AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya Benefits And Side Effects: આ લોકોને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે પપૈયું, રોગોમાં કરશે વધારો, આ લોકોએ આજે જ છોડી દેવું જોઇએ

પપૈયામાં ફાઈબર, વિટામિન એ, વિટામિન સી, નિયાસિન, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઘણા પ્રકારના એન્ટીઑકિસડન્ટની હાજરીને કારણે, તે શરીરમાં ફ્રી રેડિકલની ઘટનાને અટકાવે છે, જેના કારણે કેન્સરનું જોખમ ઘટે છે.

Papaya Benefits And Side Effects: આ લોકોને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે પપૈયું, રોગોમાં કરશે વધારો, આ લોકોએ આજે જ છોડી દેવું જોઇએ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 8:00 AM
Share

Ahmedabad: પપૈયું એક સંપૂર્ણ પોષક તત્વોથી ભરેલું ફળ છે. તેમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, તેથી તેને સુપરફૂડ પણ માનવામાં આવે છે. પપૈયામાં ફાઈબર, વિટામિન એ, વિટામિન સી, નિયાસિન, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઘણા પ્રકારના એન્ટીઑકિસડન્ટની હાજરીને કારણે, તે શરીરમાં ફ્રી રેડિકલની ઘટનાને અટકાવે છે, જેના કારણે કેન્સરનું જોખમ ઘટે છે.

આ પણ વાંચો: Pomegranate Benefits And Side Effects : આ 5 લોકોએ ભૂલથી પણ દાડમ ન ખાવું જોઈએ, સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ થશે નુકસાન

પપૈયું ખાવાથી વજન પણ ઘટે છે. પપૈયામાં હૃદયને મજબૂત કરવાની ક્ષમતા પણ હોય છે. સામાન્ય રીતે પપૈયાને પાચનતંત્ર માટે વધુ સારું માનવામાં આવે છે, પરંતુ આ સ્થિતિમાં પપૈયાની વિપરીત અસર પણ થઈ શકે છે. જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય છે, પપૈયા ખાવાથી વિપરીત અસર થઈ શકે છે. આ સાથે, ગર્ભાવસ્થા દરમિયાન પપૈયાનું વધુ પડતું સેવન નુકસાન પહોંચાડી શકે છે. અને કેટલાક લોકોને પપૈયાની એલર્જી હોય છે. એટલા માટે આ સ્થિતિમાં પપૈયાનું સેવન ન કરવું જોઈએ.

આ લોકોએ પપૈયું ખાવાથી બચવું જોઈએ

  • લો શુગર ધરાવતા દર્દીઓ

જે લોકોનું બ્લડ શુગર નોર્મલ કરતા ઓછું હોય છે, તેમણે પપૈયું ન ખાવું જોઈએ, કારણ કે પપૈયું ઇન્સ્યુલિન વધારે છે, જેના કારણે બ્લડ શુગર ખૂબ જ ઓછી થઈ જાય છે. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરને પૂછ્યા વગર પપૈયાનું સેવન ન કરવું જોઈએ.

  • દવાથી નુકસાન

પપૈયાને કેટલીક દવાઓ સાથે ન ખાવું જોઈએ કારણ કે તેમાં રહેલું તત્વ શરીરમાં પ્રતિક્રિયા આપે છે અને લોહીને પાતળું બનાવે છે. આ સ્થિતિમાં, શરીરમાં સરળતાથી રક્તસ્રાવ થઈ શકે છે. આવી સ્થિતિમાં પપૈયાનું સેવન કોઈપણ દવા સાથે ન કરવું જોઈએ.

  • સગર્ભાવસ્થામાં

કાચા પપૈયામાં ઘણાં બધાં લેટેક્સ હોય છે જે ગર્ભાશયની દિવાલના સંકોચનને વધારી શકે છે. પપૈયામાં રહેલું પેપેઈન શરીરના કોષ પટલને નુકસાન પહોંચાડે છે. ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસ માટે સેલ મેમ્બ્રેન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે ગર્ભવતી મહિલાઓને કાચું પપૈયું ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

  • કેટલાક લોકોને એલર્જી

પપૈયાને કારણે એલર્જી થઈ શકે છે. આના કારણે ત્વચા પર સોજો, ચક્કર, માથાનો દુખાવો, ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, જો પપૈયું ખાધા પછી તમને ઉબકા કે ચક્કર આવતા હોય તો પપૈયું ન ખાવું. જો કે આ દરેક સાથે બનતું નથી.

  • પાચનની સમસ્યા

સામાન્ય રીતે પપૈયાને પાચન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે પરંતુ પપૈયામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે, પરંતુ તે લોકોનું પાચન પણ બગાડી શકે છે જેમને પહેલાથી જ પાચનની સમસ્યા છે. પપૈયામાં રહેલું લેટેક્ષ પેટમાં દુખાવો પણ કરી શકે છે. આનાથી ઝાડા પણ થઈ શકે છે. એટલા માટે પપૈયાનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">