પાકિસ્તાનમાં કોની સરકાર ? 3 દિવસ પછી પણ ચિત્ર સ્પષ્ટ નથી, પીટીઆઈનો દેશવ્યાપી વિરોધ
પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન 73 બેઠકો સાથે બીજા ક્રમે છે, બિલાવલ અલી સાથે ઝરદારીની પાર્ટી પી.પી.પી. 54 બેઠકો જીતી છે. આ સિવાય મુત્તાહિદા કૌમી મૂવમેન્ટે 17 સીટો જીતી છે. ત્યારે કોની સરકાર બનવા જઈ રહી છે તેનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થયુ નથી.
![પાકિસ્તાનમાં કોની સરકાર ? 3 દિવસ પછી પણ ચિત્ર સ્પષ્ટ નથી, પીટીઆઈનો દેશવ્યાપી વિરોધ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/02/pakistan-election-result.jpg?w=1280)
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીને લઈને હોબાળો ચાલી રહ્યો છે. તમામ દેશોની નજર આ ચૂંટણી પર ટકેલી છે. ત્રણ દિવસ બાદ પણ તમામ ચૂંટણી પરિણામોનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યુ નથી. તમને જણાવી દઈએ કે નેશનલ એસેમ્બલીની 265 બેઠકોમાંથી 257 બેઠકો માટે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પીટીઆઈ અને તેના સમર્થિત ઉમેદવારો 100 બેઠકો સાથે આગળ છે.
જ્યારે નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન 73 બેઠકો સાથે બીજા ક્રમે છે, બિલાવલ અલી સાથે ઝરદારીની પાર્ટી પી.પી.પી. 54 બેઠકો જીતી છે. આ સિવાય મુત્તાહિદા કૌમી મૂવમેન્ટે 17 સીટો જીતી છે. ત્યારે કોની સરકાર બનવા જઈ રહી છે તેનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થયુ નથી.
કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી નથી મળી
તમને જણાવી દઈએ કે સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી. ચૂંટણી પહેલા જ એવી અપેક્ષા હતી કે પાકિસ્તાનમાં પીએમએલ-એન ફરી એક વખત સરકાર બનાવશે અને નવાઝ શરીફ ફરી એકવાર દેશમાં સત્તામાં આવશે. પરંતુ અત્યાર સુધીના પરિણામોમાં નવાઝ શરીફની પાર્ટી બીજા સ્થાને રહી હતી. જે બાદ નવાઝ શરીફે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
પીએમએલ-એન અને પીપીપીના ગઠબંધનની તૈયારી
નવાઝ શરીફનું કહેવું છે કે ભલે તેમની પાર્ટીને ચૂંટણીમાં પૂર્ણ બહુમતી ન મળી હોય, પરંતુ PML-N સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. શરીફે લોકોના સમર્થન બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ સાથે દરમિયાન એવા સમાચાર છે કે નવાઝ શરીફ બિલાવલ અલી ભુટ્ટોની પાર્ટી પીપીપી સાથે મળીને સરકાર બનાવી શકે છે. આ અંગે બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે.
પીટીઆઈનું દેશવ્યાપી પ્રદર્શન
દરમિયાન, ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે ચૂંટણી ધાંધલધમાલને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ચૂંટણીના પરિણામો અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પીટીઆઈના વડા ગોહર અલી ખાને પણ ચૂંટણી પંચ પર સમયસર પરિણામો જાહેર કરવામાં તેની બંધારણીય ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે.
15 ફેબ્રુઆરીએ કેટલીક જગ્યાએ પુનઃ મતદાન
પાકિસ્તાનના ચૂંટણી પંચે ચૂંટણીમાં ધાંધલ ધમાલને લઈને 8 ફેબ્રુઆરીએ કેટલીક જગ્યાએ ફરીથી ચૂંટણી કરવાનો આદેશ આપ્યો છે. NA-88 (ખુશાબ II), PS-18 (ઘોટકી I) અને PK-90 (કોહાટ I) ના 25 મતદાન મથકો પર 15 ફેબ્રુઆરીએ ફરીથી ચૂંટણી યોજાશે. આ ઉપરાંત, ECP એ NA-242 માં એક મતદાન મથક પર કથિત તોડફોડ અંગે જિલ્લા પ્રાદેશિક અધિકારી પાસેથી ત્રણ દિવસમાં રિપોર્ટ માંગ્યો છે.