Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ, મત કેન્દ્રો પર સવારે 9 કલાકથી થશે મતગણતરી
Gujarat Local Body, Municipal Election Result 2026 LIVE Counting and Updates in Gujarati: આજે રાજ્યમાં લોકશાહીના પર્વનો મહત્વપૂર્ણ દિવસ છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સાથે હજારો ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થવાનો છે. મતગણતરી થોડા જ સમયમાં શરૂ થવાની છે અને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે કે સત્તા કોના હાથમાં જશે. રવિવારે સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જે મતદારોની સક્રિય ભાગીદારી દર્શાવે છે. રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં 25,579 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 730 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.

LIVE NEWS & UPDATES
-
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈને આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જેના પર રાજકીય વર્તુળો અને મતદારોની નજર ટકેલી છે. દાહોદ નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જેમાં 6 બેઠક ભાજપ અને 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જ્યારે બાકી રહેલી 29 બેઠકો માટે આજે દાહોદ સ્થિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સાથે જ દાહોદ જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકોમાંથી 1 બેઠક ભાજપ બિનહરીફ જીતતા હવે 49 બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. જિલ્લામાં આવેલી 11 તાલુકા પંચાયતોની કુલ 254 બેઠકો માટે પણ આજે મતગણતરી યોજાઈ રહી છે. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
-
સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનની આજે મતગણતરી
-
-
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈને આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે, જેના પર તમામની નજર ટકેલી છે. જિલ્લામાં કુલ 8 સ્થળોએ મતગણતરી યોજાઈ રહી છે, જેમાં વાપી મહાનગરપાલિકા, ઉમરગામ પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના રાજકીય ભાવિનો આજે નિર્ણય થશે. વાપી મહાનગરપાલિકાની મતગણતરી પુરુષ અધ્યાપન મંદિર ખાતે હાથ ધરાશે અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રહે તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મહાનગરપાલિકાની 51 બેઠકો માટે કુલ 120 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થયો હતો, જેમાં 13 વોર્ડની 52 બેઠકોમાંથી 1 બેઠક ભાજપના ફાળે બિનહરીફ ગઈ હતી. હવે બાકી રહેલી 51 બેઠકોના પરિણામ સાથે 81,755 મતદારોના નિર્ણય પર સૌની નજર કેન્દ્રિત છે.
-
અમદાવાદ મનપા માટે 48 વોર્ડ માટે 2 મતગણતરી કેન્દ્ર રખાયા
અમદાવાદમાં આજે મનપા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે, જેને લઈને સમગ્ર શહેરમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. મનપાની 48 વોર્ડ માટે બે મુખ્ય મતગણતરી કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે અને દરેક કેન્દ્ર પર આરઓની નિમણૂક કરીને પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલડી કોલેજ ખાતે આશરે 800 પોલીસ કર્મચારીઓ અને ગુજરાત કોલેજ ખાતે લગભગ 700 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સવારે 9 વાગ્યે પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે, ત્યારબાદ એલડી કોલેજ ખાતે એક સાથે 9 વોર્ડ અને ગુજરાત કોલેજ ખાતે 7 વોર્ડની મતગણતરી હાથ ધરાશે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે કડક બંદોબસ્ત ગોઠવાયો છે.
-
અમદાવાદ મનપા, જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી થશે
મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે છે, લોકશાહીનો ‘મહા-ચુકાદો’. આજનો સૂર્યોદય હાર-જીતના રોમાંચક સમીકરણો લઈને ઉગ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં ખેલાયેલા જંગ બાદ, હવે ઉમેદવારોના હૃદયના ધબકારા વધ્યા છે.. થોડી જ ક્ષણોમાં પરિણામો આવવાની શરૂઆત થઈ જશે. થોડા કલાકોમાં નક્કી થઈ જશે કે, 15 મહાનગરપાલિકાઓ.. 84 નગરપાલિકાઓ.. 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોમાં જીતનો ‘તાજ’ કોના શિરે જશે..
-
-
આજે લોકશાહીના પર્વનો મહાચુકાદો
ભાજપે અનેક મનપા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બિનહરીફ જીત મેળવી પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી છે. ઊંઝા, કડી, બાયડ અને ગણદેવી જેવી નગરપાલિકાઓમાં ભાજપનો સીધો વિજય નોંધાયો છે. મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ શકે.
આજે રાજ્યમાં લોકશાહીના પર્વનો મહત્વપૂર્ણ દિવસ છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સાથે હજારો ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થવાનો છે. મતગણતરી થોડા જ સમયમાં શરૂ થવાની છે અને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે કે સત્તા કોના હાથમાં જશે. રવિવારે સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જે મતદારોની સક્રિય ભાગીદારી દર્શાવે છે. રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં 25,579 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 730 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.
Published On - Apr 28,2026 7:16 AM