AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pomegranate Benefits And Side Effects : આ 5 લોકોએ ભૂલથી પણ દાડમ ન ખાવું જોઈએ, સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ થશે નુકસાન

સ્વાસ્થ્ય માટે આટલું ફાયદાકારક હોવા છતાં ઘણા લોકોએ દાડમ ખાવાનું ટાળવું જોઈએ. દાડમનું સેવન કરવાથી તેમના સ્વાસ્થ્યને ફાયદો નહીં પરંતુ તેમના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.

Pomegranate Benefits And Side Effects : આ 5 લોકોએ ભૂલથી પણ દાડમ ન ખાવું જોઈએ, સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ થશે નુકસાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 8:00 AM
Share

Pomegranate Benefits And Side Effects : જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેને પહેલા દાડમ ખાવાની સલાહ આપવામાં આવે છે. શરીરમાં આયર્નની ઉણપ હોય કે પછી હૃદય-મનના સ્વાસ્થ્યની વાત હોય, દાડમ સ્વાસ્થ્ય માટે રામબાણ છે.

દાડમમાં ફાઇબર, વિટામીન K, C, અને B, આયર્ન, પોટેશિયમ, જસત અને ઓમેગા-6 ફેટી એસિડ, અન્ય ઘણા પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Apple Benefits And Side Effects : સફરજન ખાવાથી થઈ શકે છે પથરી, જાણો સફરજન ખાવાના ફાયદા અને નુકસાન

સ્વાસ્થ્ય માટે આટલું ફાયદાકારક હોવા છતા ઘણા લોકોએ દાડમ ખાવાનું ટાળવું જોઈએ. દાડમનું સેવન કરવાથી તેમના સ્વાસ્થ્યને ફાયદો નથી થતો પરંતુ તેમના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.

આ લોકોએ દાડમ ખાવાનું ટાળવું જોઈએ

સ્કિન એલર્જી

જો તમને એલર્જીની સમસ્યા છે તો તમારે દાડમનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી તમારી સમસ્યા વધી શકે છે. ખરેખર, દાડમનું સેવન કરવાથી શરીરમાં લોહી વધે છે. આવી સ્થિતિમાં, જો તમે ત્વચાની એલર્જીના કારણે દાડમનું સેવન કરો છો, તો તમારા શરીર પર લાલ ચામઠા થઈ શકે છે.

લો બ્લડ પ્રેશરથી પીડાતા લોકો

લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ પણ દાડમનું સેવન ન કરવું જોઈએ. કારણ કે દાડમમાં ઠંડકની અસર હોય છે, જે આપણા શરીરમાં રક્ત પરિભ્રમણની ગતિને ધીમી કરે છે. નિષ્ણાતોના મતે, લો બ્લડ પ્રેશર માટે દવાઓ લેતા લોકોને દાડમનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે, કારણ કે તેમાં રહેલા તત્વો દવા સાથે રિએક્ટ કરી શકે છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે.

એસિડિટી

એસિડિટીથી પીડિત લોકોએ દાડમનું સેવન ન કરવું જોઈએ. દાડમની ઠંડા તાસીરના અસરને કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી. જેના કારણે પેટમાં ખોરાક સડવા લાગે છે.

ઉધરસથી પરેશાન લોકો

દાડમમાં ઠંડકની અસર હોય છે, તેથી ઈન્ફલ્યુએન્ઝા અને ઉધરસથી પીડિત લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ. જો આવા લોકો વધુ માત્રામાં દાડમનું સેવન કરે છે, તો તેમને ચેપ વધવાનું જોખમ પણ વધારે છે.

કબજિયાત અને ગેસ

કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકોએ પણ દાડમનું સેવન ન કરવું જોઈએ. દાડમનું વધુ પડતું સેવન પાચનતંત્રને ખરાબ કરી શકે છે. આ સિવાય જે લોકોને ગેસની સમસ્યા હોય તેમણે પણ દાડમ ન ખાવું જોઈએ, કારણ કે દાડમની ઠંડકની અસરને કારણે તે આપણા શરીરમાં યોગ્ય રીતે પચતું નથી.

દાડમ કયા સમયે ખાવું જોઈએ?

સવારે દાડમનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. દાડમમાં શુગર અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં દાડમના ફાયદા મેળવવા માટે તેને સવારના નાસ્તામાં ચોક્કસથી સમાવેશ કરો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">