વડાપ્રધાન મોદી સોમવારે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું કરશે ભૂમિપૂજન
વડાપ્રધાન મોદી (PM Modi) 18 જાન્યુઆરીએ ગુજરાતમાં બે મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન મોદી 18 જાન્યુઆરીના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિપૂજન કરશે.
વડાપ્રધાન મોદી (PM Modi) 18 જાન્યુઆરીએ ગુજરાતમાં બે મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન મોદી 18 જાન્યુઆરીના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિપૂજન કરશે. ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના મંત્રી આ પ્રસંગે હાજર રહેશે. મેટ્રો પ્રોજેકટ મારફતે આ શહેરોને પર્યાવરણલક્ષી ‘માસ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમ’ પૂરી પાડવામાં આવશે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2એ 28.25 કિ.મી. લંબાઈ ધરાવતો બે કોરિડોર ધરાવતો પ્રોજેકટ છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીનો તેનો કોરિડોર-1, 22.8 કિ.મી. લંબાઈ ધરાવે છે. તેનો જીએનએલયુથી ગીફટ સીટી સુધીનો કોરિડોર- 2, 5.4 કિ.મી.ની લંબાઈ ધરાવતો પ્રોજેકટ છે. ફેઝ-2ને સંપૂર્ણપણે પૂરો કરવામાં રૂ. 5,384 કરોડનો ખર્ચ થશે.
સુરત મેટ્રો રેલ પ્રોજેકટ
સુરત મેટ્રો રેલ પ્રોજેકટ 40.35 કિ.મી.ની લંબાઈ ધરાવતો 2 કોરિડોરનો પ્રોજેકટ છે. તેનો સરથાણાથી ડ્રીમ સીટી સુધીનો કોરિડોર- 1, 21.61 કિ.મી.ની લંબાઈ ધરાવે છે. ભેંસાણથી સરોઈ સુધીનો કોરિડોર-2, 18.74 કિ. મી.ની લંબાઈ ધરાવે છે. પ્રોજેકટ પૂરો કરવામાં કુલ રૂ. 12,020 કરોડનો ખર્ચ થશે.
આ પણ વાંચો: 172 મુસાફરોને લઈને SURATથી KOLKATA જઇ રહેલા PLANEનું ભોપાલમાં EMERGENCY LANDING, યાત્રીઓ સુરક્ષિત