AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

22 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : અમદાવાદમાં બહેરામપુરા પોલીસ ચોકી પાસે યુવકની હત્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2026 | 8:43 AM
Share

Gujarat Live Updates આજ 22 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

22 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : અમદાવાદમાં બહેરામપુરા પોલીસ ચોકી પાસે યુવકની હત્યા

LIVE NEWS & UPDATES

  • 22 Feb 2026 08:43 AM (IST)

    અમદાવાદમાં બહેરામપુરા પોલીસ ચોકી પાસે યુવકની હત્યા

    બહેરામપુરા પોલીસ ચોકી પાસે યુવકની હત્યાનો બનાવ. યુવક હિમેશ પરમારની તીક્ષ્ણ હથિયારથી કરાઈ હત્યા. સ્થાનિક પોલીસ અને FSL દ્વારા તપાસ શરૂ કરાઈ. મૃતક યુવક પોતાનું બાઈક પર પસાર થઈ રહ્યો હતો. મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • 22 Feb 2026 07:47 AM (IST)

    મોરબીની અવની ચોકડી પાસે કારચાલકે બે વાહનોને હડફેટે લીધા

    મોરબીની અવની ચોકડી પાસે કારચાલક બેફામ બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. કારચાલકે બે વાહનોને હડફેટે લીધા હતા. અકસ્માતમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ કારમાં સવાર ત્રણ લોકો, તેમની કાર સ્થળ પર જ મુકીને નાસી છુટ્યા હતા. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થયા બાદ પોલીસ પણ પહોંચી. કારચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

  • 22 Feb 2026 07:45 AM (IST)

    વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જવાના માર્ગ પરનો કટ બંધ કરાતા સ્થાનિકોએ કર્યું રસ્તા રોકો આંદોલન, બન્ને તરફ ટ્રાફિક જામ

    અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જવાના માર્ગ પર આવતો કટ બંધ કરાતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. હોટલ હિલલોક પાસેનો કટ બંધ કરી દેવાતા લોકોએ ભારે વિરોધ કર્યો છે. સ્થાનિક લોકોએ બંને તરફનો રોડ પર રસ્તા રોકો આંદોલન કરીને વાહનવ્યવહાર અવરોધી નાખ્યો હતો. વૈષ્ણોદેવી થી ઝુંડાલ તરફના બન્ને તરફના માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ થયો હતો. આશરે બે થી ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હોવાનુ સ્થાનિકોનું કહેવું છે. અગાઉ પણ સ્થાનિકો રસ્તો બંધ કરીને વિરોધ કર્યો હતો.

  • 22 Feb 2026 07:18 AM (IST)

    પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એર સ્ટ્રાઈક, આતંકીઓના અડ્ડાને નિશાન બનાવ્યાનો દાવો

    પાકિસ્તાને રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાં આતંકવાદી ઠેકાણાઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરી. સરકારના જણાવ્યા અનુસાર, આ એક ગુપ્ત માહિતી આધારિત, પસંદગીયુક્ત કાર્યવાહી હતી જેમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના સાત ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

આજે 22 ફેબ્રુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Feb 22,2026 7:16 AM

g clip-path="url(#clip0_868_265)">