પાટણમાં કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરવાના મામલે રાજકીય ગરમાવો વધ્યો છે. આ ઘટનાક્રમ વચ્ચે ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભા કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ આજે બપોરે 3 વાગ્યે પોતાનું રાજીનામું સત્તાવાર રીતે આપશે. પક્ષના સંગઠનમાં થયેલી નિમણૂકોથી કિરીટ પટેલ નારાજ હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને એસસી મોરચાના પ્રમુખપદે જયા શાહને ફરીથી રિપીટ કરાતા વિરોધ ઊઠ્યો છે. આ મામલે કિરીટ પટેલે વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના અન્ય અગ્રણીઓ સાથે ચર્ચા અને વાતચીત પણ શરૂ રાખી છે. ઘટનાને પગલે કોંગ્રેસના આંતરિક રાજકારણમાં અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે.
30 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સુરેન્દ્રનગરના લીંબડીમાં રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીએ પોલીસ પર છરીથી કર્યો હુમલો, પોલીસે સ્વબચાવમાં કરેલ ફાયરિંગમાં આરોપી થયો ઈજાગ્રસ્ત
આજે 30 ડિસેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 30ડિસેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સુરેન્દ્રનગરના લીંબડીમાં રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીએ પોલીસ પર છરીથી કર્યો હુમલો, પોલીસે સ્વબચાવમાં કરેલ ફાયરિંગમાં આરોપી થયો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગરના લીંબડીમાં આરોપીને લઈને પોલીસ રિકન્સ્ટ્રકશન કરી રહી હતી તે દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર હુમલો કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે કરેલ ગોળીબારમાં આરોપીને ઈજા પહોચી છે. આ બનાવની વિગત એવી છે કે, લીંબડીના શિયાણી ગામે મારામારીના કેસના આરોપી દેવરાજ બોરાણાને ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન માટે લઈ જવામાં આવી રહ્યો હતો. જ્યા આરોપી દેવરાજે પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો. પીએસઆઈ વી.એમ. કોડિયાતર દ્વારા સ્વબચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું. જેમા આરોપીને પગમાં ગોળી વાગતા ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
-
અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટિટ્યૂટે એક વર્ષમાં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી દેશભરમાં નવો વિક્રમ રચ્યો
અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC-ITS)એ કિડની પ્રત્યારોપણના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત આ સંસ્થાએ માત્ર વર્ષ 2025માં જ 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ 500 ટ્રાન્સપ્લાન્ટમાં 367 પુરુષો અને 133 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ભવ્ય સફળતા સાથે ઇન્સ્ટિટયૂટ ઑફ કિડની ડિસિઝિસ એન્ડ રિસર્ચ સેન્ટરે સમગ્ર દેશમાં પબ્લિક હોસ્પિટલની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવી પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. કિડની ઇન્સ્ટિટયૂટની આ કામગીરી આજે અંગ પ્રત્યારોપણના દર્દીઓ માટે આશાનું નવું કિરણ બની છે.
-
-
1 જાન્યુઆરી 2026ના રોજ ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે
ગિફ્ટ સિટીમાં આગામી 1 જાન્યુઆરી 2026થી આ IAIRO સ્પેશિયલ પર્પઝ વિહિકલ તરીકે કાર્યરત કરાશે. આ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની રચના કંપની અધિનિયમ 2013ની કલમ 8 અન્વયે નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કરવામાં આવશે. એટલું જ નહિં, આ પ્રોજેક્ટ માટે પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે 300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા ખાનગી ભાગીદાર ત્રણેયનું 33.33 ટકા યોગદાન રહેશે. ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ IAIRO માટે એન્કર ખાનગી ભાગીદાર તરીકે જોડાયું છે અને 2025-26ના વર્ષ માટે 25 કરોડનું યોગદાન આપવાનું છે આ IPAમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા જેવી કંપનીઓ સહિત 23 જેટલી અગ્રણી ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે.
-
ઘરેથી ભાગીને લગ્ન કરનારાઓની લગ્ન નોંધણીને આખરી મંજૂરી વર્ગ-2ના અધિકારી આપશે, કેબિનેટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
ઘરેથી ભાગીને કરાયેલા લગ્ન બાદ થતી નોંધણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ભાગીને લગ્ન કરનારની નોંધણીને હવે ક્લાસ 2 અધિકારી આપશે આખરી મંજૂરી. તલાટી કમ મંત્રી ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર સીધી લગ્ન નોંધણી નહીં કરી શકે. ભાગીને લગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા – પિતાને મોકલાશે નોટિસ. નોટિસ મળ્યાના 30 દિવસમાં યુવક – યુવતીના માતા – પિતા કે વાલીએ જવાબ રજૂ કરવો પડશે. તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી ક્લાસ 2 અધિકારીને મોકલશે. આવતીકાલે મળનારી કેબિનેટમાં જો લગ્ન નોંધણીના સુધારેલા નિયમોને મંજૂરી મળશે તો સરકાર સત્તાવાર જાહેરાત કરશે.
-
સાણંદના કલાણામાં પથ્થરમારો કરીને ભાગીને ખેતરમાં છુપાઈ ગયેલા આરોપીઓને પોલીસે ડ્રોનથી શોધીને પકડ્યા
સાણંદના કલાણા ગામમાં થયેલ જૂથ અથડામણ મામલે ગામમાંથી 42 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. પોલીસે ડ્રોન સર્વેલન્સથી પથ્થરમારો કરનારાને પકડ્યા છે. ખેતરોમાં છુપાયેલ પથ્થરબાજોને ડ્રોનથી પોલીસે પકડી પાડ્યા છે. ગ્રામ્ય પોલીસ કલાણા ગામમાં કોમ્બિંગની સાથેસાથે આરોપીઓને પકડ્યા છે.
ગામના મોટાભાગના ઘરોમાં પોલીસ કાર્યવાહીના ડરથી ખંભાતી તાળા લાગી ગયા છે. સાણંદ GIDC પોલીસ બન્ને પક્ષની ક્રોસ ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે. ગામમાં રહેલા સીસીટીવી આધારે પથ્થરબાજોની શોધખોળ શરૂ કરી હતી. પથ્થરમારો કરનાર કોઈને પણ છોડવામાં નહી આવે તેમ અમદાવાદ ગ્રામ્ય SPએ જણાવ્યું છે. પથ્થરમારાથી ગામના મકાનોને ભારે નુકશાન થયું હોવાનું સ્થાનિક મહિલાઓએ ફરિયાદ કરી છે. મહિલાઓ કામ અર્થે ગઈ હતી અને ઘરે આવતા ઘરના નળિયા અને દરવાજા તૂટેલા હતા. હાલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
-
-
સાયબર ફ્રોડના રૂપિયા જમા કરવા બેંક એકાઉન્ટ ભાડે આપનારની ગીર સોમનાથના તાલાલામાંથી ધરપકડ
ગીર સોમનાથના તાલાલામાંથી પોલીસે સાયબર ફ્રોડ કરનારાઓ રૂપિયા બેંકમાં જમા કરી શકે તે માટે, કમિશનથી બેંક એકાઉન્ટ ભાડે આપનારની ધરપકડ કરી છે. તાલાલાનો જીગર દિલીપભાઇ અકબરી પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપતો હતો. પોતાના એકાઉન્ટમાં ગેરકાયદેસર નાણા ટ્રાન્સફર કરાવી કમીશન મેળવતો હતો. સાયબર ફ્રોડની 75 હજાર રકમ પોતાના એકાઉન્ટમાં ગેરકાયદેસર ટ્રાન્સફર કરાવી કમિશન મેળવ્યું હતું. તાલાલા પોલીસે સાયબર ફ્રોડ અંતર્ગત કલમ- 317 (2), (61)2 મુજબનો ગુનો દાખલ કર્યો છે. જો કે આ કિસ્સામાં પોલીસને હજુ એક આરોપી પકડવાનો બાકી છે. બેંક એકાઉન્ટ ભાડે આપી ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર મામલે હજુ પણ નામો ખુલી શકે તેવી શક્યતા રહેલી છે.
-
મહેસાણાના ઈરાણા ગામે નાણાંની ઉઘરાણીમાં યુવકનું અપહરણ, હાથ પગ તોડી રિવોલ્વર બતાવીને કરી લૂંટ, નંદાસણ પોલીસ સ્ટેશને 9 સામે નોંધાઈ ફરિયાદ
મહેસાણાના ઈરાણા ગામે નાણાંની ઉઘરાણીમાં યુવકનું અપહરણ, રિવોલ્વર બતાવીને લૂંટ કરી હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે. રૂપિયા 1 કરોડની સામે 3 કરોડ ચૂકવ્યા છતાં વધુ પૈસા માટે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. રબારી જયેશભાઈના ફાર્મ હાઉસ પર બોલાવી ઢોર માર માર્યો હતો. લૂંટારાઓએ ધારીયા, પટ્ટા અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પતિ-પત્નીના પાસપોર્ટ બળજબરીથી લઈ લીધા હતા. નંબર પ્લેટ વિનાની ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરી છત્રાલ ટોલનાકે ફેંકી દીધો હતો. નંદાસણ પોલીસે જયેશ રબારી સહિત 9 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
-
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની પ્રેશર ટેકનિક સફળ, હવે રાજીનામુ નહીં આપે
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે, વિધાનસભાના દંડક પદેથી રાજીનામુ આપવાની કરેલ જાહેરાતમાંથી ફેરવી તોળ્યું છે. પક્ષની અંદર તેમની વાત મનાવવા માટે રાજીનામુ આપવાની જાહેરાત કરીને ત્રાગુ કરનાર કિરીટ પટેલ સફળ થયા છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની પ્રેશર ટેકનિક સફળ, હવે રાજીનામુ નહીં આપે. હાલ પૂરતું દંડક પદ પરથી રાજીનામુ મોકૂફ રાખવામાં આવ્યું હોવાનું કિરીટ પટેલે કહ્યું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે ટેલિફોનીક વાતચીત બાદ હવે કિરીટ પટેલ રાજીનામું નહીં આપે. મોવડી મંડળએ યાત્રા બાદ બન્ને માંગણી વિશે નિર્ણય લેવાઈ ગયો છે
ભાષણ રોકવા અને પાર્ટી લાઇન વિરુધ્ધ કામ કરનાર સામે પગલા લેવા અંગે જણાવ્યું હતું. પત્ર લખી હકીકત લખી AICC ને મોકલી આપ્યું છે. 2017 અને 2022 માં પાર્ટી માં આવા લોકોના નામ આપ્યા છે. આ વ્યક્તિ વિરુધ્ધ એક્શન લેશે જે બાદ નામો પણ જાહેર કરીશું. પાર્ટી ને 4 જાન્યુઆરી સુધી આલ્ટીમેટમ આપ્યું છે. યાત્રા પૂરી થાય બાદ અમિત ભાઈ ચાવડા સાથે વાત થઈ છે. આ કોઈ પ્રેશર ટેકનીક નહોતી તેવો દાવો પણ કિરીટ પટેલે કર્યો છે. રાધનપુરનો જે બનાવ બન્યો હતો તે તેમજ પાટણમાં જે નિમણુંકો કરવામાં આવી હતી એ લોકોએ અમારી 2017 અને 2022 ની ચૂંટણીમાં અમારી વિરુદ્ધ કામ કર્યું હતું. પ્રદેશ કક્ષાએ પક્ષમાં તેમને જ હોદ્દા આપવામાં આવ્યા હતા. જેનો વિરોધ હતો.
અમિતભાઈ ચાવડાએ યાત્રા પૂર્ણ થયા બાદ આ અંગે નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. રાધનપુરમાં અમારા ભાષણને રોકવાનો પ્રયાસ કર્યો હતો તે તેમજ sc સમાજની સ્ટેટ લેવલની નિમણુંકો અંગે અમારી નારાજગી હતી. જે પાર્ટીમાં કોન્ફીડસિયલ રિપોર્ટ માગ્યો હતો તેમાં અમે નામ આપેલા છે. જ્યારે પાર્ટી તેમની ઉપર એકશન લેશે ત્યારે નામ જાહેર કરીશું. હાલ પૂરતું દંડક પદ પરથી રાજીનામુ મોકૂફ રાખવામાં આવ્યું હોવાનું કિરીટ પટેલે કહ્યું હતું.
-
અમદવાદ: સાણંદના કલાના ગામે પથ્થરમારાની ઘટના બાદ હાલ શાંતિ
અમદવાદ: સાણંદના કલાના ગામે પથ્થરમારાની ઘટના બાદ હાલ શાંતિ જોવા મળી રહી છે. પોલીસે અંદાજે 30 લોકોની અટકાયત કરી. એક વર્ષ જૂની અદાવતમાં બંને જૂથ વચ્ચે અથડામણ થઈ. યુવકો વચ્ચે બાઈક અને સોશિયલ મીડિયા અંગે વિવાદ થયો હતો. બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો. બંને પક્ષોએ પથ્થરમારો કરતાં સામસામે ફરિયાદ નોંધાઈ. SP સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. પોલીસની ટીમે કોમ્બિંગ શરૂ કરી મામલો થાળે પાડ્યો.
-
બનાસકાંઠા: કાંકરેજમાં નકલી આર્મી જવાનનો પર્દાફાશ
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં નકલી આર્મી જવાનની ઠગાઈ સામે આવી છે. શિહોરીમાં આ વ્યક્તિએ પોતાને ભારતીય આર્મીના પેરાશૂટ જવાન તરીકે ઓળખ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી 2.98 લાખ રૂપિયા ઠગવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસને કાર્યવાહી હાથ ધરવી પડી અને નકલી આર્મી જવાનને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને સંભવિત અન્ય શિકારોની વિગતો મેળવવાની કોશિશ કરી રહી છે.
-
ખેડાઃ વડતાલ-બાકરોલ રોડ પર બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારી
ખેડાઃ વડતાલ-બાકરોલ રોડ પર બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારી થઇ. કોઈ અગમ્ય કારણોસર બે જૂથો આમને સામને આવ્યા. બોલાચાલીનો મામલો મારમારી સુધી પહોંચી ગયો. ધોળા દિવસે જાહેર માર્ગ પર થયેલી મારમારીથી ભયનો માહોલ ફેલાયો છે.
-
રાજકોટઃ 31st ડિસેમ્બર પહેલા આરોગ્ય વિભાગની તપાસ
રાજકોટઃ 31st ડિસેમ્બર પહેલા આરોગ્ય વિભાગની તપાસ ચાલી રહી છે. RMCના આરોગ્ય વિભાગ દ્રારા કેક શોપ પર તપાસ કરવામાં આવી રહી છે. રેફ્યુઝી કોલોનીમાં જય જલારામ બેકરીમાં તપાસ હાથ ધરાઇ. કેક અને અન્ય બેકરી પ્રોડક્ટને લઇને તપાસ હાથ ધરાઇ. છેલ્લા પાંચ દિવસમાં 15 જેટલા નમૂના લેવામાં આવ્યા.જય જલારામ બેકરી ખાતે સ્ટોરેજમાં ગંદકી જોવા મળી. કેકની એક્સપાઇરી ડેટને લઇને પણ નોટિસ આપવામાં આવશે.
-
ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભા કોંગ્રેસના દંડક પદેથી આપશે રાજીનામુ
-
ઉત્તરાખંડ: અલ્મોરામાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, અનેક લોકોના મોત
ઉત્તરાખંડના અલ્મોરા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તાર પાસે મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી ગઈ છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. અલ્મોરાના એસએસપી દેવેન્દ્ર પિંચાએ જણાવ્યું હતું કે, “બચાવ ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. કેટલાક લોકોના મોતના અહેવાલ છે.”
-
જામનગર: કોર્પોરેટર પર હુમલા મામલે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
જામનગર: કોર્પોરેટર પર હુમલા મામલે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોર્પોરેટર અલ્તાફ અલી સહિત 6 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો. કોર્પોરેટર પર જીવલેણ હુમલા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી. વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખીલજી પર જીવલેણ હુમલો થયો હતો.
-
ઉત્તર રેલ્વે ક્ષેત્રમાં 115 ટ્રેનો મોડી ચાલી રહી છે
ઉત્તર રેલ્વે ક્ષેત્રમાં આવતી 115 ટ્રેનો મોડી ચાલી રહી છે. ઉત્તર રેલ્વે તરફથી મળેલી માહિતી અનુસાર, આ ક્ષેત્રમાં 115 ટ્રેનો મોડી ચાલી રહી છે. આમાંથી કેટલીક ટ્રેનો ટ્રેક જાળવણીના કારણે મોડી પડી છે, જ્યારે મોટાભાગની ધુમ્મસના કારણે મોડી પડી છે.
-
દક્ષિણ ગુજરાતના વાંસદામાં ભૂકંપનો આંચકો
દક્ષિણ ગુજરાતના વાંસદામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદાથી 62 km દુર નોંધાયું. સવારે 9:24 મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
-
મોરબી: સિરામિક ફેક્ટરીમાં ફોર્કલિફ્ટની અડફેટે મહિલાનું મોત
મોરબીમાં આવેલી એક સિરામિક ફેક્ટરીમાં કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ફોર્કલિફ્ટ (લોડર)ની અડફેટે એક શ્રમિક મહિલાનું મોત થયું છે. ફેક્ટરીમાં કામ કરતી વખતે અચાનક લોડર મહિલાને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાઓ અત્યંત ગંભીર હોવાના કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે ફેક્ટરીમાં અફરાતફરી મચી ગઈ હતી. મૃતક મહિલાના પતિએ લોડર ચાલક સામે બેદરકારીનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
-
બનાસકાંઠા: અંબાજી મંદિર પર 1 જાન્યુઆરીથી નહીં ચઢાવાય 5મીટરથી લાંબી ધજા
બનાસકાંઠા: અંબાજી મંદિર પર ચઢાવાતી ધજાને લઇ મોટો નિર્ણય લેવાયો. મંદિર પર 1 જાન્યુઆરીથી નહીં ચઢાવાય 5મીટરથી લાંબી ધજા. ટેકનીકલ સર્વે બાદ શ્રદ્ધાળુઓની સલામતી માટે લેવાયો નિર્ણય. મંદિર પ્રશાસન, શાસ્ત્રોક્ત અભિપ્રાય અને ટેકનિકલ કન્સલ્ટન્ટની સલાહ બાદ નિર્ણય લેવાયો. લાંબી ધજાઓને કારણે 15 વર્ષ જૂના ધ્વજદંડને નુકસાન થઇ રહ્યુ છે.
-
વાવ થરાદ: કોલસો ભરેલા ટ્રેલરમાં ભીષણ આગ
વાવ થરાદ: કોલસો ભરેલા ટ્રેલરમાં ભીષણ આગ લાગી છે. ભારતમાલા હાઈવે પર મોડી રાત્રે ઘટના બની છે. ટ્રેલરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. ટ્રેલર કંડલાથી ઉતરપ્રદેશ જઈ રહ્યું હતું. આગમાં ટ્રેલર બળીને ખાખ, ચાલકનો આબાદ બચાવ થયો છે.
-
ભરૂચઃ સાંસદ મનસુખ વસાવાનો આકરો મિજાજ ફરી એક વાર દેખાયો
ભરૂચઃ સાંસદ મનસુખ વસાવાનો આકરો મિજાજ ફરી એક વાર દેખાયો. નેત્રંગના મખ્યમાર્ગનું કામ અટકાવ્યું. પેવર બ્લોક બેસાડવાની કામગીરી ચાલી રહી હતી. હલકી કક્ષાના બ્લોક નખાતા હોવાની રજૂઆત થઈ હતી. રજૂઆત બાદ નિરિક્ષણ કરવા મનસુખ વસાવા પહોંચ્યા હતા. કામમાં ગોબાચારી દેખાતા કામગીરી બંધ કરાવી દીધી.
-
અમેરિકાઃ બરફનું તોફાન ત્રાટકવાની ચેતવણી
અમેરિકાઃ બરફનું તોફાન ત્રાટકવાની ચેતવણી આપવામાં આવી છે. આગામી 48 કલાકમાં અમેરિકાને બરફ બોમ્બ ધમરોળશે. વાવાઝોડાની અસરને પગલે બરફ અને કરાનો વરસાદ થયો. વિન્ટર સ્ટોર્મને પગલે અમેરિકાના અનેક વિસ્તારો પ્રભાવિત થયા. મોન્ટાનાથી લઇને મેઇને સુધી વાવાઝોડાની અસર થઇ શકે છે. ટેક્સાસથી માંડીને પેન્સિલવેનિયા સુધીના વિસ્તારો પ્રભાવિત થઇ શકે.
-
બનાસકાંઠા : પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી યાત્રા કાણોદર નજીક અટકાવાઇ
બનાસકાંઠા : પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી યાત્રા કાણોદર નજીક અટકાવાઇ. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહીતના લોકોને અટકાવાયા. કાણોદર નજીક કલાકોથી આદિવાસી સમાજના લોકોએ ધામા નાખ્યા. મંજૂરી ન લીધી હોવાના નામે પોલીસે યાત્રા અટકાવી હોવાનો આક્ષેપ છે. આદિવાસી સમાજ ના સમર્થનમા ગુલાબસિંહ રાજપૂત પણ મેદાને ઉતર્યા. યાત્રા ચાલુ રાખવા આદિવાસી સમાજના લોકો મક્કમ બન્યા.
Published On - Dec 30,2025 7:32 AM
શિયાળામાં પેટના સારા સ્વાસ્થ્ય માટે શું ખાવું?
ચીકુની તાસીર કેવી હોય છે? તેના પોષક તત્વો અને તેના સ્વાસ્થ્ય લાભો જાણો
બાજરીમાંથી બનાવો આ 5 વસ્તુઓ, જે સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ સારી
Health : શિયાળામાં બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા આ વસ્તુઓ ખાઓ
મેકઅપ વગર જાહ્નવી આવી દેખાય છે, શેર કર્યો Photo
બંધ ગળામાં રાહત મેળવવા માટે 5 ઘરેલું ઉપચાર