સાવચેતી : નિપાહ વાયરસ શું છે ? જાણો રોગના લક્ષણો અને કેવી રીતે બચી શકાય આ વાયરસથી

નિપાહ વાયરસ (Nipah Virus)ડુક્કર, ચામાચીડિયા અથવા સંક્રમિત મનુષ્યો દ્વારા ફેલાય છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની માર્ગદર્શિકા અનુસાર, જો ચામાચીડિયા કોઈ ફળને ચેપ લગાડે અને કોઈ આ ફળ ખાય તો તેનાથી નિપાહ વાયરસ ફેલાઈ શકે છે.

સાવચેતી : નિપાહ વાયરસ શું છે ?  જાણો રોગના લક્ષણો અને કેવી રીતે બચી શકાય આ વાયરસથી
what is nipah virus symptoms ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 12:19 PM

Health: કેરળમાં કોરોના વાયરસ બાદ નિપાહ વાયરસે માથું ઉંચક્યુ છે, રવિવારે કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કારણે 12 વર્ષના બાળકનું મોત થયું હતું. હાલ વાયરસના (Nipah Virus)ખતરાને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્રએ શહેર અને નજીકના વિસ્તારોમાં આ વાયરસને ફેલાતો રોકવા માટે તૈયારીઓ શરૂ કરી છે.

આરોગ્ય તંત્ર એલર્ટ

ઉપરાંત શહેરની કોઝીકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં નિપાહ વાયરસ(Virus) ને ધ્યાનમાં રાખીને ખાસ નિપાહ વોર્ડ (Nipah Ward) શરૂ કરવામાં આવ્યો છે અને માવૂર નજીક ઓમસરી ખાતેની સ્થાનિક હોસ્પિટલના સ્ટાફને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં નિપાહ વાયરસને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

નિપાહ વાયરસ કેવી રીતે ફેલાય છે?

નિપાહ વાયરસ ચેપગ્રસ્ત ડુક્કર, ચામાચીડિયા (Bats)અથવા સંક્રમિત મનુષ્યો દ્વારા  ફેલાય છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની માર્ગદર્શિકા અનુસાર, જો ચામાચીડિયા કોઈ ફળને ચેપ લગાડે અને તેને ખાવામાં આવે તો નિપાહ વાયરસ (Nipah Virus) ફેલાઈ શકે છે. આ માટે ફળોને(Fruits)  યોગ્ય ધોવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત જો કોઈ વ્યક્તિનું નિપાહ વાયરસને કારણે મૃત્યુ પામે છે, તો તેનું મૃત શરીર પણ ચેપ ફેલાવી શકે છે. જેને ધ્યાનમાં રાખીને મૃત વ્યક્તિના અંતિમ સંસ્કારમાં પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

નિપાહ વાયરસના લક્ષણો

કફ અને શ્વાસની તકલીફ સાથે સતત તાવ આવવો

માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, ઉલટી, ગળામાં દુખાવો, થાક, ઉંઘની સમસ્યા

એન્સેફાલીટીસના લક્ષણો પણ જોઈ શકાય છે

ઘણીવાર દર્દીને ન્યુમોનિયાના લક્ષણો પણ જોવા મળે છે, આ લક્ષણો બીમાર થયાના 24 થી 48 કલાક પછી જોવા મળે છે

નિપાહ વાયરસનો ઈન્ક્યુબેશન પિરિયડ 5-14 દિવસથી લઈને 45 દિવસનો હોઈ શકે છે.

નિપાહ વાયરસથી બચવાના ઉપાયો

હંમેશા સાબુ અને પાણીથી હાથ ધોવા

કાચા ખજૂરનું ફળ અને તેનો રસ પીવાનું ટાળો

ફળ ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લો

નિપાહ વાયરસથી થયેલા મૃત વ્યક્તિના અંતિમ સંસ્કારમાં સાવચેતી રાખો

જો તમે બીમાર પ્રાણીઓને સંભાળો છો, તો  હાથમાં મોજા અને ચહેરા પર માસ્ક લગાવીને કામ કરો.

આ પણ વાંચો : Corona Vaccine: કેવી રીતે જાણશો અસલી અને નકલી કોરોનાની રસી ? કેન્દ્રએ રાજ્યોને કર્યા સાવચેત

આ પણ વાંચો : Delhi: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે ઝડપ્યું દોઢ કરોડનું હેરોઇન, ડ્રગ્સ તસ્કરીમાં ત્રણની ધરપકડ

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">