PM Modi Mother passed away: જાપાન, નેપાળ અને પાકિસ્તાનના વડાપ્રધાને પીએમ મોદીની માતા હીરાબાને આપી શ્રદ્ધાંજલિ

|

Dec 30, 2022 | 12:55 PM

વડાપ્રધાનના માતા હીરાબાના નિધન પર પીએમ મોદીને દેશભરના નેતાઓ સહિત જાપાનના પીએમ ફુમિયો કિશિદા, નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ અને પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે શ્રદ્ધાંજલિ આપી હતી.

PM Modi Mother passed away: જાપાન, નેપાળ અને પાકિસ્તાનના વડાપ્રધાને પીએમ મોદીની માતા હીરાબાને આપી શ્રદ્ધાંજલિ
Japan, Nepal and Pakistan PM
Image Credit source: File Photo

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે એટલે કે શુક્રવારે સવારે નિધન થયું છે. હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે ત્યારે માતાના નિધન પર પીએમ મોદીને દેશભરના નેતાઓ સહિત જાપાનના પીએમ ફુમિયો કિશિદા, નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ અને પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે શ્રદ્ધાંજલિ આપી છે.

જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ હીરા બાના નિધન પર દુખ વ્યક્ત કર્યુ

જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ પીએમ મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે આપી શ્રદ્ધાંજલિ

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પાકિસ્તાનના PM શહેબાઝ શરીફે હીરા બાને આપી શ્રદ્ધાંજલિ

પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “માતાને ગુમાવવાથી મોટી ખોટ કોઈ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની માતાના નિધન પર મારી સંવેદના.

ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી 

પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું – એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

નરેન્દ્ર મોદી વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા. અહીં તેમણે તેમનાં અંતિમ દર્શન કર્યા હતા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર કરાયા હતાં. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.

Next Article