Breaking News : 14 કારીગર અને 3 વર્ષની મહેનત…. નીતા અંબાણીના અમ્રપાલી ભારતમ હાર પાછળ છુપાયેલું છે મોટું રહસ્ય
અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવ દરમિયાન નીતા અંબાણીએ અમ્રપાલી ભારતમ નામનો આકર્ષક નેકલેસ પહેર્યો હતો. આ અનોખા અને ભવ્ય દાગીનાની પાછળની કહાની પણ એટલી જ રસપ્રદ છે.

એન્ટિલિયા ખાતે યોજાયેલા અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવમાં નીતા અંબાણીના લુક એ સૌનું ધ્યાન ખેંચી રહ્યો હતો. સ્વદેશની વાઇબ્રન્ટ સિલ્ક સાડીમાં નીતા અંબાણીએ પોતાના પરંપરાગત લુકને એક ખાસ અને આકર્ષક જ્વેલરી પીસ સાથે પૂર્ણ કર્યો હતો.
આ નેકલેસનું નામ અમ્રપાલી ભારતમ છે. તે માત્ર એક સામાન્ય સ્ટેટમેન્ટ નેકલેસ નથી. તેમાં ભારતના અલગ-અલગ સમયગાળાના એન્ટિક અને વિન્ટેજ દાગીનાના અનેક ટુકડાઓને એકસાથે જોડીને એક ભવ્ય રચના તૈયાર કરવામાં આવી છે.
નીતા અંબાણીનો નેકલેસ શા માટે છે ખાસ?
અમ્રપાલી ભારતમના કેન્દ્રમાં પરંપરાગત કેરળ નેકલેસ છે. જે આ જ્વેલરીના ઉપરના ભાગમાં જોવા મળે છે. તેની આસપાસ દક્ષિણ ભારતના અનેક વિન્ટેજ આભૂષણો સામેલ કરવામાં આવ્યા છે. તેમાં નથ, ઝૂમર, ઇયરિંગ્સ, બિલા અને ચાંદબાલી જેવા દાગીનાનો સમાવેશ થાય છે.
આ તમામ આભૂષણોને છુપાવવાને બદલે ડિઝાઇનમાં દરેક દાગીનાને પોતાની અલગ ઓળખ સાથે રજૂ કરવામાં આવ્યો છે. મોતી અને વિવિધ રંગોના રત્નો દ્વારા આ અલગ-અલગ આભૂષણોને એકબીજા સાથે જોડવામાં આવ્યા છે, જેના કારણે નેકલેસને ભવ્ય અને લેયર્ડ લુક મળે છે.
આ નેકલેસની સૌથી રસપ્રદ બાબત એ છે કે તેમાં સામેલ દાગીના મૂળરૂપે એક જ સેટના ભાગ તરીકે બનાવવામાં આવ્યા નહોતા. આ આભૂષણો અલગ-અલગ સમયગાળાના હતા અને દરેકની પોતાની આગવી ડિઝાઇન હતી. બાદમાં તેમને એકસાથે લાવીને આ અનોખી રચના તૈયાર કરવામાં આવી.
હાથથી તૈયાર કરવામાં આવ્યો ભવ્ય નેકલેસ
અમ્રપાલી જ્વેલ્સના CEO અને ક્રિએટિવ ડિરેક્ટર તરંગ અરોરાના જણાવ્યા અનુસાર, અમ્રપાલી ભારતમ જેવી રચના માત્ર કાગળ પર ડિઝાઇન બનાવીને તૈયાર કરી શકાય તેવી નથી.
આ જ્વેલરીના અલગ-અલગ ટુકડાઓને વાસ્તવમાં એકબીજાની સાથે મૂકવામાં આવ્યા અને તેઓ એક જ રચનાનો ભાગ લાગે ત્યાં સુધી વારંવાર તેમની ગોઠવણી બદલવામાં આવી. પાછળના ભાગમાં લગાવવામાં આવેલી મોતીની લડીઓ પણ આ જ હેન્ડ્સ-ઓન પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
આ સમગ્ર પ્રક્રિયાના કારણે નેકલેસને તેની આગવી ઓળખ મળી છે. પરંપરાગત નેકલેસમાં જોવા મળતી એકસરખી અને સંપૂર્ણ સમપ્રમાણતાની જગ્યાએ અહીં દરેક ભાગનો પોતાનો આકાર, ટેક્સચર અને ઇતિહાસ જોવા મળે છે.
ત્રણ વર્ષ સુધી ચાલ્યું કામ
આટલી ભવ્ય રચના તૈયાર કરવામાં લાંબો સમય લાગવો સ્વાભાવિક છે. અહેવાલો અનુસાર, અમ્રપાલી ભારતમમાં ઉપયોગમાં લેવાયેલા એન્ટિક અને વિન્ટેજ જ્વેલરીના ટુકડાઓને ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન એકત્રિત કરવામાં આવ્યા હતા.
દાગીનાના ટુકડાઓ એકત્ર થયા બાદ 14 માસ્ટર કારીગરોએ અનેક મહિના સુધી મહેનત કરીને તેમને એકસાથે જોડ્યા. તેમની સામે સૌથી મોટો પડકાર એ હતો કે જે દાગીના મૂળરૂપે ક્યારેય એકબીજા સાથે પહેરવા માટે બનાવવામાં આવ્યા નહોતા, તેમને એક સુમેળભરી અને ભવ્ય રચનામાં ફેરવવાના હતા.
જુઓ Video
View this post on Instagram
