શું યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત થશે ? સાઉદી અરેબિયાએ બોલાવી બેઠક, ભારતને પણ આમંત્રણ આપ્યું

યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સાઉદી અરેબિયાએ એક મોટી બેઠક બોલાવી છે. ભારતને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં 30 દેશોના પ્રતિનિધિઓ હાજરી આપે તેવી શક્યતા છે.

શું યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત થશે ? સાઉદી અરેબિયાએ બોલાવી બેઠક, ભારતને પણ આમંત્રણ આપ્યું
સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનImage Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 3:28 PM

યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટે સાઉદી અરેબિયા પણ આગળ આવ્યું છે. આગામી મહિને આ મુદ્દે મોટી બેઠક યોજવામાં આવી છે. ભારતને શાંતિ પુનઃસ્થાપન પર વાતચીત માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં 30 દેશો ભાગ લે તેવી શક્યતા છે. આ બેઠક 5-6 ઓગસ્ટના રોજ યોજાનાર છે. જેમાં સંબંધિત દેશોના રાજદૂતો હાજરી આપશે. રશિયાને બેઠકથી દૂર રાખવામાં આવ્યું છે. ખાસ કરીને પશ્ચિમ તરફી દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઈન્ડોનેશિયા, ઈજિપ્ત, મેક્સિકો, ચિલી, જર્મની અને ઝામ્બિયા સહિતના ડઝનબંધ દેશોના રાજદૂતો આ બેઠકમાં ભાગ લેશે. એવું માનવામાં આવે છે કે સાઉદી અરેબિયાની આ બેઠક યુક્રેનમાં શાંતિની પુનઃસ્થાપના માટે મદદરૂપ સાબિત થશે. રશિયા પણ યુક્રેનની શાંતિ પુનઃસ્થાપિત કરવાના પક્ષમાં છે પરંતુ તેની કેટલીક શરતો છે, જેને સ્વીકારવાનો યુક્રેન ઇનકાર કરે છે. રશિયાએ યુક્રેનના મોટા ભાગને કબજે કરી લીધો છે, અને પુતિન વહીવટીતંત્ર કહે છે કે જો જોડાણને માન્યતા આપવામાં આવે તો તે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તૈયાર છે.

ઈયુ બેઠકમાં અમેરિકા, બ્રિટન સામેલ થશે

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

હવે મોટો પ્રશ્ન એ છે કે આ બેઠકમાં કેટલા દેશ ભાગ લેશે. આ પહેલા કોપનહેગનમાં શાંતિ પર એક બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, પોલેન્ડ અને યુરોપિયન યુનિયને બેઠકમાં હાજરી આપવાની પુષ્ટિ કરી છે. શાંતિ પર આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેન રશિયાની રાજધાની મોસ્કો પર બે ડ્રોન હુમલા કરી ચૂક્યું છે. આનાથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચોંકી ગયા છે. નાટો સાથે યુદ્ધ માટે તૈયાર હોવાની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ શાંતિના પક્ષમાં છે

રશિયા-આફ્રિકા સમિટમાં યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા અંગે પણ ચર્ચા થઈ છે. ખુદ રાષ્ટ્રપતિ પુતિને પણ કહ્યું હતું કે તેઓ તેની તરફેણમાં છે પરંતુ યુક્રેન આક્રમક બની રહ્યું છે. જો યુક્રેન તેની આક્રમકતા બતાવશે તો અમે પણ કાર્યવાહી કરીશું. હાથ જોડીને બેસી શકાતું નથી. ખરેખર, આફ્રિકાના નેતાઓએ પુતિનને શાંતિ યોજના સોંપી છે. આમાં માત્ર રશિયાના હિતની વાત કરવામાં આવી છે. યુક્રેનના હિતની અવગણના કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">