24 જાન્યુઆરીના મહત્વના સમાચાર : બનાસકાંઠાના અમીરગઢ નજીક સર્જાયો મોટો અકસ્માત, રોંગ સાઈડમાંથી આવતી ટ્રકને કારણે કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ નિપજ્યા મૃત્યુ
આજે 24 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 24 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જયરાજ આહિરની ધરપકડ બાદ પરસોત્તમ સોલંકીની પહેલી પ્રતિક્રિયા
નવનીત બાલધીયા પર હુમલાના કેસમાં જયરાજ આહિરની ધરપકડ બાદ કોળી સમાજના આગેવાન અને રાજ્ય સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે. સરકાર અને સમાજના તમામ આગેવાનોની મહેનત રંગ લાવી છે અને પીડિત નવનીત બાલધીયાને સફળતા મળી છે…સાથે તેમણે સમાજને એક રહેવા અપીલ કરી છે
-
અમદાવાદ: મોબાઈલ ટાવર પર લાગેલા કોપર વાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ
વૈશ્વિક સ્તરે કોપરની કિંમત દિવસેને દિવસે વધી રહી છે ત્યારે હવે કોપર વાયરની ચોરીની ઘટનાઓ પણ વધી છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો અસલાલી, વિરમગામ અને કણભા સહિતના વિસ્તારોમાં કોપર કેનાલની ચોરીની ફરિયાદો વધી રહી હતી, જેના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે મોબાઈલ ટાવર પર લાગેલા કોપર વાયરની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. ચોર ટોળકીના ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચોર ટોળકી પાસેથી બે લાખથી વધુની કિંમતનું કોપર જપ્ત કરાયું છે. 213 કિલોગ્રામ કોપર, ચોરીમાં ઉપયોગ લેવાયેલું વાહન, ટેમ્પો અને કેબલ કટર સહિત કુલ 3 લાખ 80 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે જગદીશ અને અભિષેક ટેકનીકલી નોલેજ ધરાવતા હતા. જેને કારણે તેને કોપરના કેબલની ચોરી કઈ રીતે કરવી તેનો અંદાજો હતો.
-
-
અમદાવાદ: રખડતાં શ્વાનને કોઈપણ જગ્યાએ નહીં ખવડાવી શકો
અમદાવાદ: રખડતાં શ્વાનને કોઈપણ જગ્યાએ નહીં ખવડાવી શકો. રખડતાં શ્વાનને કોઈપણ જગ્યાએ ખવડાવશો તો દંડ થશે. CNCD વિભાગનો શ્વાનના આતંક અંગે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. સુપ્રીમ અને હાઈકોર્ટની ગાઈડલાઈન દ્વારા નવો નિયમ બનાવાયો છે. જુદા-જુદા 126 સ્પોટ ઓળખી ડોગ ફીડીંગ અંગે જાહેરાત કરાશે. 126 ડોગ ફીડીંગ સેન્ટર પર શ્વાનને ખવડાવવામાં આવશે. કડક અમલવારી માટે લોકોને જાગૃત કરી નિયમની જાહેરાત કરાશે.
મહત્વનું છે કે રખડતાં શ્વાનના આતંકના દ્રશ્યો સામે આવતાં હોય છે. ત્યારે હવેથી લોકો શ્વાનને કોઈ પણ જગ્યાએ ન ખવડાવે તે માટે નવો નિયમ CNCD વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. રાહદારીઓ પર ઘણીવાર શ્વાન હુમલો કરતાં હોય છે. ત્યારે શ્વાનનો આતંક ઘટાડવા માટે શહેરના જુદા-જુદા 126 સ્પોટ ઓળખીને તે જ જગ્યાએ શ્વાનને ખવડાવવામાં આવે તેવા પ્રકારનું આયોજન કરાશે. હાલ આ નિયમ અંગે લોકોને જાગૃત કર્યા બાદ. કડક અમલવારી કરવામાં આવશે.
-
બનાસકાંઠા: અમીરગઢમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત
બનાસકાંઠા: અમીરગઢમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. ઇકબાલગઢ નજીક રોંગસાઇડથી આવતી ટ્રક રાજસ્થાનના પરિવાર માટે કાળ બની ગઈ. કારમાં સવાર રાજસ્થાનનો પરિવાર પાલનપુર તરફ હોસ્પિટલમાં સારવાર માટે જઈ રહ્યો હતો અને રસ્તામાં જ અકસ્માત નડ્યો હતો. અમીરગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી છે
-
ગાંબોઈ નજીક અફીણના જથ્થા સાથે બે યુવક ઝડપાયા
સાબરકાંઠાના હિંમતનગરના ગાંબોઈ નજીક અફીણના જથ્થા સાથે બે યુવક ઝડપાયા છે. રાજસ્થાનના પ્રતાપગઢના બે યુવક બાઇક પર અફીણની હેરાફેરી કરતા ઝડપાયા છે. પોલીસે 6 કિલો 129 ગ્રામ અફીણનો જત્થો જપ્ત કર્યો છે જેની બજાર કિંમત 30 લાખ 62 હજાર રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે જ્યારે સતલાસણાના એક શખ્સ સહિત કુલ 6 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે
-
-
ભાવનગરઃ નવનીત બાલધીયા પર હુમલાના કેસમાં મોટા સમાચાર
ભાવનગરઃ નવનીત બાલધીયા પર હુમલાના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ કરવામાં આવી છે. જયરાજ આહિરના ઈશારે હુમલો થયાનો નવનીત બાલધીયાનો આક્ષેપ છે. SITની ટીમને જયરાજ આહિર વિરુદ્ધ પુરાવા મળતા ધરપકડ કરી છે. નવનીત બાલધીયાને માર મારવા મુદ્દે જયરાજ આહિરની ખુલ્લી સંડોવણી સામે આવી છે. તમામ પુરાવાઓ પ્રાપ્ત થતા જયરાજ આહીરની ધરપકડ કરાઈ છે.
-
રાજકોટ: જસદણમાં બાવળની જાડીમાંથી નવજાત શિશુ મળ્યું
રાજકોટ: જસદણમાં બાવળની જાડીમાંથી નવજાત શિશુ મળ્યું. સાણથલી પેટ્રોલ પંપ પાસેથી કપડામાં વિટેલું બાળક મળ્યું. જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગરના સિમ્બોલવાળા કપડામાં શિશુ મળ્યું. સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલમાં પ્રસુતિ કરાવી હોવાનું અનુમાન છે. સ્થાનિકોએ 108 બોલાવી કાંટામાંથી શિશુને સુરક્ષિત બહાર કઢાયું. નવજાતને સારવાર માટે રાજકોટ જનાના હોસ્પિટલ ખસેડાયું. સમગ્ર વિસ્તારના CCTV ચેક કરી આરોપીની શોધખોળ કરાઈ.
-
કચ્છઃ ગાંધીધામમાં ખુલ્લા નાળામાં ખાબકી રિક્ષા
કચ્છઃ ગાંધીધામમાં શિવાજી પાર્ક વિસ્તારમાં ખુલ્લા નાળામાં ખાબકી રિક્ષા. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અકસ્માતનો આરોપ છે. અધૂરા કામ કરનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે અકસ્માતની સંભાવના વધી. બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી.
-
અમદાવાદ: અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના ફરી આંદોલનના માર્ગે
અમદાવાદમાં અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના ફરી એક આંદોલનના માર્ગે ઉતરવા તૈયાર છે. 26 જાન્યુઆરીની અડધી રાત્રે ગાંધીનગરમાં અભ્યુદય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ઠાકોર સમાજને આગળ લાવવા અને સમાજને જાગૃત કરવાનો હેતુ સાથે યોજાયો છે. કાર્યક્રમ રાત્રીના 3 વાગ્યે શરૂ થશે અને રાજ્યના 7 હજાર ગામડાઓથી ઠાકોર સમાજના લોકો તેમાં જોડાશે.
-
સુરત: પાલ વિસ્તારમાં શાળાના એન્યુઅલ ફંક્શનમાં થઈ મારામારી
સુરત: પાલ વિસ્તારમાં શાળાના એન્યુઅલ ફંક્શનમાં મારામારી થઈ. સંચાલકો દ્વારા મેનેજમેન્ટ બાબતે ઉગ્ર બબાલ થઈ. અજાણી શાળાના કાર્યક્રમમાં શખ્સોએ મારામારી કરી. છુટ્ટાહાથે મારામારી કરતાં શખ્સોનો વીડિયો સામે આવ્યો. સોશિયલ મીડિયામાં મારામારીનો વીડિયો વાયરલ થયો.
-
રાજકોટ: પત્નીના ત્રાસથી પતિની મદદની માગ, રિસામણે ગયેલી પત્ની પરેશાન કરતી હોવાનો આરોપ
રાજકોટ: પત્નીના ત્રાસથી પતિએ મદદની માગ કરી છે. રિસામણે ગયેલી પત્ની પરેશાન કરતી હોવાનો આરોપ છે. 14 વર્ષ પહેલા લગ્ન બાદ 7 વર્ષથી પત્ની રિસામણે છે. મહિલા વારંવાર યુવકના ઘરે બબાલ કરતી હોવાનો આરોપ છે., છૂટાછેડા માટે એક કરોડ તથા મિલ્કતમાં ભાગની પણ માગ છે. યુવકના ઘરે પથ્થર મારતા CCTV સામે આવ્યા છે. યુવકે મીડિયા સામે આવી મદદની માગ કરી છે.
-
જામનગર: વંડાફળી વિસ્તારમાં ઘાતકી હત્યાના આરોપીઓ પકડાયા
જામનગર: વંડાફળી વિસ્તારમાં ઘાતકી હત્યાના આરોપીઓ પકડાયા. પ્રેમલગ્નની આદાવતમાં સાળા સહિત 2 શખ્સોએ બનેવી પર હુમલો કર્યો. ઘરમાં ઘૂસીને બનેવીને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી. પોલીસે CCTV ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસથી તપાસ કરી. LCB અને પોલીસે જુદી-જુદી ટીમ બનાવી ફરાર આરોપીઓને પકડ્યા. કાલાવડ-જામ કંડોરણા તરફ નાસતા સાળા સહિત 2ની ધરપકડ કરી.
-
અમદાવાદની સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મામલે સાયબર ક્રાઈમમાં નોંધાઈ પોલીસ ફરિયાદ
અમદાવાદની સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મામલે સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મેઇલમાં ખાલિસ્તાન અંગે લખાણ લખ્યું હતુ. PM અને અમિત શાહને પણ ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ હતો. સાયબર ક્રાઈમ PSIએ ફરિયાદ નોંધાવી.
-
સુરત: મોબાઈલ ચોરી કરી સાઉથ આફ્રિકા વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સુરત: મોબાઈલ ચોરી કરી સાઉથ આફ્રિકા વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી. મુખ્ય આરોપી આફ્રિકાથી રેકેટ ચલાવતો હતો. આફ્રિકા જતાં આરોપી પાસે મોબાઈલ સાઉથ આફ્રિકા મોકલાવાતા. અત્યાર સુધી 30થી વધુ ચોરીના મોબાઈલ આફ્રિકા મોકલાયા. પોલીસે મોબાઈલ રેકેટના કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરી.
-
સુરતઃ બોગસ તબીબની પાસા હેઠળ ધરપકડ
સુરતમાં બોગસ તબીબ કમલેશ કુમાર રાયને લસકાણા પોલીસે પકડ્યા બાદ અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી દીધો છે. વર્ષ 2025માં ધરપકડ થયાની છતાં તેણે પોતાની મેડિકલ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. ડિગ્રી વિના પણ તે એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન આપતો હતો, જે દર્દીઓને ખોટું સારવાર પૂરું પાડતો હતો. આ સુરતમાં બોગસ તબીબો સામે પહેલીવાર પાસા હેઠળ કાર્યવાહી છે. પોલીસની કડક કાર્યવાહી પછી અન્ય બોગસ તબીબોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.
-
નલિયામાં એકજ દિવસમાં 5.3 ડિગ્રીનો ઘટાડો
ગુજરાતમાં શીતલહેરનો પ્રભાવો ફરીથી દેખાઈ રહ્યો છે. રાજ્યભરમાં તાપમાનનો પારો ઘટી ગયો છે, જ્યારે ઠંડા પવન ફૂંકાતા લોકોએ કફ અને શીતલતાનો અનુભવ કર્યો. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો લાવવામાં જોવા મળી. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે, જ્યાં એકજ દિવસમાં તાપમાન 5.3 ડિગ્રી ઘટ્યું. અન્ય શહેરોમાં ડીસામાં 8.4, રાજકોટમાં 9.5, ભૂજમાં 9.8, પોરબંદરમાં 10.2 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં તાપમાન 12.5 ડિગ્રી સુધી ઘટી ગયું છે, જેના કારણે ઠંડીનો કડાકો મહેસૂસ કરવામાં આવી રહ્યો છે.
-
વડોદરાઃ કરજણમાં મગરની બેરહેમીથી પીટાઈ કરનારા સકંજામાં
વડોદરાના કરજણ વિસ્તારમાં મગરને બેરહેમીથી માર મારવાની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ વન વિભાગના સકંજામાં આવી ગયા છે. મગરને લાકડીથી ક્રૂરતાપૂર્વક મારવાનો વીડિયો વાયરલ થતા કરજણ વન વિભાગે તેનો આધાર લઈને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન લાકડીથી મગરને માર મારનારા બે શખ્સોની ઓળખ કરી તેમને ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને કરજણ સબજેલમાં મોકલવામાં આવ્યા છે. કરજણ રેન્જના કણભા ગામ પાસે તળાવમાંથી મૃત હાલતમાં મહાકાય મગર મળ્યો હતો, જેને બેરહેમીથી માર્યા બાદ તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
-
વડોદરામાં વગર વરસાદે જેલ રોડ થયો પાણી-પાણી
વડોદરામાં ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરના જેલ રોડ પર વરસાદ વગર જ પાણી-પાણી થઈ ગયું હતું. પોલીસ ભવન પાસે કોર્પોરેશનની મુખ્ય પાણીની લાઇન તૂટી જતા કલાકો સુધી લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું હતું. પાણીનો ભારે વેડફાટ થતો રહ્યો છતાં લાંબા સમય સુધી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
-
અમદાવાદઃ વાસણામાં કાર પર હુમલો
અમદાવાદના વાસણા વિસ્તારમાં ભરચક રસ્તા પર કાર પર હુમલાની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. સફેદ રંગની કારમાં આવેલા યુવકોએ રસ્તા વચ્ચે કારને અટકાવી બ્લેક થાર પર તોફાની હુમલો કર્યો હતો. હુમલાખોરોએ થારના કાચ તોડી નાખતા રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં રસ્તા પર કાર રોકી ખુલ્લેઆમ હુમલો કરાતો દેખાઈ રહ્યો છે. હાલ પોલીસએ હુમલાનું કારણ અને હુમલાખોરોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.
-
અમદાવાદ પ્લેન ક્રેશમાં વીમા કંપનીએ ક્લેમનુ નિરાકરણ કર્યુ
અમદાવાદ પ્લેન ક્રેશમાં વીમા કંપનીએ ક્લેમનુ નિરાકરણ કર્યુ. એર ઈન્ડિયાને 1,125 કરોડ ચુકવવામાં આવ્યા. મૃતકોના પરિવારને 225 કરોડ રૂપિયા ચુકવાયા. 12 જૂન 2025એ અમદાવાદમાં બોઈંગ 787 ક્રેશ થયુ હતુ. ક્રેશમાં 241 યાત્રિકો સહિત 260 લોકોના મોત થયા હતા. હાલ વિમાન અને એન્જીન સંબંધિત દાવાઓનો નિકાલ કરવામાં આવ્યો. મુસાફરોને પણ બાકી રકમ થોડા સમયમાં ચુકવવામાં આવશે.
-
અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો
ગુજરાતમાં શીતલહેરનો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો. ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની દેખાઈ અસર. લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રી ઘટાડાનો વરતારો છે.
-
ઓશિવારા પોલીસે દિગ્દર્શક કમલ આર. ખાન ઉર્ફે કેઆરકેની ધરપકડ
ઓશિવારા પોલીસે મુંબઈ ઓશિવારા ગોળીબાર ઘટનાના સંદર્ભમાં અભિનેતા અને દિગ્દર્શક કમલ આર. ખાન ઉર્ફે કેઆરકેની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસની ટીમે કેઆરકેની પૂછપરછ કરી હતી. કેઆરકેએ પોતાની લાઇસન્સવાળી બંદૂકથી ગોળીબાર કર્યાની કબૂલાત કરી હતી.
-
હિમાચલ પ્રદેશ: ભારે હિમવર્ષાને કારણે 565 રસ્તા બંધ
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 565 રસ્તા બંધ થઈ ગયા છે અને આશરે 4,800 પાવર ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. હવામાન વિભાગે 24 અને 25 જાન્યુઆરીએ રાજ્યના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા ચાલુ રહેવાની આગાહી કરી છે.
-
જામનગર: કચરાના ઢગલામાં આગ ભભૂકી
જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે. કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી છે. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. મનપાની ફાયર ફાઇટર યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી ગઈ. આગ લાગવાનું કારણ અકબંધ, કોઈ જાનહાની થઇ નથી.
-
દિલ્હીની હવાની ગુણવત્તામાં સુધારો થયો , AQI 264
આજે, દિલ્હીનો AQI 264 છે, જે ખરાબ શ્રેણીમાં પણ આવે છે, પરંતુ પાછલા દિવસો કરતા સારો છે. વરસાદ અને ભારે પવનને કારણે AQIમાં થોડો સુધારો થયો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, AQI 440 પર પહોંચી ગયો હતો, પરંતુ હવામાનમાં ફેરફારને કારણે નોંધપાત્ર સુધારો થયો છે.
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 61,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા 18મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા યુવાનોને 61,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. પીએમ મોદી આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
-
પતિરામ માંઝી સહિત 17 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા
ઝારખંડના ચૈબાસાના સારંડા જંગલોમાં 209 કોબ્રા, ચૈબાસા જિલ્લા પોલીસ અને ઝારખંડ જગુઆર દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન પતિરામ માંઝી ઉર્ફે અનલ દા સહિત 17 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
-
ગુજરાત જેલ પ્રશાસનમાં ધરખમ ફેરબદલ
ગુજરાત જેલ પ્રશાસનમાં ધરખમ ફેરબદલ થયા છે. ગુજરાતભરમાં એક સાથે 406 જેલ કર્મચારીઓની બદલી થઇ છે. 26 જુનિયર ક્લાર્ક,68 હવાલદાર અને 312 સિપાઈની સાગમટે બદલી કરાઈ.
Published On - Jan 24,2026 7:25 AM