AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુવૈતમા ભારતીય શ્રમિકોને PM મોદીએ કહ્યું – હું 12 કલાક કામ કરું છુ

પીએમ મોદીએ કહ્યું કે, અમારું લક્ષ્ય 11 કરોડ શૌચાલય બનાવવાનું છે. ગરીબોને કાયમી મકાનો હોવા જોઈએ. અત્યાર સુધીમાં 4 કરોડ પાકાં મકાનો બનાવીને ગરીબોને આપવામાં આવ્યા છે, એટલે કે તેમાં ઓછામાં ઓછા 15-16 કરોડ લોકો રહેશે. હજુ ઘણું કરવાનું બાકી છે.

કુવૈતમા ભારતીય શ્રમિકોને PM મોદીએ કહ્યું - હું 12 કલાક કામ કરું છુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2024 | 2:14 PM
Share

PM મોદીના કુવૈત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કુવૈતના બાયાન પેલેસ ખાતે આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કુવૈતના અમીર શેખ અલ સબાહ પણ હાજર હતા. પ્રથમ દિવસે તેમણે કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લીધી હતી અને ભારતીય કામદારો સાથે વાતચીત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લીધી અને ભારતીય કામદારો સાથે વાતચીત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં સૌથી સસ્તો ડેટા (ઈન્ટરનેટ) છે અને જો આપણે દુનિયામાં અથવા તો ભારતમાં ક્યાંય પણ ઓનલાઈન વાત કરવા ઈચ્છીએ તો તેની કિંમત ઘણી ઓછી છે. જો તમે વીડિયો કોન્ફરન્સિંગ કરો છો તો પણ તેની કિંમત ઘણી ઓછી છે. લોકોને ઘણી સગવડ છે, તેઓ દરરોજ સાંજે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી શકે છે.

હું પણ 12 કલાક કામ કરું છું – પીએમ મોદી

વડા પ્રધાને કહ્યું કે હું વિકસિત ભારત 2047 વિશે વાત કરું છું કારણ કે મારા દેશના મજૂર ભાઈઓ જેઓ આટલા દૂરના સ્થળોએ કામ કરવા આવ્યા છે તેઓ પણ વિચારે છે કે તેમના ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કેવી રીતે બનાવવું. આ આકાંક્ષા મારા દેશની તાકાત છે.

હું આખો દિવસ વિચારતો રહું છું કે આપણા ખેડૂતો કેટલી મહેનત કરે છે. આપણા મજૂરો કેટલી મહેનત કરે છે. જ્યારે હું આ બધા લોકોને મહેનત કરતા જોઉં છું ત્યારે મને લાગે છે કે જો તેઓ 10 કલાક કામ કરે છે તો મારે પણ 11 કલાક કામ કરવું જોઈએ. જો તેઓ 11 કલાક કામ કરે છે તો મારે પણ 12 કલાક કામ કરવું જોઈએ અને બીજું તમે તમારા પરિવાર માટે મહેનત કરો છો કે નહીં? હું મારા પરિવાર માટે પણ કામ કરું છું, મારા પરિવારમાં 140 કરોડ લોકો છે, તેથી મારે થોડું વધારે કામ કરવું પડશે.

4 કરોડ પાકાં મકાનો બનાવીને ગરીબોને આપ્યા

પીએમ મોદીએ કહ્યું કે મારા માટે વિકાસનો અર્થ માત્ર સારા રસ્તા, સારા એરપોર્ટ, સારા રેલવે સ્ટેશન નથી. હું ઈચ્છું છું કે ગરીબમાં ગરીબના ઘરમાં પણ શૌચાલય હોવું જોઈએ. અમારું લક્ષ્ય 11 કરોડ શૌચાલય બનાવવાનું છે. ગરીબોને કાયમી મકાનો હોવા જોઈએ. અત્યાર સુધીમાં 4 કરોડ પાકાં મકાનો બનાવીને ગરીબોને આપવામાં આવ્યા છે, એટલે કે તેમાં ઓછામાં ઓછા 15-16 કરોડ લોકો રહેશે. હજુ ઘણું કરવાનું બાકી છે. હું દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડવાનું કામ કરી રહ્યો છું. મારા માટે સૌથી મહત્વની બાબત છે ગરીબની ગરિમા અને સન્માન, તેને આ બધું મળવું જોઈએ.

કુવૈતમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

PM મોદીના કુવૈત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કુવૈતના બાયાન પેલેસ ખાતે આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કુવૈતના અમીર શેખ અલ સબાહ પણ હાજર હતા. શનિવારે સવારે લગભગ 11.30 વાગ્યે કુવૈત પહોંચ્યા. 43 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. ભારત તરફથી, છેલ્લી વખત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી 43 વર્ષ પહેલા વર્ષ 1981માં કુવૈતની મુલાકાતે ગયા હતા. તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી 2009માં પશ્ચિમ એશિયાઈ દેશની મુલાકાત સમયે ત્યાં ગયા હતા.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">