Russia Ukraine યુદ્ધનો પ્રથમ દિવસ, યુક્રેન એકલુ પડી ગયુ, ચારે તરફ તબાહીના દ્રશ્યો વચ્ચે 137નાં મોત, જાણો 10 મોટી વાત

રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર ઘાતક હુમલા કર્યા છે તેના બોમ્બ ધડાકામાં માત્ર સૈનિકો જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ માર્યા ગયા હતા.

Russia Ukraine યુદ્ધનો પ્રથમ દિવસ, યુક્રેન એકલુ પડી ગયુ, ચારે તરફ તબાહીના દ્રશ્યો વચ્ચે 137નાં મોત, જાણો 10 મોટી વાત
Russia Ukraine First day of the war
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:48 AM

Russia Ukraine War day First: રશિયાએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર તેના દક્ષિણ પાડોશી યુક્રેન પર જોરદાર હુમલો શરૂ કર્યો છે. ગુરુવારે, યુદ્ધના પ્રથમ દિવસે, યુક્રેનની સેનાએ ત્રણ મોરચે રશિયન આક્રમણકારોનો સામનો કર્યો. આ લડાઈ એટલી ઘાતક છે કારણ કે બીજા વિશ્વ યુદ્ધ પછી આટલો મોટો હુમલો થઈ રહ્યો છે.રશિયાએ આ દેશ પર જમીન, સમુદ્ર અને હવા દ્વારા હુમલો કર્યો (Russia Attack Ukraine). અહેવાલો અનુસાર રશિયા યુક્રેનના તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યું છે. રશિયન સેના યુક્રેનમાં જ્યાંથી શક્ય છે ત્યાંથી પ્રવેશ કરી રહી છે. અહીં જાણો આ યુદ્ધ સાથે જોડાયેલી 10 મોટી વાતો.

એએફપી અનુસાર, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનું કહેવું છે કે યુદ્ધના પહેલા દિવસે 137 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે રશિયા સામે લડવા માટે યુક્રેન “એકલું પડ્યું” છે. ઝેલેન્સકીએ ટ્વિટર પર કહ્યું, “રશિયા દુષ્ટતાના માર્ગ પર છે, પરંતુ યુક્રેન પોતાનો બચાવ કરી રહ્યું છે અને તેની સ્વતંત્રતા છોડશે નહીં.” 10 લશ્કરી અધિકારીઓ સહિત 137 “હીરો” માર્યા ગયા છે અને 316 લોકો ઘાયલ થયા છે.’

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેન પર આક્રમણના પ્રથમ દિવસે તમામ લક્ષ્યો હાંસલ કરી લેવામાં આવ્યા હતા. તે જ સમયે, રશિયાએ યુક્રેનમાં જમીન પરના 83 જમીન આધારિત લક્ષ્યોને નિશાન બનાવીને નષ્ટ કર્યા છે. તે જ સમયે, યુક્રેનિયન પોલીસે કહ્યું કે યુદ્ધની શરૂઆતથી રશિયાએ 203 હુમલા કર્યા છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

પહેલા દિવસે રશિયાએ યુક્રેન પર મિસાઈલ ફેંકી હતી. યુક્રેને કહ્યું કે રશિયા અને બેલારુસ સાથેની સરહદોની પેલે પાર ઉત્તરી અને પૂર્વીય ભાગોમાં સૈનિકોની હાજરી છે. તેઓ દક્ષિણ-પશ્ચિમમાં કાળો સમુદ્ર અને દક્ષિણ-પૂર્વમાં એઝોવ સમુદ્રના કિનારે પણ ઉતર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેમણે “હિંસાનો તાત્કાલિક અંત” કરવાની અપીલ કરી. ભારત સરકારે પણ દેશમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસો તેજ કર્યા છે.

સાંજ પડતા સુધીમાં, જમીન પરના યુદ્ધનું ચિત્ર ઝાંખું થઈ ગયું. ન્યૂઝ એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે ઉત્તરપૂર્વમાં સુમી અને ખાર્કિવ અને દક્ષિણમાં ખેરસન અને ઓડેસામાં ભીષણ લડાઈ ચાલી રહી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકારે જણાવ્યું હતું કે રશિયન દળોએ રાજધાનીથી માત્ર 90 કિલોમીટર ઉત્તરમાં આવેલા ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ અને કિવમાં હોસ્ટોમેલ એરપોર્ટ પર કબજો કર્યો હતો, જ્યાં પેરાટ્રૂપર્સ પ્રથમ ઉતર્યા હતા. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ નાગરિકોને તેમના દેશની રક્ષા કરવા હાકલ કરી અને કહ્યું કે જે પણ લડવા માટે તૈયાર છે તેને શસ્ત્રો આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ પુતિને ગુરુવાર (24 ફેબ્રુઆરી) ની વહેલી સવારે પૂર્વીય યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં “લશ્કરી કાર્યવાહી” ની જાહેરાત કરી. ત્યારે કિવમાં લાખો લોકોએ વિસ્ફોટ અને ગોળીબારના અવાજો સાંભળ્યા. ચારે બાજુ અંધાધૂંધી હતી. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. જેના કારણે હાઈવે પરના વાહનવ્યવહારને અસર થઈ હતી. પુતિને મોસ્કોમાં ઉદ્યોગપતિઓને કહ્યું કે તેમની પાસે હુમલો જાહેર કરવા સિવાય “કોઈ વિકલ્પ” નથી.

અહેવાલો અનુસાર, રશિયન બોમ્બ ધડાકામાં યુક્રેનના નાગરિકો અને સરહદની રક્ષા કરતા સીમા રક્ષકોના મોત થયા છે. દક્ષિણી ઓડેસા ક્ષેત્રના અધિકારીઓએ જણાવ્યું કે મિસાઈલ હુમલામાં 18 લોકો માર્યા ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે કિવ નજીકના બ્રોવરી ટાઉનમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. તે જ સમયે, યુક્રેનમાં એક પ્લેન નીચે ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

યુક્રેનની સૈન્યએ જણાવ્યું હતું કે તેણે ખાર્કીવ નજીક ચાર રશિયન ટેન્કોનો નાશ કર્યો હતો, લુહાન્સ્ક ક્ષેત્રમાં એક શહેર નજીક 50 સૈનિકોને મારી નાખ્યા હતા અને પૂર્વમાં છ રશિયન યુદ્ધ વિમાનોને તોડી પાડ્યા હતા. જ્યારે રશિયાએ તેના એરક્રાફ્ટ અથવા સશસ્ત્ર વાહનોનો નાશ કરવામાં આવ્યો હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. રશિયન સમર્થિત અલગતાવાદીઓએ યુક્રેનના બે વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો છે.

યુએસ પ્રમુખ જો બિડેને રશિયન કાર્યવાહીને “ઉશ્કેરણી વગરનો અને બિનજરૂરી હુમલો” ગણાવ્યો અને “મજબૂત પ્રતિબંધો” અને નિકાસ પ્રતિબંધોની જાહેરાત કરી. બિડેને યુક્રેનના બચાવ માટે યુએસ સૈનિકો મોકલવાનો ઇનકાર કર્યો છે. પરંતુ વોશિંગ્ટને વધારાના સૈનિકો અને વિમાનો સાથે પ્રદેશમાં તેના નાટો સહયોગીઓને મજબૂત બનાવ્યા છે.

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">