AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ હૈ કે માનતા નહી, અંજુ બાદ બે બાળકોની માતા દીપિકા, ઈમરાન સાથે ગુજરાત છોડી પહોંચી કુવૈત, કર્યું ધર્મ પરીવર્તન, જાણો સમગ્ર વાત

એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસ આ સમગ્ર બાબતની તપાસ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પણ પ્રયાસ કરી રહી છે કે મહિલાને કુવૈતના વિઝા કેવી રીતે મળ્યા.

દિલ હૈ કે માનતા નહી, અંજુ બાદ બે બાળકોની માતા દીપિકા, ઈમરાન સાથે ગુજરાત છોડી પહોંચી કુવૈત, કર્યું ધર્મ પરીવર્તન, જાણો સમગ્ર વાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 6:53 PM
Share

અંજુ બાદ વધુ એક મહિલા ગુજરાતથી કુવૈત પહોંચી ધર્મ પરીવર્તન કર્યો હોવાને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાને ગુજરાતનો યુવક કુવૈત લઈ ગયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તે જ સમયે, મહિલાના સંબંધીઓએ આ અંગે ડુંગરપુરના SPને પણ જાણ કરી છે. તેમજ મહિલાને કુવૈતથી પરત લાવવા વિનંતી કરી હતી. ઘટના ચિત્રી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. તે જ સમયે, મહિલાનું નામ દીપિકા છે.

આ ઘટનામાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે લગભગ એક મહિના પહેલા મહિલાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ, કુવૈત જતી મહિલા વિશે પરિવારના સભ્યોને ત્યારે ખબર પડી જ્યારે બુરખો પહેરેલી મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો. દાવો કરવામાં આવી રહ્યો છે કે ફોટોમાં દેખાતી મહિલા દીપિકા છે.

14 વર્ષ પહેલા થયા હતા લગ્ન

મહિલાના પતિએ પોલીસને જણાવ્યું કે તેના લગ્ન 14 વર્ષ પહેલા થયા હતા. લગ્ન પછી બે બાળકોનો પણ જન્મ થયો, જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે મુંબઈમાં નોકરી કરે છે. ગયા મહિને, 10 જુલાઈના રોજ તેની પત્નીએ તેના પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે તે બીમાર છે અને ગુજરાત ગઈ છે. પરિવારના સભ્યોએ તેની વધુ પૂછપરછ કરી ન હતી કારણ કે તે અગાઉ પણ ખેડબ્રહ્મા જતી હતી.

10મી જુલાઈથી કોલ ઉપાડવાના કર્યા હતા બંધ

મહિલાના પતિએ જણાવ્યું કે 10 જુલાઈથી તેણે અનેકવાર ફોન કર્યો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં. તેની પત્નીનો બુરખો પહેરેલો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઈરફાન નામના વ્યક્તિ સાથે જોવા મળી રહી છે. ઈરફાન વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ગુજરાતનો રહેવાસી છે.

મહિલાના પતિનો આરોપ છે કે ઈરફાન તેની પત્નીને ફસાવીને કુવૈત લઈ ગયો છે, જ્યાં તેની પત્નીનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે. મહિલાની ઉંમર 35 વર્ષ હોવાનું કહેવાય છે.ટીવી 9 વાયરલ ફોટાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો : Independence Day: લાલ ચોકમાં ગર્વભેર લહેરાયો ત્રિરંગો, ઘડિયાળનું ટાવર ત્રણ રંગમાં રંગાયું, જુઓ તસવીરો

ગુજરાતથી ગયેલી મહિલા અંગે પોલીસ તપાસમાં જોતરાઈ

ચિત્રી પોલીસ સ્ટેશનના પ્રભારી ગોવિંદ સિંહના જણાવ્યા અનુસાર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, પરિજનોએ પોલીસ સ્ટેશનમાં મહિલાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મહિલાને કુવૈતના વિઝા કેવી રીતે મળ્યા. આ પહેલા રાજસ્થાનની અંજુ પોતાના પ્રેમ માટે ભારત છોડીને પાકિસ્તાન ચાલી ગઈ છે. અંજુના પાકિસ્તાન જવાના સમાચાર મીડિયાની હેડલાઇન્સમાં છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">