Narmada: પૂર્ણેશ મોદીએ એકતાનગરમાં બંધ સી પ્લેનના એરોડ્રામની લીધી મુલાકાત, વિકાસકામોનું નિરીક્ષણ કર્યુ

એકતાનગર ખાતે ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ (Minister Purnesh Modi) સી પ્લેન (Sea plane) એરોડ્રામની મુલાકાત લીધી હતી. એરોડ્રામને ડેવલોપ કરવાની વિચારણા અંતર્ગત તેમણે આ સ્થળની મુલાકાત કરી હતી.

Narmada: પૂર્ણેશ મોદીએ એકતાનગરમાં બંધ સી પ્લેનના એરોડ્રામની લીધી મુલાકાત, વિકાસકામોનું નિરીક્ષણ કર્યુ
મંત્રી પૂર્ણેશ મોદીએ એકતાનગરમાં બનેલા સી પ્લેનના એરોડ્રામની મુલાકાત લીધી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 1:00 PM

નર્મદા (Narmada) જિલ્લાનું કેવડિયા હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (Statue Of unity) કારણે પ્રવાસીઓનું મન પસંદ સ્થળ બની ગયુ છે. અગાઉ નર્મદામાં અમદાવાદથી ખૂબ ઓછા સમયમાં વધુથી વધુ સહેલાણીઓ કેવડિયા આવી શકે તે માટે સી પ્લેન (Sea plane) સેવા શરુ કરવામાં આવી હતી. જે હાલ બંધ હાલતમાં છે. ત્યારે એકતાનગર ખાતે ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ સી પ્લેન એરોડ્રામની મુલાકાત લીધી હતી. એરોડ્રામને ડેવલોપ કરવાની વિચારણા અંતર્ગત તેમણે આ સ્થળની મુલાકાત કરી હતી. સાથે જ આ પ્રસંગે તેમણે અરવલ્લી ખાતે પદયાત્રીઓને નડેલા અકસ્માત બાબતે મંત્રીએ દુખ વ્યક્ત કર્યુ હતુ.

સી પ્લેન એરોડ્રામના સ્થળનું કર્યુ નિરીક્ષણ

ગુજરાત સરકારના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ એકતાનગર ખાતે બનેલા સી પ્લેનના એરોડ્રામની મુલાકાત લીધી હતી. એકતાનગર ખાતે છેલ્લા ઘણા સમયથી અમદાવાદથી એકતાનગર ખાતે આવતું સી પ્લેન બંધ છે. આ સી-પ્લેનના એરોડ્રામ ખાતે નવા ડેવલપમેન્ટ અને નવી જેટીના નવા બાંધકામના સ્થળનું નિરીક્ષણ કરવા માટે મંત્રી પૂર્ણેશ મોદીએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન સી પ્લેન જેટી ખાતે વિકલાંગો માટે નવો રેમ્પ બનાવાનો છે, સી પ્લેન જેટીનું વિસ્તરણ પણ કરવાનું છે, જેનું પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

અકસ્માત મામલે વ્યક્ત કર્યુ દુ:ખ

આવનારા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવવાની શક્યતા છે. જેથી અહીં પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તેના માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. સી પ્લેન બાબતે તેમણે કહ્યું હતું કે, હજુ કામકાજ ચાલુ છે. આવનારા સમયમાં પ્રવાસીઓ આનો લાભ લઈ શકશે. તો સાથે જ મુલાકાત દરમિયાન તેમણે અરવલ્લીમાં અંબાજી જતા પદયાત્રીઓના અકસ્માત મામલે તેમણે દુખ સાથે જણાવ્યુ કે, અકસ્માત એ અકસ્માત છે, એમાં જે ઘટતું કરવાનું થતું હશે તે અમે કરીશું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મહત્વનું છે કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી પદયાત્રાએ જતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. કૃષ્ણાપુર નજીક કારે અડફેટે લેતા સાત પદયાત્રિકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા. જ્યારે કાર ચાલક સહિત 9 પદયાત્રી ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને માલપુરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયા છે. અકસ્માતનો ભોગ બનેલા 7 પૈકી 2 મૃતકો કાલોલના અલાલી ગામના વતની હોવાનું સામે આવ્યું છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">