27 ઓગસ્ટના મહત્વના સમાચાર : નેપાળમાં આવેલી ભયાનક તબાહીમાં 133 ભારતીયો સહિત 400 વિદેશી લાપતા, બિહારમાં પણ એલર્ટ
આજે 27 ઓગસ્ટને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
CM ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા-કેનેડા પ્રવાસ પૂર્ણ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાનો પ્રવાસ પૂર્ણ કરીને ગુજરાત પરત ફર્યા છે. ગુજરાતમાં વૈશ્વિક રોકાણ આકર્ષવાનો પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. પ્રવાસ દરમિયાન નવા ઉદ્યોગો, નવી ટેક્નોલોજી અને રોજગારીની નવી તકો ગુજરાતમાં આવે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આગામી વાયબ્રન્ટ સમિટમાં વિશ્વની અનેક કંપનીઓ ભાગ લઈને ગુજરાતમાં રોકાણ કરશે. વિશ્વભરના રોકાણકારો ગુજરાતમાં આવે, ઉદ્યોગો સ્થાપે અને રાજ્યના વિકાસમાં ભાગીદાર બને તે સરકારનો મુખ્ય ધ્યેય છે.
-
સાગબારાના જંગલની જમીનના વિવાદમાં મહત્વપૂર્ણ નિર્ણય
નર્મદાના સાગબારા વિસ્તારમાં જંગલની જમીનના વિવાદને લઈને સાંસદ મનસુખ વસાવાની સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોને જમીનના હક અંગે ચર્ચા કરવામાં આવી હતી અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા પૂરાવાના આધારે પાત્ર ખેડૂતોને જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાંબા સમયથી જમીનના હક માટે રજૂઆત કરી રહેલા ખેડૂતોને મોટી રાહત મળવાની શક્યતા છે.
-
-
ગીર સોમનાથના તાલાલામાં મોડી રાત્રે ત્રિપલ અકસ્માત
ગીર સોમનાથના તાલાલા પાસે સાસણ રોડ પર મોડી રાત્રે બે રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવા જતા બેફામ કારે બે રિક્ષાને ભીષણ ટક્કર મારતા અફરાતફરી મચી ગઈ હતી. તાલાલાથી જૂનાગઢ ઉર્ષમાં જઈ રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો, જેમાં એક વર્ષના બાળકથી લઈને મહિલાઓ સહિત કુલ 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત 8 લોકોને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે.
-
નેપાળમાં ભયાનક પૂરથી તબાહી
નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તબાહી સર્જી છે. પૂરના પ્રવાહમાં 1,000થી વધુ લોકો તણાયા હોવાની આશંકા વચ્ચે અત્યાર સુધીમાં 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પૂર બાદ 50 પ્રવાસીઓ સહિત 400 જેટલા વિદેશીઓ અને 133 ભારતીયો લાપતા હોવાની માહિતી સામે આવી છે. કુદરતી આપદામાં 28 જવાનો અને કસ્ટમ ઓફિસના 14 કર્મચારીઓની પણ ભાળ મળી નથી. પૂરનાં પાણીમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટ, અનેક વાહનો, બજાર, કસ્ટમ વિસ્તાર અને પોલીસ ચોકી તણાઈ ગયા છે. સ્થિતિને પગલે નેપાળના પાંચ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે વડાપ્રધાન બાલેન્દ્ર શાહે ઈમરજન્સી બેઠક બોલાવી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી છે.
આજે 27 ઓગસ્ટને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Aug 27,2026 7:31 AM
