ સંભળાય છે અને આમ લોકો દક્ષિણ ભારતીય વાનગી સાથે સંભાર આરોગવા લાગ્યા અને તેને દક્ષિણ ભારતની વાનગી સમજવા લાગ્યા

હવે જ્યારે કોઈ તમને પૂછે કે સાંબર ક્યાંનો છે, તો તેને આ હકીકત જણાવવાનું ભૂલશો નહીં.

આ પણ વાંચો :‘The Kashmir Files’ને મહારાષ્ટ્રમાં ટેક્સ ફ્રી કરવા સંજય રાઉતનો ઈન્કાર, કહ્યુ-બાળાસાહેબ પર બનેલી ફિલ્મ પણ નહોતી કરાઈ ટેક્સ ફ્રી

આ પણ વાંચો :Ranji Trophy: ઝારખંડે તોડ્યો 73 વર્ષ જુનો રેકોર્ડ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1000 રનની લીડ મેળવનાર પહેલી ટીમ બની

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">