AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nobel prize વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે, જાણો તેઓ ક્યારે લેશે શપથ

Muhammad Yunus take oath : નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા હશે. તેઓ પેરિસથી ઢાકા પરત ફરી રહ્યા છે અને ગુરુવારે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લેશે. તેમની સલાહકાર સમિતિમાં 15 સભ્યોનો સમાવેશ થાય તેવી શક્યતા છે.

Nobel prize વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે, જાણો તેઓ ક્યારે લેશે શપથ
Muhammad Yunus take oath
| Updated on: Aug 08, 2024 | 9:48 AM
Share

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ ગુરુવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લેશે. મોહમ્મદ યુનુસ ગુરુવારે બપોરે 2.10 વાગ્યે બાંગ્લાદેશ પહોંચશે અને રાત્રે 8 વાગ્યે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં 400 લોકો હાજર રહી શકે છે. મોહમ્મદ યુનુસની સલાહકાર પરિષદમાં 15 સભ્યો હોઈ શકે છે. આ સલાહકાર પરિષદની સલાહથી જ મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં સત્તા પર શાસન કરશે.

પ્રોફેસર યુસુફે સરકારનું નેતૃત્વ કરવું જોઈએ : આર્મી ચીફ જનરલ

બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને બુધવારે આની જાહેરાત કરી અને કહ્યું કે, અમે અમારા તમામ કમાન્ડરો સાથે વાત કરી છે. તેમને લાગે છે કે ત્રણ-ચાર દિવસમાં પરિસ્થિતિ સુધરશે. તેણે કહ્યું કે પ્રોફેસર યુસુફ સાથે તેની વાતચીત થઈ છે. તેમને પૂરો વિશ્વાસ છે કે તેઓ સરકાર સારી રીતે ચલાવશે. અમે દરેક સાથે વાત કરી છે. બધા સહમત છે કે પ્રોફેસર યુસુફે સરકારનું નેતૃત્વ કરવું જોઈએ.

જનરલ ઝમાને કહ્યું કે સેના 84 વર્ષીય યુનુસને શક્ય તમામ મદદ કરશે. બાંગ્લાદેશમાં હિંસાને જોતા શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હિંસક સરકાર વિરોધી વિરોધ બાદ દેશ છોડીને દિલ્હીમાં આશરો લીધો છે. આ દરમિયાન પ્રોફેસર યુનુસ હાલમાં પેરિસમાં છે અને તેઓ ગુરુવારે ઢાકા પરત ફરી રહ્યા છે.

પ્રોફેસર યુસુફે શાંતિની અપીલ કરી

આ દરમિયાન પ્રોફેસર યુસુફે એક મેસેજ જાહેર કર્યો છે. આ મેસેજમાં તેણે દરેકને શાંત રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અમારી નવી જીત બાંગ્લાદેશને સમૃદ્ધ બનાવશે. તેમણે દરેકને હિંસા છોડીને નવા બાંગ્લાદેશના નિર્માણમાં યોગદાન આપવાની અપીલ કરી છે.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ખાલિદા ઝિયાનએ રાષ્ટ્રને એક વીડિયો મેસેજ પણ આપ્યો હતો. ખાલિદા ઝિયાએ દરેકને હિંસાથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશનું પુનર્નિર્માણ શાંતિથી જ શક્ય છે.

બાંગ્લાદેશમાં હિંસા ચાલુ, અત્યાર સુધીમાં 469 લોકોના મોત

આ દરમિયાન બાંગ્લાદેશમાં હજુ પણ હિંસા ચાલુ છે. શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના ઓછામાં ઓછા 29 સમર્થકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ રીતે બાંગ્લાદેશમાં મૃત્યુઆંક વધીને 469 થયો છે.

હિંસા બાદ ત્યાં હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસા ચાલુ છે. હિંસાનો ભોગ બનેલા હિંદુ લઘુમતી અને અવામી લીગના સમર્થકો ભારતીય સરહદ પર એકઠા થયા છે અને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જલપાઈગુડીમાં બાંગ્લાદેશથી આવેલા મોટી સંખ્યામાં લોકોને BSF જવાનોએ સરહદ પર અટકાવ્યા છે.

પોલીસ હેડક્વાર્ટર ખાતે નવા નિયુક્ત પોલીસ મહાનિરીક્ષક મોહમ્મદ મૈનુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, કેટલાક અવ્યાવસાયિક અધિકારીઓ બળના ઉપયોગના સ્વીકૃત સિદ્ધાંતોનું પાલન કરતા નથી અને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. કેટલાક આંદોલનકારી વિદ્યાર્થીઓ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ટ્રાફિકનું સંચાલન કરતા જોવા મળ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">