AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ભરૂચ દહેજની Alivus Life Sciences Limited કંપનીમાં લાગી ભીષણ આગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2026 | 8:16 AM
Share

Gujarat Live Updates : આજ 15 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

15 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ભરૂચ દહેજની Alivus Life Sciences Limited કંપનીમાં લાગી ભીષણ આગ

LIVE NEWS & UPDATES

  • 15 Feb 2026 08:16 AM (IST)

    ભરૂચ દહેજની Alivus Life Sciences Limited કંપનીમાં લાગી ભીષણ આગ

    ભરૂચ દહેજની Alivus Life Sciences Limited કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ આગની ઘટનામાં 3 કામદાર ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. ઘાયલોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. કંપની ફાર્માસ્યુટકલ્સ API નું ઉત્પાદન કરે છે.

  • 15 Feb 2026 07:34 AM (IST)

    બાંગ્લાદેશે પીએમ મોદીને, તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા પાઠવ્યું આમંત્રણ

    બાંગ્લાદેશે 16 ફેબ્રુઆરીએ તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. જોકે, મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની તેમની મુલાકાતને કારણે, પીએમ મોદીની હાજરી અશક્ય છે. ભારતમાંથી ઉપરાષ્ટ્રપતિ અથવા વિદેશ પ્રધાન જેવા વરિષ્ઠ નેતા તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે. બાંગ્લાદેશ સાર્ક અને અન્ય મિત્ર દેશોના નેતાઓને પણ આમંત્રણ આપવાનું વિચારી રહ્યું છે.

  • 15 Feb 2026 07:30 AM (IST)

    મહાશિવરાત્રી પર જૂનાગઢ, સોમનાથ, નાગેશ્વર સહીત દેશભરના શિવ મંદિરોમાં પૂજા કરવા ઉમટી પડી ભક્તોની ભીડ

    મહાશિવરાત્રી પર દેશભરના શિવ મંદિરોમાં પૂજા કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ અને પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ ખાતે પરોઢીયેથી જ ભાવિક ભક્તોની ભારે ભીડ એકઠી થઈ છે. તો જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ આખી રાત ગુંજતા રહ્યાં છે. દેશના અન્ય જાણીતા શિવમંદિર અને જયોર્તિલિંગ ખાતે પણ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી છે.

  • 15 Feb 2026 07:23 AM (IST)

    અમરેલીના રાજુલાના ગામમાં, પ્રેમલગ્ન બાદ વરઘોડો કાઢતા યુવતીના પરિવારજનોએ છુટાહાથની મારામારી કરી કર્યો પથ્થરમારો

    અમરેલીના રાજુલાના મોભીયાણા ગામમાં લગ્ન પ્રસંગે વરઘોડામાં પથ્થરમારો થયો હતો. યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ ધામધૂમપૂર્વક યુવકનો વરઘોડો નીકળતા મારામારી થઈ હતી. થોડા દિવસ પહેલા યુવક, યુવતીને ભગાડી ગયો હતો. ત્યારબાદ આજે ધામધૂમપૂર્વક લગ્નનો વરઘોડો કાઢતા પથ્થરમારાની ઘટના ઘટી હતી. યુવતીના પરિવારજનો દ્વારા પથ્થરમારો કરતા 1 વ્યક્તિ ગંભીર ઈજા પહોંચી છે. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સામસામે છૂટાહાથની મારીમારી અને પથ્થરમારાની ઘટના સામે આવી છે.

આજે 15 ફેબ્રુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

Published On - Feb 15,2026 7:22 AM

g clip-path="url(#clip0_868_265)">