AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમિતાભ બચ્ચનને શું થયું? મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જાણો હેલ્થ અપડેટ

બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેની સાથે જોડાયેલા એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તેમને મુંબઈની એક નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તો ચાલો જાણી અમિતાભ બચ્ચનનું હેલથ અપડેટ શું છે.

Breaking News : અમિતાભ બચ્ચનને શું થયું? મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જાણો હેલ્થ અપડેટ
| Updated on: May 20, 2026 | 7:50 AM
Share

બોલિવુડના મહાનાયક અને ચાહકોના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને લઈ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ સાથે જોડાયેલા સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ચિંતા કરવાની કોઈ વાત નથી. તે રુટિન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા. હવે તે સ્વસ્થ છે. અમિતાભ બચ્ચન બોલિવુડના એક એવા અભિનેતા છે. જે પાંચ દાયકાથી વધુ લાંબા સમય સુધી લોકોનું મનોરંજન કરતા આવી રહ્યા છે.

અમિતાભ બચ્ચન ફિલ્મો દ્વારા તો લોકોનું મનોરંજન કરે છે. સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા હોય છે. ચાહકો તેની પોસ્ટ પર લાઈક ,કોમેન્ટ કરતા હોય છે. બિગ બી અનેક વખત એવી પોસ્ટ કરે છે. જેને વાંચી લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે, તે શું કહી રહ્યા છે.18 મેના રોજ તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતુ. જ્યારે 2 લોકો ઝગડે છે તો ત્રીજાની જીત થાય છે.

ઘરની બહાર આવી ચાહકો સાથે કરી મુલાકાત

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર તો લોકો સાથે જોડાયેલા છે. સાથે તે દર રવિવારે પોતાના ઘર જલસાની બહાર આવી ચાહકો સાથે મુલાકાત કરે છે. આ રવિવારે 17મેના રોજ પણ તેઓ જલસાની બહાર આવ્યા હતા. લોકો તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે.

પોતાના 57 વર્ષના કરિયરમાં અમિતાભ બચ્ચને કરોડો ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. વર્ષ 1996માં તેમણે સાત હિન્દુસ્તાની નામની ફિલ્મ દ્વારા પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેઓ 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફિલ્મ લોકોને ખુબ પસંદ આવે છે. અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરમાં પણ સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.અમિતાભ બચ્ચનના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મળતા જ લોકોએ તેમના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.

Amitabh Bachchan Family Tree: અમિતાભ પરિવારના આ લોકોને તમે ઓળખતા નહિ હોય, અહીં જુઓ બચ્ચનનો આખો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
g clip-path="url(#clip0_868_265)">