AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : ધોરાજીના વોર્ડ નબંર-4ના રહીશો પાણીની સમસ્યાથી ત્રસ્ત, સ્થાનિકોએ નગરપાલિકા કચેરીએ પહોંચી કર્યા સૂત્રોચ્ચાર

ધોરાજીના વોર્ડ નબંર-4ના રહીશોના ઘરે નળ છે પણ પાણી નથી આવતું. ત્યારે હવે લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત થયા છે. ધોરાજીમાં પાણીની પારાયણ રોજની છે. સરકારની નલ સે જલની યોજનાનો અહીં ફિયાસ્કો થઈ ગયો છે

Rajkot : ધોરાજીના વોર્ડ નબંર-4ના રહીશો પાણીની સમસ્યાથી ત્રસ્ત, સ્થાનિકોએ નગરપાલિકા કચેરીએ પહોંચી કર્યા સૂત્રોચ્ચાર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 1:41 PM
Share

ઉનાળો (Summer 2023) આકરો થતાની સાથે રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજીમાં (Dhoraji) પાણીની સમસ્યા પણ વધતી થતી જઇ રહી છે. ધોરાજીમાં તો લોકોને બેવડી સમસ્યા છે, એક તો જાણે પાણી નથી મળતું અને બીજું રજૂઆત કરવા જાય તો ઓફિસર નથી મળતાં, લોકોને હવે જવુ તો જવુ ક્યાં તે સમજાતુ નથી. ત્યારે પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ નગરપાલિકા કચેરીએ પહોંચી રોષ ઠાલ્યો હતો.

આ પણ વાંચો-PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને બતાવી લીલી ઝંડી, કહ્યુ- ઉત્તરાખંડના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન

ધોરાજીના વોર્ડ નબંર-4ના રહીશોના ઘરે નળ છે પણ પાણી નથી આવતું. ત્યારે હવે લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત થયા છે. ધોરાજીમાં પાણીની પારાયણ રોજની છે. સરકારની નલ સે જલની યોજનાનો અહીં ફિયાસ્કો થઈ ગયો છે એવું કહીએ તો ખોટું નહીં. કેમકે ધોરાજીના વોર્ડ નં-4માં છેલ્લા ત્રણ વર્ષથી નથી 70થી 80 પરિવારોને પીવાનું પાણી નથી મળી રહ્યું. આખરે કંટાળેલી મહિલાઓ અને લોકોએ નગરપાલિકા કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા. દેખાવો કર્યા અને આક્ષેપો પણ કર્યા હતા.

મહિલાઓનું ટોળું આવતું જોઈને ચીફ ઓફિસર એમની ચેમ્બર છોડીને ભાગી છૂટયા હતા. અહીંના લોકોનો એવો પણ આક્ષેપ છે કે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા પણ તેમના પ્રશ્નોને ઉકેલવામાં નિષ્ફળ ગયા છે. ઉપરથી ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર કાયમ લોકોને પાણીના બદલે થપ્પો આપી જતાં રહે છે.

બનાસકાંઠામાં પણ પાણીની સમસ્યા

બીજી તરફ બનાસકાંઠાના દિયોદર પંથકમાં ભૂગર્ભ જળ સતત ઊંડા જઇ રહ્યા હોવાથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે લાખણીના કુંડા અને લવાણા ગામના લોકોએ કોઇ પણ શુભ કે ધાર્મિક પ્રસંગે ધારાસભ્ય કેસાજી ચૌહાણને આમંત્રણ ન આપવાનો નિર્ણય કર્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે ધારાસભ્યને વિવિધ પ્રસંગોમાં બોલાવવાને કારણે તેમનો સમય વેડફાઇ રહ્યો છે. પ્રસંગમાં હાજરી આપવાને બદલે તેઓ તે સમયનો ઉપયોગ જો ભૂગર્ભ જળની સમસ્યાના ઉકેલ માટે કરે તો સમગ્ર પંથકને ફાયદો થઇ શકે તેમ છે.

કુડા અને લવાણા પંથકમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા સ્થાનિકોની સ્થિતિ ખૂબ વિકટ બની છે. પાણીની અછતને કારણે અત્યાર સુધીમાં લવાણા ગામના 50થી વધુ પરિવારો હિજરત કરી ચૂક્યા છે અને આગામી દિવસો વધુ કેટલાક પરિવારો પણ હિજરત કરવાની તૈયારીમાં છે.

(હુસેન કુરેશી, ટીવી નાઈન, ધોરાજી, રાજકોટ)

રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">