AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આરોગ્ય ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્ધિ, ભારતમાં કેન્સરની સિરપ થઈ તૈયાર, હવે કીમોથેરાપીની પીડાથી મળશે મુક્તિ

તાજેતરમાં મેડિકલ રિસર્ચમાં આ દવાની શોધ કરાઇ છે જેનાથી લાખો દર્દીઓને ફાયદો થશે. અને કેન્સર જેવા ગંભીર રોગ સામે લડવાની ક્ષમતા વધશે. આ દવા તૈયાર કરીને ભારતે મોટી જીત હાંસલ કરી છે. જાણો શું છે આ મોટી સિદ્ધિ.

આરોગ્ય ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્ધિ, ભારતમાં કેન્સરની સિરપ થઈ તૈયાર, હવે કીમોથેરાપીની પીડાથી મળશે મુક્તિ
| Updated on: Dec 31, 2023 | 3:43 PM
Share

કેન્સરના દર્દીઓ માટે પ્રથમ સિરપ ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર  કરી છે. આ કામમાં આખરે સફળતા મેળવી છે. તેને પ્રીવેલ નામ આપવામાં આવ્યું છે. ત્યારે લોકોને આ અંગે ઘણા સવાલો છે કે, શું આ સિરપની તૈયારી પીડાદાયક કીમોથેરાપીથી રાહત આપશે?

મહત્વનુ છે કે ભારતમાં કેન્સરના દર્દીઓ માટે ઓરલ સસ્પેન્શન ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેઈનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર (ACTREC) એ કેન્સરના દર્દીઓની સારવાર માટે ભારતનું પ્રથમ સિરપ અને તે પણ ઓરલ સસ્પેન્શન તૈયાર કરવામાં સફળતા મેળવી છે.

કીમોથેરાપીમાં વપરાતી આ દવા (6- મર્કેપ્ટોપ્યુરીન અથવા 6-MP)ને ‘પ્રીવલ’ નામ આપવામાં આવ્યું છે. મહત્વનુ છે કે IDRS લેબ્સમાં ACTREC ના ડૉક્ટરોએ, બેંગ્લોરના સહયોગથી આ દવા તૈયાર કરી છે.

આ દવા બ્લડ કેન્સરના દર્દીઓ માટે લાભદાયી થઈ શકે છે. તે અન્ય ગોળીઓનો અસરકારક વિકલ્પ બની શકે છે, ખાસ કરીને બાળકોના કેન્સરની સારવારમાં ખૂબ ઉપયોગી બની શકે છે.

બાળકોમાં કેન્સરની સારવાર માટે વધુ યોગ્ય

મર્કપ્ટોપ્યુરિનનો ઉપયોગ મોટાભાગે તમામ પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે. તે એન્ટિમેટાબોલિટ નામની દવાઓના વર્ગ સાથે સંબંધિત છે જે કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે.

આ બાબતે વધુમાં ટાટા મેમોરિયલ હોસ્પિટલના પીડિયાટ્રિક ઓન્કોલોજી વિભાગના વડા ડૉ. ગિરીશ ચિન્નાસ્વામીએ માહિતી આપી હતી કે પ્રિવેલની શરૂઆત એ એક મોટી પ્રગતિ છે જે વધુ બાળ-મૈત્રીપૂર્ણ છે. હાલમાં બાળકોને પીસેલી ગોળીઓ આપવી પડે છે. પ્રીવેલને ડ્રગ રેગ્યુલેટર CDSCO તરફથી મંજૂરી મળી છે.

પ્રથમ વખત કીમોથેરાપી ક્યારે આપવામાં આવી હતી?

જ્યારે પણ આપણે કેન્સરનું નામ સાંભળીએ અને સારવાર વિશે વિચારીએ ત્યારે પ્રથમ વસ્તુ એક જ આપના મગજમાં આવે છે તે છે કીમોથેરાપી. કેન્સરમાં કીમોથેરાપી એ અનિવાર્યપણે એક એવી સારવાર છે જેમાં દવાઓની મદદથી કેન્સરના કોષોનો ઝડપથી નાશ કરવામાં આવે છે.

રેડિયોથેરાપી, સર્જરી દ્વારા કીમોથેરાપીની પ્રક્રિયામાં ગાંઠને દૂર કરવાની પ્રક્રિયા હોય છે. જેમાં હાઇ પાવર દવાઓ નો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઇન્ટ્રાવેનસ (નસમાં) ઇન્જેક્શન તરીકે કીમો આપવામાં આવે છે.

પ્રથમ વખત કીમોથેરાપી 1940 માં કેન્સરની સારવાર માટે આપવામાં આવી હતી.

આમાં નાઈટ્રોજન મસ્ટર્ડ અને ફોલિક એસિડ વિરોધી દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિરપના ઉપયોગથી નસમાં આપવામાં આવતી કીમોથેરાપીની ઝંઝટમાંથી રાહત મળશે.

જો શરબતનો ઉપયોગ સામાન્ય દવાઓની જેમ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે તેનાથી દુખાવો કે અસ્વસ્થતા નહીં થાય. આ શરબતની કિંમત કેટલી હશે તે જણાવવામાં આવ્યું નથી, પરંતુ અપેક્ષા છે કે તેની કિંમત પ્રમાણમાં ઓછી હશે.

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">