ઈ-વેસ્ટમાંથી નીકળતાં રેડિયેશનથી કેન્સર-બ્રેન ટ્યુમર જેવાં રોગોનો ખતરો, GTUના વિદ્યાર્થીઓએ 50 કિલો ઈ-વેસ્ટ એકઠું કર્યું

કૉમ્પ્યુટર , મોબાઈલ , કેલ્ક્યુલેટર ,ટીવી વગેરે જેવા અનેક ડિજીટલ ઉપકરણોના ઈ- વેસ્ટનો વર્તમાન સમયમાં ડમ્પિંગ સાઈટ પર બાળીને કે દાટી દઈને નિકાલ કરવામાં આવે છે. જેનાથી ડિજીટલ ઉપકરણોમાં વપરાયેલ ફોસ્ફરસ , લિથિયમ , લિડ , મરક્યુરી જેવી અનેક હાનીકારક ધાતુને બાળતાં તેના ઓક્સાઈડ વાતાવરણમાં ભળે છે.

ઈ-વેસ્ટમાંથી નીકળતાં રેડિયેશનથી કેન્સર-બ્રેન ટ્યુમર જેવાં રોગોનો ખતરો, GTUના વિદ્યાર્થીઓએ 50 કિલો ઈ-વેસ્ટ એકઠું કર્યું
Risk of diseases like cancer-brain tumors due to radiation emitted from e-waste, GTU collected 50 kg of e-waste
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Nov 17, 2021 | 5:14 PM

સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ(global warming) જેવા વૈશ્વિક પડકારનો સામનો કરી રહ્યું છે, ત્યારે ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. ટેક્નોલોજીકલ યુગમાં વિવિધ ડિજીટલ ઉપકરણો સાથે આજનો દરેક વર્ગ સંકળાયેલો છે. જેના ઉપયોગથી વિશ્વમાં સંચાર માધ્યમની પ્રવૃત્તિ ખૂબજ ત્વરીત રીતે કાર્યરત છે. જે આજની ટેક્નોલોજીનું સકારાત્મક પાસું છે. પરંતુ ડિજીટલ ઉપકરણની અવધી પૂર્ણ થતાં તેનો યોગ્ય નિકાલ ના થાય તો, તે હાનીકારક પણ સાબિત થાય છે. જેનો યોગ્ય નિકાલ થાય તે અર્થે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (GTU) વિદ્યાર્થીઓ દ્વારા “ઝીરો વેસ્ટ પોલિસી” લાગુ કરીને 50 કિલો ઈ-વેસ્ટ (E-waste) એકઠું કર્યું છે.

(GTU) જીટીયુના વિદ્યાર્થીઓએ “ઝીરો વેસ્ટ પોલિસી” અંતર્ગત 50 કિલો ઈ-વેસ્ટ (E-waste)એકઠું કર્યું. આ અંગે જીટીયુના કુલપતિ પ્રો. નવીન શેઠે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવા વૈશ્વિક પડકારનો સામનો કરી રહ્યું છે, ત્યારે ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. જે સ્વચ્છ ભારત અભિયાનને વેગવંતુ બનાવશે.

કૉમ્પ્યુટર , મોબાઈલ , કેલ્ક્યુલેટર ,ટીવી વગેરે જેવા અનેક ડિજીટલ ઉપકરણોના ઈ- વેસ્ટનો વર્તમાન સમયમાં ડમ્પિંગ સાઈટ પર બાળીને કે દાટી દઈને નિકાલ કરવામાં આવે છે. જેનાથી ડિજીટલ ઉપકરણોમાં વપરાયેલ ફોસ્ફરસ , લિથિયમ , લિડ , મરક્યુરી જેવી અનેક હાનીકારક ધાતુને બાળતાં તેના ઓક્સાઈડ વાતાવરણમાં ભળે છે. જેનાથી ગ્લોબલ વોર્મિગનું જોખમ રહે છે. જ્યારે તેને જમીનમાં દાટી દેતાં ઉપકરણોમાં વપરાયેલ બેટરીમાંથી પણ સતત રેડિયેશન જમીનમાં પ્રસરાય છે. જે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ સમસ્યાના સમાધાન સ્વરૂપે જીટીયુ દ્વારા ઝીરો વેસ્ટ પોલિસી લાગું કરીને શરૂઆતના તબક્કે જીટીયુના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પાસેથી 50 કિલો ઈ- વેસ્ટ એકઠો કરવામાં આવ્યો છે. જેમાં 5 કિલો જેટલા મોબાઈલ , 8 કિલો કોમ્પ્યુટર તેમજ અન્યમાં કેલ્ક્યુલેટર , રીમોટ , કિબોર્ડ , સીડી વગેરેનો સમાવેશ થાય છે. એકઠા કરાયેલ ઈ- વેસ્ટમાંથી પ્લાસ્ટીક તેમજ વિવિધ ધાતુને અલગ કરીને કાર્યરત પાર્ટ્સને પુન:ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે પુન: ઉપયોગમાં ન લઈ શકાય તેવા પાર્ટ્સને યોગ્ય રાસાયણીક પ્રકિયાથી તેનો નિકાલ કરવામાં આવે છે.

જો ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ ના થાય તો , તેમાંથી નિકળતાં રેડિયેશનથી કેન્સર , બ્રેન ટ્યુમર તેમજ આંખ અને કાનની ડિસએબિલિટી જેવાં રોગોનો શિકાર બની શકાય છે. આગામી દિવસોમાં જીટીયુ સંલગ્ન કૉલેજોમાં પણ આ પોલિસી લાગુ કરીને પુન: ઉપયોગ માટે ઈ-વેસ્ટ એકઠો કરવામાં આવશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">