આરોગ્ય ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્ધિ, ભારતમાં કેન્સરની સિરપ થઈ તૈયાર, હવે કીમોથેરાપીની પીડાથી મળશે મુક્તિ

તાજેતરમાં મેડિકલ રિસર્ચમાં આ દવાની શોધ કરાઇ છે જેનાથી લાખો દર્દીઓને ફાયદો થશે. અને કેન્સર જેવા ગંભીર રોગ સામે લડવાની ક્ષમતા વધશે. આ દવા તૈયાર કરીને ભારતે મોટી જીત હાંસલ કરી છે. જાણો શું છે આ મોટી સિદ્ધિ.

આરોગ્ય ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્ધિ, ભારતમાં કેન્સરની સિરપ થઈ તૈયાર, હવે કીમોથેરાપીની પીડાથી મળશે મુક્તિ
Follow Us:
| Updated on: Dec 31, 2023 | 3:43 PM

કેન્સરના દર્દીઓ માટે પ્રથમ સિરપ ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર  કરી છે. આ કામમાં આખરે સફળતા મેળવી છે. તેને પ્રીવેલ નામ આપવામાં આવ્યું છે. ત્યારે લોકોને આ અંગે ઘણા સવાલો છે કે, શું આ સિરપની તૈયારી પીડાદાયક કીમોથેરાપીથી રાહત આપશે?

મહત્વનુ છે કે ભારતમાં કેન્સરના દર્દીઓ માટે ઓરલ સસ્પેન્શન ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેઈનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર (ACTREC) એ કેન્સરના દર્દીઓની સારવાર માટે ભારતનું પ્રથમ સિરપ અને તે પણ ઓરલ સસ્પેન્શન તૈયાર કરવામાં સફળતા મેળવી છે.

કીમોથેરાપીમાં વપરાતી આ દવા (6- મર્કેપ્ટોપ્યુરીન અથવા 6-MP)ને ‘પ્રીવલ’ નામ આપવામાં આવ્યું છે. મહત્વનુ છે કે IDRS લેબ્સમાં ACTREC ના ડૉક્ટરોએ, બેંગ્લોરના સહયોગથી આ દવા તૈયાર કરી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ દવા બ્લડ કેન્સરના દર્દીઓ માટે લાભદાયી થઈ શકે છે. તે અન્ય ગોળીઓનો અસરકારક વિકલ્પ બની શકે છે, ખાસ કરીને બાળકોના કેન્સરની સારવારમાં ખૂબ ઉપયોગી બની શકે છે.

બાળકોમાં કેન્સરની સારવાર માટે વધુ યોગ્ય

મર્કપ્ટોપ્યુરિનનો ઉપયોગ મોટાભાગે તમામ પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે. તે એન્ટિમેટાબોલિટ નામની દવાઓના વર્ગ સાથે સંબંધિત છે જે કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે.

આ બાબતે વધુમાં ટાટા મેમોરિયલ હોસ્પિટલના પીડિયાટ્રિક ઓન્કોલોજી વિભાગના વડા ડૉ. ગિરીશ ચિન્નાસ્વામીએ માહિતી આપી હતી કે પ્રિવેલની શરૂઆત એ એક મોટી પ્રગતિ છે જે વધુ બાળ-મૈત્રીપૂર્ણ છે. હાલમાં બાળકોને પીસેલી ગોળીઓ આપવી પડે છે. પ્રીવેલને ડ્રગ રેગ્યુલેટર CDSCO તરફથી મંજૂરી મળી છે.

પ્રથમ વખત કીમોથેરાપી ક્યારે આપવામાં આવી હતી?

જ્યારે પણ આપણે કેન્સરનું નામ સાંભળીએ અને સારવાર વિશે વિચારીએ ત્યારે પ્રથમ વસ્તુ એક જ આપના મગજમાં આવે છે તે છે કીમોથેરાપી. કેન્સરમાં કીમોથેરાપી એ અનિવાર્યપણે એક એવી સારવાર છે જેમાં દવાઓની મદદથી કેન્સરના કોષોનો ઝડપથી નાશ કરવામાં આવે છે.

રેડિયોથેરાપી, સર્જરી દ્વારા કીમોથેરાપીની પ્રક્રિયામાં ગાંઠને દૂર કરવાની પ્રક્રિયા હોય છે. જેમાં હાઇ પાવર દવાઓ નો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઇન્ટ્રાવેનસ (નસમાં) ઇન્જેક્શન તરીકે કીમો આપવામાં આવે છે.

પ્રથમ વખત કીમોથેરાપી 1940 માં કેન્સરની સારવાર માટે આપવામાં આવી હતી.

આમાં નાઈટ્રોજન મસ્ટર્ડ અને ફોલિક એસિડ વિરોધી દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિરપના ઉપયોગથી નસમાં આપવામાં આવતી કીમોથેરાપીની ઝંઝટમાંથી રાહત મળશે.

જો શરબતનો ઉપયોગ સામાન્ય દવાઓની જેમ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે તેનાથી દુખાવો કે અસ્વસ્થતા નહીં થાય. આ શરબતની કિંમત કેટલી હશે તે જણાવવામાં આવ્યું નથી, પરંતુ અપેક્ષા છે કે તેની કિંમત પ્રમાણમાં ઓછી હશે.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">