AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાઈ બ્લડ પ્રેશર હોય તો બાબા રામદેવે જણાવ્યા ફાયદાકારક યોગાસન

આજકાલ લગભગ મોટાભાગના લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય બની ગઈ છે, પરંતુ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને હળવાશથી ના લેવી જોઈએ. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઘણીવાર ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. બાબા રામદેવે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે કેટલાક ફાયદાકારક યોગાસન સૂચવ્યા છે. ચાલો તેમના વિશે જાણીએ.

હાઈ બ્લડ પ્રેશર હોય તો બાબા રામદેવે જણાવ્યા ફાયદાકારક યોગાસન
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2025 | 5:00 PM
Share

હાઈ બ્લડ પ્રેશર, અથવા હાયપરટેન્શનની સમસ્યા, આજકાલના દિવસોમાં સૌ કોઈમાં ઝડપથી વધી રહી છે. આ એક એવી સ્થિતિ છે, જેમાં બ્લડ પ્રેશર સામાન્ય સ્તર કરતાં ખૂબ વધી જાય છે. સતત વધેલું બ્લડ પ્રેશર હૃદય, કિડની અને મગજ પર એક જાતનું દબાણ લાવે છે. જો સમયસર હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ના આવે તો, તે હૃદય રોગ, સ્ટ્રોક અથવા કિડની નિષ્ફળતા જેવી ગંભીર સમસ્યાઓ તરફ દોરી જાય છે. આ સંદર્ભમાં, બાબા રામદેવ દ્વારા સૂચવેલા કેટલાક સરળ યોગાસનો હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે.

હાઈ બ્લડ પ્રેશરના મુખ્ય કારણોમાં માનસિક તણાવ, સ્થૂળતા, વધુ પડતું મીઠાનું સેવન, ધૂમ્રપાન, દારૂ, નબળી જીવનશૈલી અને આનુવંશિક પરિબળો સામેલ છે. સતત વધેલું બ્લડ પ્રેશર શરીરની નસોને સખત બનાવે છે, જેના કારણે હૃદય વધુ કામ કરે છે. આ સ્થિતિ હૃદયરોગનો હુમલો આવવો, બ્રેઈન સ્ટ્રોક આવવો, આંખની નબળાઈ વધવી અને કિડનીને નુકસાન પણ પહોંચાડી શકે છે. શરૂઆતમાં, તેના લક્ષણો હળવા હોય છે, જેમ કે માથાનો દુખાવો, થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ થવી અથવા બેચેની અનુભવવી, તેથી લોકો ઘણીવાર તેને સાવ અવગણે છે.

આ યોગસન છે હાઈ બ્લડ પ્રેશર માટે ફાયદાકારક

અનુલોમ વિલોમ:

બાબા રામદેવ સમજાવે છે કે આ સૌથી અસરકારક પ્રાણાયામ કસરતોમાંની એક છે. તેમાં બંને નસકોરા દ્વારા વારાફરતી શ્વાસ લેવા અને બહાર કાઢવાનો સમાવેશ થાય છે, જે મનને શાંત કરે છે અને નસોમાં રક્ત પ્રવાહને સંતુલિત કરે છે. નિયમિત અભ્યાસ તણાવ, ચિંતા અને ચીડિયાપણું ઘટાડે છે, જેનાથી બ્લડ પ્રેશર ધીમે ધીમે સામાન્ય થાય છે.

ભ્રામરી પ્રાણાયામ:

આ યોગ માનસિક શાંતિ પ્રદાન કરે છે અને નર્વસ સિસ્ટમને આરામ આપે છે. તણાવ ઓછો કરવાથી કુદરતી રીતે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

કપાલભતી પ્રાણાયામ:

કપાલભતી પ્રાણાયામ શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરે છે અને રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે. દરરોજ તેનો અભ્યાસ કરવાથી હૃદયનું કાર્ય સુધરે છે.

સૂર્ય નમસ્કાર:

આમાં સંપૂર્ણ શરીરની કસરતનો સમાવેશ થાય છે. તે સ્નાયુઓને સક્રિય કરે છે અને સંતુલિત બ્લડ પ્રેશર જાળવવામાં મદદ કરે છે.

યોગિક જોગિંગ:

હળવી ગતિએ કરવામાં આવતી આ કસરત રક્ત પરિભ્રમણ વધારે છે અને તણાવ ઘટાડે છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે.

આ બાબત પણ ધ્યાને લો :

  • મીઠું અને તળેલા ખોરાકનું સેવન ઓછું કરો.
  • દરરોજ ઓછામાં ઓછા 7 થી 8 કલાકની ઊંઘ લો.
  • સવારે કે સાંજે નિયમિત યોગાસન કરો અને ધ્યાન ધરો.
  • તણાવ ઓછો કરવા માટે મનગમતુ સંગીત સાંભળો અથવા ધ્યાન કરો.
  • નિયમિતપણે તમારા બ્લડ પ્રેશરની તપાસ કરાવતા રહો.

આ સરળ દિનચર્યા અને યોગાભ્યાસ માત્ર બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખશે નહીં પરંતુ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખશે.

આ પણ વાંચોઃ  શિયાળામાં ખાવ બાજરાના રોટલા, બાબા રામદેવે જણાવ્યા રોટલાના આટલા ફાયદા

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">