AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dates Benefits And Side Effects : એક દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ ? જાણો ખજૂર ખાવાના ફાયદા અને નુકસાન

શારીરિક રીતે નબળા લોકો માટે ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ખજૂર ખાવાથી વજન વધે છે. તેની સાથે જ નબળાઈની ફરિયાદ પણ દૂર થાય છે.

Dates Benefits And Side Effects : એક દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ ? જાણો ખજૂર ખાવાના ફાયદા અને નુકસાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 10:02 AM
Share

Ahmedabad: ખજૂર જેટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેના કરતાં પણ વધુ સૂકી ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. ખજૂર પોષક તત્વોથી ભરપૂર હોય છે. એટલા માટે તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. ખજૂરમાં વિટામિન A, વિટામિન C, વિટામિન E, વિટામિન K, વિટામિન B2, વિટામિન B6, Niacin, Thiamin, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા તત્વો મળે છે. પરંતુ ખજૂર ખાવાના ઘણા ફાયદા છે તો કેટલાક ગેરફાયદા પણ છે. જાણો ખજૂર ખાવાના શું ફાયદા અને નુકસાન છે.

આ પણ વાંચો: Papaya Benefits And Side Effects: આ લોકોને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે પપૈયું, રોગોમાં કરશે વધારો, આ લોકોએ આજે જ છોડી દેવું જોઇએ

એક દિવસમાં કેટલી સૂકી ખજૂર ખાવી જોઈએ?

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, વ્યક્તિએ દિવસમાં 2થી 3 ખજૂરનું સેવન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ દરરોજ બે થી ત્રણ ખજૂરનું સેવન કરે છે, તો 2 અઠવાડિયામાં શરીરમાં ઘણા ફાયદા જોવા મળશે. ખાસ કરીને શિયાળામાં ખજૂરનું સેવન વધુ સારું માનવામાં આવે છે કારણ કે તે ખજૂરની ગરમીની અસરને કારણે શરીરને ગરમ રાખે છે. પુરુષો માટે ખજૂર ખૂબ જ સારી માનવામાં આવે છે.

ખજૂર ખાવાના ફાયદા

  • ખજૂર પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ખજૂર ખાવાથી પાચનક્રિયા સુધરે છે.
  • શારીરિક રીતે નબળા લોકો માટે ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ખજૂર ખાવાથી વજન વધે છે. તેની સાથે જ નબળાઈની ફરિયાદ પણ દૂર થાય છે.
  • ખજૂરમાં કેલ્શિયમ હોય છે. તેથી, જો વ્યક્તિ નિયમિતપણે 2-3 ખજૂરનું સેવન કરે છે, તો તે હાડકાંને મજબૂત બનાવે છે. આ સાથે સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે.
  • ખજૂરનું સેવન કરવાથી એનિમિયાની ફરિયાદ દૂર થાય છે. કારણ કે તેમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. એટલા માટે દરરોજ 2 ખજૂરનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે, જેના કારણે એનિમિયા દૂર થાય છે.
  • ખજૂરનું સેવન કરવાથી શરદી અને ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શન નથી થતા. કારણ કે ખજૂરમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે. જે ઈન્ફેક્શનને શરીર પર હુમલો કરતા અટકાવે છે.
  • ખજૂરના સેવનથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ ઓછું થાય છે. કારણ કે ખજૂરમાં એન્ટીકાર્સિનોજેનિક ગુણ હોય છે, જે કેન્સરને રોકવામાં મદદરૂપ સાબિત થાય છે.
  • ખજૂર ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ખજૂરમાં વિટામિન C અને વિટામિન E જેવા તત્વો હાજર હોય છે. એટલા માટે તેનું સેવન કરવાથી ત્વચા સંબંધિત અનેક રોગો મટે છે.

ખજૂર ખાવાના ગેરફાયદા

  • ડાયાબિટીસના દર્દીઓએ વધુ માત્રામાં ખજૂરનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેના વધુ પડતા સેવનથી શુગર લેવલ વધવાનો ખતરો રહે છે.
  • ખજૂરના વધુ પડતા સેવનથી પેટમાં દુખાવો થઈ શકે છે. કારણ કે ખજૂરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે.
  • ખજૂરનું વધુ સેવન કરવાથી વજન વધી શકે છે. એટલા માટે જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમણે ખજૂરનું વધુ સેવન ન કરવું જોઈએ.
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">