AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સપના ક્યાંથી શરૂ થાય છે અને યાદ કેમ નથી રહેતા, જાણો તેનું કારણ

REM (rapid eye movement) દરમિયાન માનવ મગજમાં રક્ત પરિભ્રમણ ખૂબ ઝડપી બને છે. પ્રારંભિક તબક્કામાં સપનામાં કોઈ સ્પષ્ટ માળખું હોતું નથી, તે કંઈક એવું છે કે ટીવી સિગ્નલ ન મળી રહ્યું.

સપના ક્યાંથી શરૂ થાય છે અને યાદ કેમ નથી રહેતા, જાણો તેનું કારણ
Dream
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 4:13 PM
Share

આપણે બધા સપના જોઈએ છીએ. ઘણા લોકોને સપના યાદ હોય છે અને ઘણા લોકોને ખબર હોય છે કે સ્વપ્ન રાત્રે આવ્યું હતું પરંતુ સ્વપ્નમાં શું જોયું તે યાદ નથી. ખૂબ જ મજાની વાત એ છે કે જે લોકો સપના (Dream)ને યાદ કરે છે તેઓને સપનાનો અંત પણ યાદ હોય છે, પરંતુ દુનિયાના કોઈ માણસને એ યાદ નથી હોતું કે સપનું ક્યાંથી શરૂ થયું. પ્રશ્ન એ છે કે આવું કેમ થાય છે. આજે અમે તમને સપનાના જાદુ વિશે જણાવા જઇ રહ્યા છીએ કે શા માટે સપના યાદ નથી રહેતા.

આ એક ચોંકાવનારું સત્ય છે કે આજે પણ સપનાને લઈને દુનિયામાં સંશોધનો ચાલી રહ્યા છે અને વૈજ્ઞાનિકોના પોતાના તારણો છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો સપના વિશે કોઈ એક અભિપ્રાય પર સહમત નથી. મેડિકલ સાયન્સ કહે છે કે રેપિડ આઈ મૂવમેન્ટ (REM)થી પણ સપના આવે છે. REM દરમિયાન આખું શરીર સૂઈ જાય છે પરંતુ બંધ આંખો અંદરથી ઝડપથી ફફડતી હોય છે. કોઈપણ મનુષ્યમાં, આ સમયગાળો મહત્તમ 90 મિનિટનો હોય છે.

સપના શું છે ? શા માટે આવે છે ? જાણો આનું વૈજ્ઞાનિક કારણ

REM (rapid eye movement) દરમિયાન માનવ મગજમાં રક્ત પરિભ્રમણ ખૂબ ઝડપી બને છે. પ્રારંભિક તબક્કામાં સપનામાં કોઈ સ્પષ્ટ માળખું હોતું નથી. તે કંઈક એવું છે કે ટીવી સિગ્નલ ન મળી રહ્યું. થોડા સમય પછી, જ્યારે રક્ત પરિભ્રમણ થોડું ઓછું થાય છે, ત્યારે અર્ધજાગ્રત મનની રચના સ્પષ્ટ થાય છે અને ચિત્ર દેખાય છે. સ્વપ્નની આ અવસ્થા જ યાદ આવે છે.

મનોવિજ્ઞાનના પ્રોફેસર અને લેખક ડેઇડ્રે બેરેટ કહે છે કે રાસાયણિક ઘટક નોરેડ્રેનાલિન પણ અર્ધજાગ્રત અવસ્થામાં જોયેલા સપનાની યાદોનું કારણ બને છે. નોરાડ્રેનાલિન એક હોર્મોન છે જેના કારણે મન કોઈ કામમાં વ્યસ્ત થઈ જાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સ્લીપ રિસર્ચર રોબર્ટ સ્ટીકગોલ્ડ કહે છે કે જે વ્યક્તિના મગજમાં વર્કલોડ ન હોય તેને જ સપના યાદ રહે છે. તણાવ અને ચિંતાની સ્થિતિમાં આવતા સપના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને ક્યારેક પેરાલિસિસના હુમલાનું કારણ પણ બને છે. તેથી જ વડીલો કહે છે કે આવા સપના આવે ત્યારે પથારી છોડી દેવી જોઈએ અને ઊંઘતા પહેલા પાણી પીવું જોઈએ.

Follow Us
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">