AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Pak War: ભીખારી પાકિસ્તાન પાસે યુદ્ધમાં વાપરવા માટે કેટલુ બચ્યુ છે સોનું ?

'ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાન સંપૂર્ણપણે ધરાશાયી થયું છે. ભારતીય સેનાના આકરા પ્રહારથી પાકિસ્તાન ઘૂંટણીયે આવી ગયું છે અને ભગવાન પાસે તેમની સુરક્ષાની ભીખ માંગી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો, પાકિસ્તાન દરેક રીતે નાદાર થઈ ગયું છે.

Ind Pak War: ભીખારી પાકિસ્તાન પાસે યુદ્ધમાં વાપરવા માટે કેટલુ બચ્યુ છે સોનું ?
| Updated on: May 09, 2025 | 2:30 PM
Share

‘ઓપરેશન સિંદૂર’થી પાકિસ્તાન સંપૂર્ણપણે ધરાશાયી થયું છે. ભારતીય સેનાના આકરા પ્રહારથી પાકિસ્તાન ઘૂંટણીયે આવી ગયું છે અને ભગવાન પાસે તેમની સુરક્ષાની ભીખ માંગી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો, પાકિસ્તાન દરેક રીતે નાદાર થઈ ગયું છે. હાલમાં એક તો પાકિસ્તાનનું શેરબજાર અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને એવામાં હવે બીજા સમાચાર બહાર આવ્યા છે કે પાકિસ્તાન પાસે હવે સોનું પણ ના બરાબર જેટલું છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એપ્રિલ 2025 સુધીના રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, પાકિસ્તાન પાસે હવે સોનાનો કુલ ભંડાર 64.6 ટન છે. આ ભંડાર વિદેશી હૂંડિયામણનો ખૂબ જ નાનો ભાગ છે. હાલના સમયે પાકિસ્તાન વૈશ્વિક રેન્કિંગ (ગ્લોબલ રેન્કિંગ)માં 44માં ક્રમ પર છે. જો કે, આ રેન્કિંગમાં કેટલીકવાર ફેરફાર થતાં રહે છે.

પાકિસ્તાન ભરપાઈ પણ નહી કરી શકે

જણાવી દઈએ કે, પાકિસ્તાન પાસે જે સોનું છે તે ન તો તેના ચલણને સ્થિર રાખવા પૂરતું છે અને ન તો આર્થિક સંકટના સમયમાં આંતરરાષ્ટ્રીય દેવા કે નાણાકીય સહાયની ભરપાઈ કરી શકે તેમ છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર અમેરિકા પાસે 8,133.5 ટન અને જર્મની પાસે 3,352.4 ટન સોનું છે. ભારત પાસે 882.1 ટન સોનું છે અને તે હાલમાં ગ્લોબલ રેન્કિંગે 9માં સ્થાને છે. આ સિવાય ચીન પાસે 2,262.4 ટન સોનું છે અને પાકિસ્તાન પાસે ફક્ત 64.6 ટન સોનું છે.

વૈશ્વિક રીતે પાકિસ્તાન ઘણું પાછળ

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેટા અનુસાર, માર્ચ 2025 સુધીમાં પાકિસ્તાન પાસે 64.75 ટન જેટલું સોનું હતું. આ આંકડા મુજબ પાકિસ્તાન વૈશ્વિક સોનાના ભંડારની યાદીમાં 44મા સ્થાને છે. એનો મતલબ કે, ભારત (880 ટન), ચીન (2,292 ટન) અને અમેરિકા (8,133.5 ટન)ની તુલનામાં પાકિસ્તાન ઘણું પાછળ છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">