AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દીવા તળે અંધારુ: અમદાવાદની વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે તબક્કાવાર 700 કરોડ ફાળવાયા છતા દર્દીઓની દુર્દશા, સારવારના નથી કોઈ ઠેકાણા-Video

આજના જમાનામાં 700 કરોડ રૂપિયા કોઈ પાસે હોય તો એ શું થઈ શકે. તમે કહેશો કે શું ન થઈ શકે...પણ અમદાવાદની વીએસ હોસ્પિટલમાં કંઈ કરતા કંઈ ન થઈ શકે. તબક્કાવાર હોસ્પિટલની સ્થિતિ અને દર્દીઓને સારી સારવાર માટે બજેટ ફાળવવામાં આવ્યું પરંતુ વીએસ હોસ્પિટલનું બિલ્ડીંગ આજે પણ પડુ પડુ થવાની સ્થિતિમાં સંપૂર્ણપણે જર્જરીત હાલતમાં છે.

Sachin Kolte
| Edited By: | Updated on: Dec 03, 2024 | 8:35 PM
Share

અમદાવાદની વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે અલગ અલગ સમયે તબક્કાવાર રીતે અત્યાર સુધીમાં 700 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયુ છતા હોસ્પિટલની દયનિય સ્થિતિ છે. હોસ્પિટલ એટલી હદે જર્જરીત બની છે કે અહીં આવતા દર્દીઓને પણ જીવનું જોખમ રહેલુ છે. અહીં આવતા ગરીબ દર્દીઓની પણ દરકાર લેનારુ જાણે કોઈ નથી. પીડાથી કણસતા ગરીબ લાચાર દર્દીઓ હાલાકીથી પરેશાન છે, દર્દીઓની આ લાચારી અને નિ:સહાયતા tv9ના કેમેરામાં કેદ થઈ છે.

દર્દથી કણસતા દર્દીઓને નથી મળી રહી યોગ્ય સારવાર

મૂંઝવણમાં અને અવઢવમાં મુકાયેલા દર્દથી કણસતા દર્દીની વેદનાની tv9એ નોંધ લીધી. આ વૃદ્ધ દર્દીની દુર્દશા જ અમદાવાદની આ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની દશાની ચાડી ખાઈ રહી છે. tv9એ વૃદ્ધ દર્દીની પીડા જાણવાની કોશિષ કરી તો તેમણે તેમના પત્ની વિશે જણાવ્યુ. તેમણે જણાવ્યુ કે મારી પાસે પૈસા નથી એટલે અહીં આવવુ પડે છે. પરંતુ પહેલા જેવુ હતુ એ અત્યારે નથી. બહુ હેરાન કરે છે. પહેલા સ્ટાફ સારો હતો. પહેલા સારી સારવાર કરતા હતા અત્યારે કોઈ ધ્યાન દેતુ નથી તો ક્યાં જવુ અમારે! tv9ના કેમેરા સમક્ષ વૃદ્ધ દર્દી પૂછી રહ્યા છે કે અમારા જેવાએ હવે ક્યાં જવાનું?

વી.એસ.હોસ્પિટલ શરૂ કરવા અનેકવાર કરાઈ રજૂઆત

આ જ મુદ્દો છે જે ઘણા સમયથી અટવાયેલો છે કે વીએસ હોસ્પિટલમાં હવે પહેલા જેવું નથી રહ્યું. બાજુમાં અદ્યતન સુવિધાથી સજ્જ SVP હોસ્પિટલ બની જતા વીએસ હોસ્પિટલની અવગણના થઈ રહી છે. VS હોસ્પિટલ શરૂ કરવા વારંવાર રજૂઆત કરનામાં આવી છે, મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરાઈ છે. એક સમય હતો જ્યારે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં અનેકો એમ્બ્યુલન્સ આવતી-જતી. કારણ કે સુલભ અને સસ્તી સારવારનો વી.એસ હોસ્પિટલ વિકલ્પ હતો. પરંતુ હવે અહીં યોગ્ય સારવાર ન મળતા દર્દીઓ જવલ્લે જ જોવા મળે છે. કોઈ નિ:સહાય વૃદ્ધ જેવા દર્દીઓ જ અહીં આવી ચડે છે. કોર્પોરેટની જેમ વર્તતી અને ગરીબો પાસેથી ચીરીને રૂપિયા ખંખેરતી હોસ્પિટલો કરતા લાખ દરજ્જે સસ્તી આ હોસ્પિટલમાં આજે ખુદ સારવાર માગી રહી છે.

પૂરતી સાધન સામગ્રી ન હોવાથી અન્ય જિલ્લાઓમાંથી આવતા દર્દીઓને પારાવાર હાલાકી

ન માત્ર અમદાવાદથી, આસપાસના જિલ્લાઓમાંથી પણ અહીં દર્દીઓ સસ્તી સારવારની આશાએ આવી પહોંચે છે. પણ અફસોસ અહીં તો ન પૂરતા સ્ટાફના ઠેકાણા છે, ના સંસાધનોના. જર્જરીત થયેલી પડુ પડુ કરતી વીએસ હોસ્પિટલમાં જીવનું જોખમ છે. જર્જરિત બિલ્ડીંગના સમારકામની વારંવાર માંગ ઊઠી છે. હાઈટેક એસવીપી હોસ્પિટલની ફેસિલીટીઝ સામે વીએસ હોસ્પિટલની બદ્તર હાલત પર દયા આવે છે. સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો અને લોકહિતમાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ શરૂ કરવાની વાત વધુ મજબૂતીથી મૂકવામાં આવી છે.

SVP શરૂ કરવામાં આવી લોકોને શ્રેષ્ઠ સુવિધા પણ મળતી થઈ, પણ એની સામે વીએસ હોસ્પિટલને અવગણવાની અથવા તો એને ઓછું મહત્વ આપવાનો કોઈ અર્થ ખરો ?આંકડો જાણશો તો ચોંકી જશો.

વી.એસ હોસ્પિટલના નવીનીકરણ માટે અધધ બજેટ

  • વર્ષ 2023-24 માટે રૂ.55,00,00,00
  • હોસ્પિટલ અને ટ્રોમા વોર્ડના નવીનીકરણ માટે
  • વર્ષ 2021-22 માં રૂ.163.85 કરોડ , વર્ષ 2022-23 માં રૂ.173.32 કરોડ
  • વર્ષ 2023-24માં રૂ.183.01 કરોડ, 2024-25માં રૂ.261.95 કરોડ
  • કુલ 782.13 કરોડનું બજેટ ફાળવાયું.

છતા હોસ્પિટલ આજે પણ એજ ખંડેર સ્થિતિમાં છે.  હોસ્પિટલ ખુદ સારવાર માગી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">