જોખમમાં છે જોશીમઠ, દર વર્ષે 2.5 ઇંચ જમીન ધસી રહી છે, રિમોટ સેન્સિંગ રિપોર્ટમાં થયો ખુલાસો

આ અભ્યાસ જુલાઈ 2020 થી માર્ચ 2022 વચ્ચે સેટેલાઇટ તસવીરોના આધારે કરવામાં આવ્યો છે. સેટેલાઇટ ઈમેજ દર્શાવે છે કે જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારો ધીમે ધીમે ધસી રહ્યા છે.

જોખમમાં છે જોશીમઠ, દર વર્ષે 2.5 ઇંચ જમીન ધસી રહી છે, રિમોટ સેન્સિંગ રિપોર્ટમાં થયો ખુલાસો
Joshimath's cracked roads Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 8:13 AM

Joshimath Disaster : ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે સેંકડો પરિવારોએ તેમના ઘર ખાલી કરીને અન્ય સ્થળે સ્થળાંતર કરવું પડ્યું છે. અસરગ્રસ્તો સતત સરકારને નિશાન બનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારની ખોટી નીતિઓને કારણે આજે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS) તરફથી એક રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ આપત્તિ અચાનક આવી નથી. છેલ્લા બે વર્ષથી જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રતિ વર્ષ 6.5 સેમી એટલે કે 2.5 ઈંચ લેખે જમીન ધસી રહી છે.

આ અભ્યાસ દેહરાદૂન સ્થિત સંસ્થા દ્વારા સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે. આ અભ્યાસ મુજબ જોશીમઠ અને તેની આસપાસના ઘણા વિસ્તારો અત્યંત સંવેદનશીલ છે. આ અભ્યાસ જુલાઈ 2020 થી માર્ચ 2022 વચ્ચે સેટેલાઇટ તસવીરોના આધારે કરવામાં આવ્યો છે. સેટેલાઇટ ઈમેજ દર્શાવે છે કે, જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારો ધીમે ધીમે ધસી રહ્યા છે.

જોશીમઠમાં પરિસ્થિતિની સમીક્ષા કરતી નેશનલ ક્રાઈસીસ મેનેજમેન્ટ કમિટી

દરમિયાન, નેશનલ ક્રાઈસીસ મેનેજમેન્ટ કમિટી (NCMC) એ જોશીમઠની પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે. ખાસ કરીને જ્યાં ઈમારતો અને અન્ય માળખામાં તિરાડો પડી ગઈ છે, તેવી ઈમારતો અને મકાનોને અલગ કરવા અને અસરગ્રસ્તોને સુરક્ષિત વિસ્તારમાં સ્થળાંતર સુનિશ્ચિત કરવા તાત્કાલિક પ્રાથમિકતા હાથ ધરાઈ છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે NCMCની બેઠકમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તિરાડ પડેલ સંવેદનશીલ માળખાને સુરક્ષિત રીતે તોડી પાડવાના કામને પ્રાથમિકતા આપવી જોઈએ. એનસીએમસીએ કહ્યું કે જીઓટેક્નિકલ, જીઓફિઝિકલ અને હાઇડ્રોલોજિકલ સહિત તમામ અભ્યાસ અને તપાસ સંકલિત અને સમયબદ્ધ રીતે પૂર્ણ થવી જોઈએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઉત્તરાખંડના મુખ્ય સચિવે માહિતી આપી

ઉત્તરાખંડના મુખ્ય સચિવે, એનસીએમસીને હાલની પરિસ્થિતિ વિશે વિગતે માહિતી આપી હતી. ગંભીર રીતે નુકસાન થયેલા ઘરોના રહેવાસીઓને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત પરિવારોને આશ્રયસ્થાન આપવા માટે જોશીમઠ અને પીપલકોટી ખાતે રાહત સ્થળોની ઓળખ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર આપવા સાથે રાહત પગલાં ભરવામાં આવી રહ્યા છે.

મુખ્ય સચિવે સમિતિને જાણ કરી હતી કે, જોશીમઠ-ઓલી રોપવેનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે અને જોશીમઠ નગરપાલિકા વિસ્તારમાં અને તેની આસપાસનું બાંધકામ આગળના આદેશો સુધી બંધ કરી દેવા જણાવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રને તેમના રાહત અને પુનર્વસન પ્રયાસોમાં મદદ કરવા માટે નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. કેબિનેટ સચિવે, ઉત્તરાખંડના મુખ્ય સચિવને ખાતરી આપી કે, તમામ કેન્દ્રીય એજન્સીઓ જરૂરી સહાય માટે ઉપલબ્ધ રહેશે.

( વીથ ઇનપુટ-ભાષા-પીટીઆઈ)

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">