Russia Ukraine War: યુક્રેનમાં શાંતિ માટે સાઉદીમાં મંથન, રશિયાને પડતું મુકાયું, જાણો ભારતે બેઠકમાં શું કહ્યું ?

રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે સાઉદી અરેબિયામાં 40 દેશોની બેઠક ચાલી રહી છે. આજે બેઠકનો બીજો દિવસ છે. રશિયાને બેઠકમાંથી બહાર રાખવામાં આવ્યું છે. જ્યારે યુક્રેને ભાગ લીધો હતો. ભારત અને ચીનના પ્રતિનિધિઓ પણ પહોંચ્યા હતા. ભારત વતી NSA અજિત ડોભાલે કહ્યું કે તમામ હિતધારકોને સામેલ કરીને શાંતિ મંત્રણાને આગળ વધારવી જોઈએ.

Russia Ukraine War: યુક્રેનમાં શાંતિ માટે સાઉદીમાં મંથન, રશિયાને પડતું મુકાયું, જાણો ભારતે બેઠકમાં શું કહ્યું ?
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 11:07 AM

યુક્રેનમાં શાંતિ માટે સાઉદી અરેબિયામાં ભારે મંથન ચાલી રહ્યું છે. જેમાં ભારત, ચીન, અમેરિકા સહિત 40 દેશોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં રશિયાને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે અમે રશિયા અને યુક્રેન બંને સાથે નિયમિત વાતચીત કરીએ છીએ. તેમણે કહ્યું કે આખું વિશ્વ અને ખાસ કરીને ગ્લોબલ સાઉથ યુદ્ધનો માર સહન કરી રહ્યું છે. ભારત યુક્રેનને માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે. પશ્ચિમના દબાણ છતાં, યુદ્ધ અંગે ભારતનું વલણ તટસ્થ રહ્યું છે.

આ પણ વાંચો: મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો, રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ ?

અજીત ડોભાલે કહ્યું કે ભારત યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ પર આધારિત વૈશ્વિક વ્યવસ્થાનું સમર્થન કરે છે. પ્રાદેશિક સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સન્માન કરવું જોઈએ. યુદ્ધમાં રશિયાને મંત્રણામાં સામેલ કરવામાં આવ્યું ન હોવાથી. અજીત ડોભાલે કહ્યું કે આ મુદ્દાના ઉકેલ માટે તમામ હિતધારકોને સામેલ કરીને શાંતિના પ્રયાસોને આગળ ધપાવવા જોઈએ. આ લાગણી સાથે ભારતે બેઠકમાં ભાગ લીધો છે. ભારતે હંમેશા વાતચીત અને કૂટનીતિને પ્રાધાન્ય આપ્યું છે અને કરતું રહેશે. શાંતિ માટે આગળ વધવાનો પણ આ એકમાત્ર રસ્તો છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

બંને પક્ષો શાંતિ યોજના પર સહમત નથી: ડોભાલ

ભારત તરફથી બેઠકમાં ભાગ લેનાર NSA ડોભાલે કહ્યું કે કેટલીક શાંતિ યોજનાઓ પણ સામે આવી છે, પરંતુ બંને પક્ષો તેનાથી સંતુષ્ટ નથી. ઉદાહરણ તરીકે, ચીન અને તાજેતરમાં આફ્રિકન નેતાઓએ વ્લાદિમીર પુતિનને શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો. પુતિન પણ આ માટે સહમત થયા અને કહ્યું કે શાંતિ મંત્રણાનો આધાર બનાવી શકાય છે. આફ્રિકન નેતાઓએ માગ કરી હતી કે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ રદ્દ કરવામાં આવે. કબજે કરેલા વિસ્તારો પર રશિયાના કબજાને માન્યતા આપવા જણાવ્યું હતું. યુક્રેન આ સાથે સહમત નથી. પુતિન ચીનના પ્રસ્તાવ પર સહમત થયા હતા.

સાઉદી બેઠક દ્વારા યુક્રેનના રાજદ્વારી પ્રયાસ

બે દિવસીય બેઠક યુક્રેનના રાજદ્વારી પ્રયાસોનો એક ભાગ છે, જ્યાં તે પશ્ચિમી સમર્થન ઉપરાંત યુદ્ધથી પ્રભાવિત મોટી અર્થવ્યવસ્થાઓ પાસેથી સમર્થન માંગે છે. ખાસ કરીને એવા દેશો સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેઓ અત્યાર સુધી યુદ્ધમાં પક્ષ લેવા માટે આનાકાની કરતા હતા. શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ જાણતા હતા કે બેઠકમાં ભાગ લેનારા દેશો વચ્ચે મતભેદો હતા. તેમણે કહ્યું કે, પરંતુ નિયમો પર આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પુનઃસ્થાપિત થવી જોઈએ.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">