AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ધોરાજીમાં ચેકડેમો બન્યા બિસ્માર, જળસંગ્રહના હેતુથી બનાવાયેલા ચેકડેમમાંથી જ વહી રહ્યુ છે પાણી

Rajkot: ધોરાજીમાં જળસંગ્રહ માટે બનાવાયેલા ચેકડેમ એટલી હદે જર્જરીત અને બિસ્માર બન્યા છે કે તેમાંથી પાણી વહી જઈ રહ્યુ છે. જેમાં જળસંગ્રહ કરવાનો હોય તે ડેમો જ પાણી ગુમાવી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા ડેમના સમારકામ માટેની કોઈ તસ્દી લેવાઈ રહી નથી.

Rajkot: ધોરાજીમાં ચેકડેમો બન્યા બિસ્માર, જળસંગ્રહના હેતુથી બનાવાયેલા ચેકડેમમાંથી જ વહી રહ્યુ છે પાણી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 4:33 PM
Share

Rajkot: એક તરફ સરકાર ‘જળ બચાવો’ ‘જળ એ જ જીવન છે’ એવી જાહેરાતો કરતી હોય છે પરંતુ બીજી તરફ ધોરાજીમાં અનેક ચેકડેમો એટલા બિસ્માર અને જર્જરીત હાલતમાં છે કે આ ચેકડેમોમાંથી જ પાણી વહી જાય છે. ત્યારે પાણી સંગ્રહ કરવાની તો વાત દૂર. અહીં તો ડેમને સુધારવાની પણ તંત્ર દ્વારા તસ્દી લેવાઈ રહી નથી. અહીં ચેકડેમોની હાલત જોઈને એટલુ તો સમજી શકાય કે આ ચેકડેમ બિસ્માર થઈ ચુક્યા છે. જર્જરિત થઈ ગયા છે. ધોરાજી પંથકમાં સરકારે લાખો રૂપિયાના ખર્ચે ચેક ડેમો તો બનાવ્યા. જેનો હેતુ એ હતો કે આ ચેકડેમમાં વરસાદી પાણી ભરાય અને જે પાણીનો સંગ્રહ થાય તે શિયાળુ અને ઉનાળુ પાકના પિયતમાં ખેતીમાં કામ લાગે પરંતુ ચેકડેમોની હાલત અત્યંત બિસ્માર બની ચૂકી છે.

ચેકડેમમાં લીકેજને કારણે વહી જાય છે પાણીનો જથ્થો

ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના અનેક ચેકડેમો જર્જરિત હાલતમાં છે, વરસાદી સિઝનમાં વરસાદી પાણી ભરાય છે પરંતુ ચેકડેમમાં લીકેજ હોવાના કારણે અને ચેકડેમોમાંથી પાણીનો જથ્થો વહી જાય છે. જેને કારણે લાખો લિટર પાણીનો વેડફાઈ રહ્યુ છે. સરકાર દ્વારા જે લાખો રૂપિયા ચેકડેમ બાંધવા માટે ખર્ચવામાં આવ્યા તે ખર્ચ પાણીમાં જતો હોય એવું લાગી રહ્યું છે.

ખેડૂતોની માગ છે કે ધોરાજી પંથકના ચેક ડેમોને ઊંડા કરવામાં આવે અને જર્જરીત ચેકડેમોનું સમારકામ કરવામાં આવે. આવનારા દિવસોમાં વરસાદનું પાણી ચેકડેમની અંદર આવશે અને તે પાણી ખેડૂતોને ખેતીમાં ઉપયોગી થશે. જો ચેકડેમ ભરાયેલા હશે તો ખેડૂતોને ખેતરમાં કૂવા અને બોરના તળ પણ ઉંચા આવશે.

આ પણ વાંચો : Rajkot : ધોરાજીના વોર્ડ નબંર-4ના રહીશો પાણીની સમસ્યાથી ત્રસ્ત, સ્થાનિકોએ નગરપાલિકા કચેરીએ પહોંચી કર્યા સૂત્રોચ્ચાર

જવાબદાર અધિકારીઓ માત્ર સૂચના આપી માની રહ્યા છે સંતોષ

આ તરફ ધોરાજીના મામલતદાર હવે એ જ સરકારી ધોરણે, સરકારી રીતે સરકારી જ જવાબ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે સિંચાઈ વિભાગને ચેકડેમો રિપેર કરવાની સુચના આપી દેવાઈ છે. સુચના આપી દેવાઈ હોય તો એ સારી જ વાત છે, પરંતુ છેક હવે ચોમાસુ માથા પર આવી ગયું ત્યારે કામગીરી સરકારી ધોરણે ક્યારે શરૂ થશે અને ક્યારે પુરી થશે એ એક સવાલ છે. જોકે હવે ખેડૂતોએ આ ચેકડેમ ઝડપથી રિપેર થઈ જાય અને પાણીનો સંગ્રહ શરૂ થાય એવી આશા રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ તો નથી.

ઈનપુટ ક્રેડિટ- હુસેન કુરેશી-ધોરાજી

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">