10 એપ્રિલના મહત્વના સમાચાર : આજે પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકા વાટાઘાટો યોજાશે
આજે 10 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ઢોંસાકાંડમાં દંપતીના બ્લડ સેમ્પલમાંથી પણ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મળ્યું
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો વધુ ગૂંચવણભર્યો બન્યો છે. તપાસ દરમિયાન દંપતીના બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મળ્યું છે, જ્યારે બાળકીઓના શરીરમાંથી પણ આ જ ઝેરી પદાર્થ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકીઓના પિતાએ અનાજમાં મુકવાની 10 ઝેરી દવાઓ ખરીદી હતી, જેમાંથી 8 મળી આવી છે અને બાકી 2 દવાઓ ક્યાં વપરાઈ તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કે પછી હત્યાની સંભાવના છે કે કેમ તે મુદ્દે તપાસ એજન્સીઓ સઘન તપાસ કરી રહી છે. હવે બાળકીઓના પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ અને FSL રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.
-
અમરેલી: રાજુલાના જાફરાબાદમાં મોડી રાત્રે આવ્યો ભૂકંપ
-
-
આજે નાસાનું ઓરાયન ચંદ્રયાત્રા પરથી પરત પૃથ્વી પર ફરશે
નાસા નું ઓરાયન ચંદ્ર મિશન આજે સફળ ચંદ્રયાત્રા પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફરવા જઈ રહ્યું છે. યાન લગભગ 40 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ ચારેય અવકાશયાત્રીઓ સાન ડિયેગો નજીક સમુદ્રમાં સુરક્ષિત રીતે ઉતરશે. ભારતીય સમય અનુસાર સાંજે 5:07 વાગ્યે આ ઐતિહાસિક ક્ષણ સર્જાશે, જેને વૈજ્ઞાનિકો અને વિશ્વભરના લોકો આતુરતાથી જોઈ રહ્યા છે.
-
નીતિશ કુમાર આજે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેશે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બપોરે 12:15 વાગ્યે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેશે. ત્યારબાદ તેઓ પટના પરત ફરશે.
-
યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલના લેબેનોન પર ઘાતક પ્રહાર
યુદ્ધ વિરામની સ્થિતિ વચ્ચે ઇઝરાયલ દ્વારા લેબેનોન પર કરવામાં આવેલા ઘાતક હુમલાઓએ પરિસ્થિતિને ફરીથી તંગ બનાવી દીધી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ હિઝબુલ્લાહ ના ઠેકાણાઓને નિશાન બનાવી ભીષણ પ્રહાર કર્યા, જેમાં અંદાજે 10 લોન્ચર પેડ તબાહ થયા હોવાનું જણાવાયું છે. આ હુમલાઓના કારણે લેબેનોનમાં મોટાપાયે તબાહી સર્જાઈ છે અને પ્રદેશમાં ફરી એકવાર અશાંતિનું માહોલ ઉભું થયું છે.
-
-
આજે પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકા વાટાઘાટો યોજાશે
પાકિસ્તાન આજે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોનું આયોજન કરશે. આનો ઉદ્દેશ્ય યુદ્ધવિરામને મજબૂત બનાવવાનો અને પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવાનો છે.
આજે 10 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Apr 10,2026 7:22 AM
