21 જુલાઈના મહત્વના સમાચાર : બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસને કારણે બે બાળકોના મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2024 | 7:54 PM

Gujarat Live Updates : આજ 21 જુલાઈને રવિવારના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

21 જુલાઈના મહત્વના સમાચાર : બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસને કારણે બે બાળકોના મોત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના 46માં સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વડાપ્રધાન ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે. યુનેસ્કોના મહાનિર્દેશક ઓડ્રે અઝોલે પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.

સંસદના બજેટ સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન, સરકાર સંસદના બંને ગૃહોની સુચારૂ કામગીરી માટે તમામ વિપક્ષી પક્ષો પાસેથી સહકારની વિનંતી કરશે. બજેટ સત્ર સોમવારથી શરૂ થશે અને આવતા મહિનાની 12 તારીખ સુધી ચાલશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પુણેના પ્રવાસે છે. તૃણમૂલ દ્વારા આવતીકાલે કોલકાતાના ધર્મતલામાં રેલી કાઢવામાં આવશે. આ રેલીમાં સમાજવાદી પાર્ટીના વડા અને સાંસદ અખિલેશ યાદવ પણ ભાગ લેશે. અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Jul 2024 07:28 PM (IST)

    દેવભૂમિદ્વારકા: ભાણવડ તાલુકાના વાનાવડ ગામ પાસે આવેલા ડેમમાં પાણીની આવક સતત ચાલુ..

    દેવભૂમિદ્વારકા:ભાણવડ તાલુકાના વાનાવડ ગામ પાસે આવેલા ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. ઉપરવાસમાં પાણીની આવક સતત ચાલુ રહેતા મીણસાર ડેમ 80% ભરાયો છે. ઉપરવાસમાં પાણીની આવક સતત ચાલુ હોવાને કારણે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા..

  • 21 Jul 2024 06:42 PM (IST)

    રાજકોટ સિવિલમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો

    રાજકોટ, સિવિલમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો, ગોંડલનાં અનિડા ગામેથી આવેલ 7 માસનું બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, 1 મહિના અગાઉ મધ્યપ્રદેશથી આવ્યું હોવાની વિગતો સામે આવી.., આ પહેલા પણ રાજકોટ સિવિલમાં ચાંદીપુરા વાઇરસના 5 શંકાસ્પદ કેસ નોંધાય ચૂક્યા છે,જેમાંથી 2 બાળકોના મોત નીપજ્યા છે,હાલ બાળકના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા, બાળકની સ્થિતિ સ્થિર છે

  • 21 Jul 2024 05:19 PM (IST)

    ગાંધીધામની ગાળપાદર જેલમાં દારૂ કેસમાં જેલના 5 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

    કચ્છના ગાંધીધામ સ્થિત ગળપાદર જેલમાં સ્થાનિક પોલીસ ના દરોડા સામે આવેલ જલસા અને ગેરરીતિઓ બદલ 5 અધિકારીઓ કર્મચારીઓ ને તત્કાલ સસ્પેન્ડ કરતા જેલના વડા, જેલર અને હવાલદાર સહિત ના અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી

  • 21 Jul 2024 04:56 PM (IST)

    અમદાવાદ : બગોદરા નજીક આવેલ ખાનગી કંપની નજીકથી શંકાસ્પદ સંજોગોમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો

    અમદાવાદ : બગોદરા નજીક આવેલ ખાનગી કંપની નજીકથી શંકાસ્પદ સંજોગોમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, આઈનોક્સ વિન્ડ કંપની નજીકથી મળી આવ્યો મૃતદેહ, આઈનોક્સ વિન્ડ કંપનીમાં ફિનિશિંગ વિભાગના કર્મચારીનો મૃતદેહ મળ્યો કેટલાક સમયથી કંપનીમાં કરતો હતો કામ, બે દિવસથી ગુમ હોવાથી પરિવારે કરી હતી બગોદરા પોલીસને જાણ કરી હતી.

  • 21 Jul 2024 04:26 PM (IST)

    મહારાષ્ટ્ર – પાલઘરમાં સેફાયર લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડમાં ભીષણ આગ

    મહારાષ્ટ્ર – પાલઘરમાં સેફાયર લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડમાં ભીષણ આગ ફાટી નીકળી, ફાર્માસ્યુટિકલ કંપનીએ તમામ કામદારોને બહાર કાઢ્યા, સ્થળ પર હાજર ફાયર બ્રિગેડ.

  • 21 Jul 2024 04:13 PM (IST)

    જિલ્લામાં ઘાતક એવા ચાંદીપૂરા વાયરસનાં કેસોમાં ચિંતાજનક વધારો

    જિલ્લામાં વધુ બે કેસો નોંધવાની સાથે જ સમગ્ર રાજ્યમાં સર્વાધિક 11 કેસનો આંકડો જિલ્લાનો નોંધાયો, 11 પૈકી ચાર બાળકોનાં સારવાર દરમ્યાન અલગ-અલગ હોસ્પિટલમાં થયા મૃત્યુ, જ્યારે અન્ય ૬ બાળકો હાલ સારવાર હેઠળ,જિલ્લામાં નોંધાયેલા કુલ કેસ પૈકી એક બાળક સારવાર બાદ થયું રિકવર , જિલ્લાના ચાર તાલુકાઓ હાલ ચાંદીપૂરા વાયરસની ચપેટમાં, સૌથી વધુ ગોધરા તાલુકામાં નોંધાયા ચાર કેસ.શંકાસ્પદ ચાંદીપૂરા વાયરસ મળી આવેલા તમામ વિસ્તારોમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા કરાઇ રહી છે તિરાડો પૂરવાની કામગીરી અને દવા છંટકાવની કામગીરી પુણે ખાતેની લેબમાં મોકલાયેલા બે બાળકોના સેમ્પલ પૈકી એક બાળકનું સેમ્પલ પોઝિટિવ જ્યારે અન્ય સેમ્પલ આવ્યું નેગેટિવ

  • 21 Jul 2024 03:53 PM (IST)

    ચાંદીપુરાએ લીધો વધુ એક માસૂમનો ભોગ

    મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના વાયરસના શંકાસ્પદ લક્ષણ સાથે વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ બાળકીનું સારવાર દરમિયાન મોત , લુણાવાડા તાલુકામાં બાળકીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ જોવા મળતા વડોદરા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી, સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું નિપજ્યું મોત, મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ વાળા 4 કેસ સામે આવ્યા જેમાં બંને બાળકીઓના સારવાર દરમિયાન મોત

  • 21 Jul 2024 03:47 PM (IST)

    સુરતમાં ચાંદિપુરાનો શંકાસ્પદ પ્રથમ કેસ નોંધાયો

    સુરતમાં ચાંદિપુરાનો શંકાસ્પદ પ્રથમ કેસ નોંધાયો છે, 11 વર્ષય બાળકીમાં ચાંદિપુરાના લક્ષણો દેખાયાં છે. હાલ બાળકીને નવી સિવિલ હોસ્પિટલ ના PIC વોર્ડ માં દાખલ કરાઈ છે. સચિન વિસ્તારમાં રહેતી બાળકીને તાવ બાદ ઉલ્ટી ફરીયાદ હતા, બાદમાં શરીરના અંગો જકડાવા લાગ્યા, બાદમાં બાળકીને પહેલા ખાનગી અને બાદમાં સિવિલ રેફર કરાઈ.

  • 21 Jul 2024 03:18 PM (IST)

    ગીર સોમનાથ નો સૌથી મોટો મનાતો હિરણ ડેમ 2 પૂરી સપાટીએ 90 ટકા ભરાયો

    ગીર સોમનાથ નો સૌથી મોટો મનાતો હિરણ ડેમ 2 પૂરી સપાટીએ 90 ટકા જેટલો ભરાતા જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ હિરણ ડેમ સાઈડની મુલાકાત લીધી. અને જિલ્લાના પાંચે પાંચ તમામ ડેમો પાણીથી ભરાઈ જતા પ્રજાજનોને શુભકામના પાઠવી

  • 21 Jul 2024 02:44 PM (IST)

    કેરળમાં નિપાહ વાયરસથી પ્રથમ મોત ! આરોગ્ય મંત્રીએ કરી પુષ્ટિ

    કેરળમાં પ્રથમ NIPAH થી મૃત્યુ નોંધાયું છે. નિપાહ વાયરસથી સંક્રમિત 14 વર્ષીય છોકરાનું કેરળમાં મૃત્યુ થયું છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ અંગે માહિતી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે બાળ દર્દી નિપાહથી મૃત્યુ પામ્યો છે તે વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર લઈ રહ્યો હતો. જેનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.

  • 21 Jul 2024 02:39 PM (IST)

    ગીર સોમનાથના પાટણ-વેરાવળ ખાતે ચાર ઈંચ વરસાદ

    આજે સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીના આઠ કલાકમાં ગુજરાતના 44 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ ગીર સોમનાથના પાટણ વેરાવળ ખાતે ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના મેંદરડામાં અઢી ઈંચ, માળિયા મિયાણામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના જામજોધપુરમાં પણ દોઢ ઈચ જેટલો વરસાદ નોંધાયો છે. કેશોદ, ઉપલેટામાં એક એક ઈંચ વરસાદ વરસ્યો છે.

  • 21 Jul 2024 02:30 PM (IST)

    દ્વારકામાં વરસાદ બંધ, છતા હજુ નથી ઓસર્યા વરસાદી પાણી

    ગઈકાલથી વરસાદે વિરામ લીધો હોવા છતા હજુ પણ દ્વારકાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. ખાસ કરીને દ્વારકાના મીઠાપુર ગામના અનેક વિસ્તારો હજી પણ પાણીમાં ગરકાવ જોવા મળે છે. ઉદ્યોગનગર, ધરાનગર, આંબેડકર સોસાયટી, બક્ષીપંચ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી હજુ પણ ઓસર્યા નથી. વરસાદી પાણી ભરાયેલા રહ્યા હોવાથી વિવિધ સોસાયટીમાંથી લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

  • 21 Jul 2024 01:21 PM (IST)

    લો બોલો, જેલમાં SPએ પાડેલા દરોડામાં દારુની મહેફિલ માણતા કેદીઓ ઝડપાયા

    કચ્છના ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા કેદીઓ ઝડપાયા છે. બાતમીના આધારે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારેએ ગળપાદરા જેલમાં દરોડા પાડ્યા હતા. દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યા છે. સર્ચ દરમિયાન જેલની છત પરથી બિનવારસી હાલતમાં રોકડા પચાસ હજાર રૂપિયા મળ્યા વિગતો પણ મળી રહી છે.  એ અને બી ડિવિઝન પોલીસ, આદિપુર પોલીસ તથા LCB અને SOGના કાફલાએ મધરાતે દરોડો પાડ્યો હતો.

  • 21 Jul 2024 12:04 PM (IST)

    ઈન્ડિયન કોસ્ટગાર્ડે મધદરિયે MT ઝીલ નામના જહાજમાંથી બેભાન દર્દીનુ કર્યું રેસ્ક્યુ

    ઈન્ડિયન કોસ્ટગાર્ડનું મધદરિયે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. MT ઝીલ નામના જહાજમાં બેભાન દર્દીને હેલિકોપ્ટરથી બચાવાયો હતો. રેસ્ક્યુ બાસ્કેટની મદદથી દર્દીનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ.

  • 21 Jul 2024 11:37 AM (IST)

    આણંદ અમૂલ ડેરી કેમ્પસમાં સ્ટેટ જીએસટીના દરોડા

    આણંદની અમૂલ ડેરી કેમ્પસમાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ત્રણ દિવસથી સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ અમૂલ ડેરી કેમ્પસમાં ધામાં નાખ્યાં છે. અમૂલ ડેરીમાં લેબર કોન્ટ્રાકટર પેઢીમાં જીએસટીની મોટાપાયે કરચોરી થઈ રહી હોવાની શંકાએ જીએસટી વિભાગે દરોડા પાડીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. અમૂલમાં શાંતિલાલ પટેલ નામની પેઢી જરૂરીયાત મુજબના લેબર પુરા પાડી રહી છે.

  • 21 Jul 2024 11:29 AM (IST)

    સુરતમાં વ્યાજખોરોથી પીડિતોને મૂડી પરત કરાશે, 58 ગુનામાં 94 વ્યાજખોરોની કરાઈ છે ધરપકડ

    ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવશે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વ્યાજખોરોનો ત્રાસ ભોગવી રહેલા પીડિત લોકોને મૂડી પરત કરવામાં આવશે. સુરત પોલીસે કુલ 58 વ્યાજખોરો સામે ગુના નોંધ્યાં છે. પોલીસે કુલ 94 લોકોની ધરપકડ કરી. સુરત પોલીસે પીડિત લોકોને તેમની 1 કરોડ થી વધુની મૂડી પરત કરશે.

  • 21 Jul 2024 11:26 AM (IST)

    સચિવાલય ખાતે ફરજ બજાવતા IASની પત્નીની સારવાર દરમિયાન મોત, ગઈકાલે આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ

    ગાંધીનગર સચિવાલય ખાતે ફરજ બજાવતા IASની રણજીત તવંરના પત્નીની સારવાર દરમિયાન મોત થયું છે. ગઈકાલે સિનિયર IAS અધિકારી રણજીત તવંરના પત્નીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રી દવાની વધુ અસર થતા સિવિલના ICU વોર્ડમાં દાખલ કરાયા હતા. જ્યા આજે તેણીનું મોત થયું છે.

  • 21 Jul 2024 10:10 AM (IST)

    હવામાન વિભાગે કરી આગાહી, બપોરના 1 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે વરસાદ

    હવામાન વિભાગે, આગામી ત્રણ કલાક માટે નાઉકસ્ટ જાહેર કરી કેટલાક જિલ્લામાં  વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બપોરના 1 વાગ્યા સુધીમાં ઠંડરસ્ટ્રોમ એકટવીટી સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાદ, દમણ, દદરા નગર હેવેલ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

    જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 21 Jul 2024 10:02 AM (IST)

    દ્વારકાના દરિયાકાંઠેથી ફરી બિનવારસી 23.63 કિલો ચરસ મળ્યું

    દ્વારકાના દરિયાકાંઠેથી ફરી બિનવારસી કરોડોનું ચરસ મળી આવ્યું છે. દ્વારકા તાલુકાના મોજપ દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ચરસ પોલીસને મળી આવ્યું છે. દ્વારકાના દરિયા કિનારેથી 23.63 કિલો મળી આવ્યું 11.84 કરોડ ના ચરસના 21 પેકેટ મળી આવેલ છે.

  • 21 Jul 2024 09:48 AM (IST)

    ગુજરાતમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના પીએના નામે લાખ્ખોની છેતરપિંડી, મંત્રીએ કરી સ્પષ્ટતા

    ગુજરાતમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના પીએના નામે લાખ્ખોની છેતરપિંડી કરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જેની સામે આરોગ્ય મંત્રીએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી છે કે, આવા નામનો કોઈ વ્યક્તિ તેમના સંપર્કમાં ક્યારેય આવ્યો નથી.

    2022માં મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની ભરતી સમયે, લોકોને ઋષિકેશ પટેલના પીએ હોવાનું અને નોકરી અપાવવાનું કહીને નોકરીવાચ્છુ ઉમેદવારો પાસેથી લાખ્ખો ઉધરાવી લીધા હતા. જાગૃત સામાજીક સંસ્થાએ કેટલાક મીડિયાનું ધ્યાન દોરતા, આ સમાચાર વહેતા થયા હતા. જે અંગેના સમાચારથી અવગત થતા, ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ  મીડિયા થકી સ્પષ્ટતા કરી છે કે, આવા નામના કોઈ પણ વ્યક્તિ કાર્યાલયમાં પણ નથી કે સંપર્કમાં પણ નથી. આ અંગે કડક પોલીસ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

  • 21 Jul 2024 09:10 AM (IST)

    સુરતના ઉમરપાડા પાડા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીએ કર્યો આપઘાત

    સુરતના ઉમરપાડા પાડા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી, 35 વર્ષીય અંજનાબેન ગામીતે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. માંડવી ખાતે પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. પ્રાથમિક તપાસમાં એવુ સામે આવ્યું છે કે, અંજનાબેન ગામીતને સંતાન પ્રાપ્તિ ન થતાં આત્મહત્યાનું પગલું ભર્યુ છે. માંડવી પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • 21 Jul 2024 08:31 AM (IST)

    પોરબંદરનો ફોદાળા ડેમ ઓવરફ્લો, 13 ગામને કરાયા એલર્ટ

    ઉપરવાસ અને પોરબંદરમાં પડેલા અનરાધાર વરસાદને પગલે, પોરબંદરના ફોદાળા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમ એક ફુટની સપાટીએથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જેના પગલે ફોદાળા જળાશયની હેઠવાસમાં આવેલા 13 ગામને એલર્ટ કરાયા છે.

  • 21 Jul 2024 08:12 AM (IST)

    મુખ્યમંત્રી યોગીએ ગુરુ પૂર્ણિમાએ ગોરખનાથ મંદિરમાં પૂજા કરી

    યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુ પૂર્ણિમાના અવસર પર ગોરખનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

  • 21 Jul 2024 08:02 AM (IST)

    ગુજરાતના 99 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ દ્વારકામાં સાડા છ ઈંચ વરસાદ

    ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના છ વાગ્યા સુધીના વિતેલા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના 99 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં 168 મી.મી. એટલે કે સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં 38.28 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં 51.10 ટકા વરસાદ નોંધાયો છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 57.10 ટકા વરસાદ નોંધાયો છે. ઉતર ગુજરાતમાં 23.68 ટકા અને મધ્ય ગુજરાતમાં 23.09 ટકા વરસાદ નોંધાયો છે, જે સૌથી ઓછો વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં 40.50 ટકા વરસાદ વરસ્યો છે.

  • 21 Jul 2024 07:25 AM (IST)

    બજેટ સત્રને લઈને આજે સર્વપક્ષીય બેઠક યોજાશે

    સરકારે સંસદના બજેટ સત્ર પહેલા આજે એટલે કે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન, સરકાર સંસદના બંને ગૃહોની સુચારૂ કામગીરી માટે તમામ વિપક્ષી પક્ષો પાસેથી સહકારની વિનંતી કરશે. બજેટ સત્ર સોમવારથી શરૂ થશે અને આવતા મહિનાની 12 તારીખ સુધી ચાલશે. મંગળવારે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે.

Published On - Jul 21,2024 7:25 AM

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">