AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાઈ બ્લડ પ્રેશર હોય તો બાબા રામદેવે જણાવ્યા ફાયદાકારક યોગાસન

આજકાલ લગભગ મોટાભાગના લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય બની ગઈ છે, પરંતુ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને હળવાશથી ના લેવી જોઈએ. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઘણીવાર ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. બાબા રામદેવે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે કેટલાક ફાયદાકારક યોગાસન સૂચવ્યા છે. ચાલો તેમના વિશે જાણીએ.

હાઈ બ્લડ પ્રેશર હોય તો બાબા રામદેવે જણાવ્યા ફાયદાકારક યોગાસન
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2025 | 5:00 PM
Share

હાઈ બ્લડ પ્રેશર, અથવા હાયપરટેન્શનની સમસ્યા, આજકાલના દિવસોમાં સૌ કોઈમાં ઝડપથી વધી રહી છે. આ એક એવી સ્થિતિ છે, જેમાં બ્લડ પ્રેશર સામાન્ય સ્તર કરતાં ખૂબ વધી જાય છે. સતત વધેલું બ્લડ પ્રેશર હૃદય, કિડની અને મગજ પર એક જાતનું દબાણ લાવે છે. જો સમયસર હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ના આવે તો, તે હૃદય રોગ, સ્ટ્રોક અથવા કિડની નિષ્ફળતા જેવી ગંભીર સમસ્યાઓ તરફ દોરી જાય છે. આ સંદર્ભમાં, બાબા રામદેવ દ્વારા સૂચવેલા કેટલાક સરળ યોગાસનો હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે.

હાઈ બ્લડ પ્રેશરના મુખ્ય કારણોમાં માનસિક તણાવ, સ્થૂળતા, વધુ પડતું મીઠાનું સેવન, ધૂમ્રપાન, દારૂ, નબળી જીવનશૈલી અને આનુવંશિક પરિબળો સામેલ છે. સતત વધેલું બ્લડ પ્રેશર શરીરની નસોને સખત બનાવે છે, જેના કારણે હૃદય વધુ કામ કરે છે. આ સ્થિતિ હૃદયરોગનો હુમલો આવવો, બ્રેઈન સ્ટ્રોક આવવો, આંખની નબળાઈ વધવી અને કિડનીને નુકસાન પણ પહોંચાડી શકે છે. શરૂઆતમાં, તેના લક્ષણો હળવા હોય છે, જેમ કે માથાનો દુખાવો, થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ થવી અથવા બેચેની અનુભવવી, તેથી લોકો ઘણીવાર તેને સાવ અવગણે છે.

આ યોગસન છે હાઈ બ્લડ પ્રેશર માટે ફાયદાકારક

અનુલોમ વિલોમ:

બાબા રામદેવ સમજાવે છે કે આ સૌથી અસરકારક પ્રાણાયામ કસરતોમાંની એક છે. તેમાં બંને નસકોરા દ્વારા વારાફરતી શ્વાસ લેવા અને બહાર કાઢવાનો સમાવેશ થાય છે, જે મનને શાંત કરે છે અને નસોમાં રક્ત પ્રવાહને સંતુલિત કરે છે. નિયમિત અભ્યાસ તણાવ, ચિંતા અને ચીડિયાપણું ઘટાડે છે, જેનાથી બ્લડ પ્રેશર ધીમે ધીમે સામાન્ય થાય છે.

ભ્રામરી પ્રાણાયામ:

આ યોગ માનસિક શાંતિ પ્રદાન કરે છે અને નર્વસ સિસ્ટમને આરામ આપે છે. તણાવ ઓછો કરવાથી કુદરતી રીતે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

કપાલભતી પ્રાણાયામ:

કપાલભતી પ્રાણાયામ શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરે છે અને રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે. દરરોજ તેનો અભ્યાસ કરવાથી હૃદયનું કાર્ય સુધરે છે.

સૂર્ય નમસ્કાર:

આમાં સંપૂર્ણ શરીરની કસરતનો સમાવેશ થાય છે. તે સ્નાયુઓને સક્રિય કરે છે અને સંતુલિત બ્લડ પ્રેશર જાળવવામાં મદદ કરે છે.

યોગિક જોગિંગ:

હળવી ગતિએ કરવામાં આવતી આ કસરત રક્ત પરિભ્રમણ વધારે છે અને તણાવ ઘટાડે છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે.

આ બાબત પણ ધ્યાને લો :

  • મીઠું અને તળેલા ખોરાકનું સેવન ઓછું કરો.
  • દરરોજ ઓછામાં ઓછા 7 થી 8 કલાકની ઊંઘ લો.
  • સવારે કે સાંજે નિયમિત યોગાસન કરો અને ધ્યાન ધરો.
  • તણાવ ઓછો કરવા માટે મનગમતુ સંગીત સાંભળો અથવા ધ્યાન કરો.
  • નિયમિતપણે તમારા બ્લડ પ્રેશરની તપાસ કરાવતા રહો.

આ સરળ દિનચર્યા અને યોગાભ્યાસ માત્ર બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખશે નહીં પરંતુ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખશે.

આ પણ વાંચોઃ  શિયાળામાં ખાવ બાજરાના રોટલા, બાબા રામદેવે જણાવ્યા રોટલાના આટલા ફાયદા

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">