સાફો અને ચશ્મા પહેરીને અનુસૂચિત જાતિના યુવકે ફોટો શેર કરતા પિતા-પુત્રને મારમાર્યો

સોશિયલ મીડિયા પર સાફો અને ચશ્મા પહેરીને ફોટો શેર કરતા અનુસૂચિત જાતિના યુવક અને તેના પિતા પર હુમલાની ઘટના સામે આવી છે. હિંમતનગરના સાયબાપુરનો યુવક રીક્ષા ચલાવે છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી હતી. જે તસ્વીરમાં તે માથે સાફો અને ચહેરા પર ચશ્મા પહેરેલ હતો.. જેને લઈ સ્થાનિક અન્ય જ્ઞાતિના યુવાનોને આ પસંદ […]

સાફો અને ચશ્મા પહેરીને અનુસૂચિત જાતિના યુવકે ફોટો શેર કરતા પિતા-પુત્રને મારમાર્યો
પોલીસે તપાસ હાથ ધરી
Follow Us:
| Updated on: Jul 20, 2024 | 11:28 AM

સોશિયલ મીડિયા પર સાફો અને ચશ્મા પહેરીને ફોટો શેર કરતા અનુસૂચિત જાતિના યુવક અને તેના પિતા પર હુમલાની ઘટના સામે આવી છે. હિંમતનગરના સાયબાપુરનો યુવક રીક્ષા ચલાવે છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી હતી. જે તસ્વીરમાં તે માથે સાફો અને ચહેરા પર ચશ્મા પહેરેલ હતો.. જેને લઈ સ્થાનિક અન્ય જ્ઞાતિના યુવાનોને આ પસંદ આવ્યું નહોતું. જેને લઈ યુવકને રસ્તામાં અટકાવીને તેની પર હુમલો કરીને માર માર્યો હતો.

ઘટના અંગે હિંમતનગર રુરલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ જાતિ પ્રત્યે અપમાનીત કરીને માર મારનારા યુવકોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.

સાફા-ચશ્મા વાળો ફોટો શેર કરતા માર માર્યો

આ અંગેની ફરિયાદ હિંમતનગર ના રુરલ પોલીસ મથકે નોંધવામાં આવી છે. જે મુજબ 24 વર્ષિય યુવક અજય પરમાર પોતાની રીક્ષા લઈને નવાનગર સ્ટેન્ડથી ગામમાં જવાના રસ્તા પર જઈ રહ્યો હતો. આ દરમિયાન કિરપાલસિંહ નવલસિંહ રાઠોડ અને મનુસિંહ લલિતસિંહ રાઠોડ (ભગત)ના પુત્રએ અજયની સીએનજી રીક્ષા રોકીને તેને નીચે ઉતાર્યો હતો. નીચે ઉતારી કહેવા લાગેલ કે તે ઈન્સ્ટાગ્રામ પર સાફો અને ચશ્મા પહેરેલ ફોટો કેમ મુકેલ છે. જાતિ પ્રત્યે અપમાનીત કરતા શબ્દો કહીને તારે આવા ફોટા મુકવાના નહી કહી ધમકીઓ આપી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આરોપીએ અજયની ફેટ પકડીને લાફા મારીને ળો બોલીને જતા રહ્યા હતા. પરંતુ થોડી વાર રહીને ફરીથી અજયની રીક્ષા રોકવામાં આવી હતી અને ફરીથી તેની પર આ જ મુદ્દે હુમલો કરવામાં આવ્યો હતો.

પિતાને પણ માર માર્યો

રાજનગર પાસે ફરીથી કિરપાલસિંહ અને અન્ય ત્રણ યુવાનોએ તેની રીક્ષાને અટકાવી હતી. જ્યાં આરોપીઓએ રીક્ષામાંથી અજયને ઉતારીને ફોટાને બાબતે ફરીથી માર મારવા લાગેલા. જેથી અજયના પિતા પણ પુત્રને છોડાવવા માટે વચ્ચે પડતા તેમને પણ અપમાનીત કરીને લાફા મારી દીધા હતા.

માર મારીને આરોપીઓએ અજય અને તેના પિતાને ઘર સાથે જીવતા સળગાવી દેવાની અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેને લઈ અજય રુરલ પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં તેણે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ ચાર સામે નોંધાઈ ફરિયાદ

  1. કિરપાલસિંહ નવલસિંહ રાઠોડ, રહે સાયબાપુર, તા. હિંમતનગર જિ. સાબરકાંઠા
  2. મનુસિંહ લલિતસિંહ રાઠોડનો પુત્ર, રહે સાયબાપુર, તા. હિંમતનગર જિ. સાબરકાંઠા
  3. હિતેન્દ્રસિંહ ખુમાનસિંહ રાઠોડ, રહે સાયબાપુર, તા. હિંમતનગર જિ. સાબરકાંઠા
  4. શુકલસિંહ બકુસિંહ રાઠોડ, રહે સાયબાપુર, તા. હિંમતનગર જિ. સાબરકાંઠા

આ પણ વાંચો: આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલની મુલાકાત લીધી, સમિક્ષા બેઠક યોજી, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">